રાહુલ ગાંધીના ભાગ્યમાં વડાપ્રધાનની ખુરશી પર બેસવાનું લખ્યું નથી: DyCM મૌર્ય

શ્રીનગરમાં કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ભારત જોડો યાત્રાનું ઉદ્દેશ્ય બતાવતા સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આ ભારતની યાત્રા છે એટલે તેનું નામ ભારત જોડો યાત્રા છે. રાહુલ ગાંધી દેશને બદલવાનો સંકલ્પ લઇને ચાલ્યા છે. ગાંધી અને ગોડસેનું જે અંતર હતું, એ જ આ યાત્રાનું અંતર છે. સત્તાધારી લોકો ગોડસેની વિચારધારાના છે અને આ ગાંધીના વિચારોની યાત્રા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર પણ નિશાનો સાધ્યો.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મનના ચોરને જોઇ લેવા જોઇએ, તો તેમને ખબર પડી જશે કે દેશમાં નફરત કોણ ફેલાવી રહ્યું છે અને દેશમાં ભાગલા કોણ પાડી રહ્યું છે. તેમણે લાલ ચોક પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, આજે દેશમાં નફરત અને ડરનો માહોલ બનાવી દેવામાં આવ્યો. તેમણે તેના માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી. સુરજેવાલાએ કહ્યું કે, લાલ ચોકથી ભારતનો તિરંગો ફરકાવીને અમે એ દેખાડ્યું કે ન તો નફરત ચાલશે, ન ભાગલા અને ન તો વિભાજન. આ દેશમાં પ્રેમ અને ભાઇચારો ચાલશે.

સુરજેવાલા અહીં જ ન રોકાયા, તેમણે આગળ કહ્યું કે, મોદી સરકારે બેરોજગારી અને મોંઘવારી માટે જવાબદાર થવું પડશે. આજે દેશમાં નફરત અને વિભાજનનો માહોલ છે. 140 કરોડ લોકો દેશના વડાપ્રધાનથી પણ મોટા છે, તેઓ મોદી હોય કે કોઇ બીજું.. એ જોઇને લોકો જ આ દેશનો ઝંડો છે. આજે અમે લાલ ચોકથી કોઇ યુદ્ધનું નહીં, પરંતુ દેશને ફરીથી જોડાવાની જાહેરાત કરી રહ્યા છીએ.

એક સવાલના જવાબમાં સુરજેવાલાએ કહ્યું કે, કાશ વડાપ્રધાન પોતાના મનના ચોરને જોઇ લેતા તો હકીકત સામે આવી જતી, આ દેશને રોજ કબ્રસ્તાન અને સ્મશાનમાં તોડવામાં આવી રહ્યો છે. અમે બતાવવા માંગીએ છીએ કે, આ દેશ એમ નહીં ચાલે. જ્યારે બેરોજગારોની રોજી-રોટી મળશે તો દેશ ચાલશે.

તો દરભંગામાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ આ યાત્રાને ‘ભારત સમજો યાત્રા’ ગણાવી. સાથે જ તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીના ભાગ્યમાં વડાપ્રધાનની ખુરશી પર બેસવાનું લખ્યું નથી. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી સારું ભારત સમજો યાત્રા કરવી જોઇતી હતી. રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરવું, ફરકાવવાનું જાણતા નથી. તેમના મનમાં વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચવાની વ્યાકુળતા છે, પરંતુ તેમના ભાગ્યમાં વડાપ્રધાનની ખુરશી લખેલી નથી.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.