કોણ છે ભાજપના 6 વખતના MP બ્રિજભૂષણ શરણ સિંહ, જેમના પર લાગ્યો છે યૌન શોષણનો આરોપ

રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ સિંહ પર ખેલાડીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે. બ્રિજ ભૂષણ સિંહ આ પહેલા પણ પોતાના અનેક નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. છેલ્લા લગભગ 1 દાયકાથી બ્રિજ ભૂષણ સિંહ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ છે. પરંતુ હવે બ્રિજ ભૂષણ સિંહ પર તાનાશાહી વલણ સહિત યૌન શોષણનો આરોપ લાગ્યો છે. સરકારે આ આરોપો પર રેસલિંગ ફેડરેશન પાસેથી જવાબ માંગ્યો છે, પરંતુ બ્રિજ ભૂષણ સિંહ આ આરોપોને નકારી રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓ આકરા પ્રહારો કરી રહી છે.

સમગ્ર ઘટના પર સાંસદ બ્રિજભૂષણ સિંહે કહ્યું છે કે જો તેમના પર લાગેલા આરોપો સાબિત થાય છે તો તેઓ દરેક પ્રકારની સજા માટે તૈયાર છે. ભૂતકાળમાં પણ બ્રિજ ભૂષણ સિંહ ઘણી વખત વિવાદોમાં રહ્યા છે. પોતાની દબંગ છબી અને સ્પષ્ટવક્તા નિવેદનોને કારણે તેઓ ઘણી વખત પોતાની જ સરકારને બદનામ કરી ચૂક્યા છે.

બે વર્ષ પહેલા તેમણે ભરેલા સ્ટેજ પર એક ખેલાડીને થપ્પડ મારી દીધી હતી. આ સાથે તેમણે રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતનો પણ વિરોધ કર્યો હતો. ગયા વર્ષે તેમણે પોતાની જ યોગી સરકારને એમ કહીને ભીંસમાં લીધી હતી કે જો હું બોલીશ તો બળવાખોર કહેવાઈશ. એટલું જ નહીં, બાબા રામદેવ પરના તેમના તાજેતરના નિવેદને ભારે રાજકીય તોફાન મચાવ્યું હતું.

રાજકીય રીતે બ્રિજભૂષણ સિંહને ઉત્તર પ્રદેશના મજબૂત નેતા માનવામાં આવે છે. બહરાઈચ, ગોંડા, બલરામપુર અને ફૈઝાબાદ જેવા શહેરોમાં તેમનો ઘણો રાજકીય પ્રભાવ છે. આ જ કારણ છે કે સરકાર આ મામલે સાચવીને પગલાં લઈ રહી છે.

બ્રિજભૂષણ સિંહ પોતે એક પહેલવાન રહી ચુક્યા છે અને પોતાના દાવથી રાજકીય વિરોધીઓને માત આપતા આવી રહ્યા છે. પરંતુ આ વખતે હરીફાઈ રાજકીય દંગલની નથી, તેથી જ દરેક પોતાની ચાલ ચાલી રહ્યા છે.

બ્રિજભૂષણ સિંહ પર કેવા લાગ્યા છે આરોપ? રેસલર વિનેશ ફોગાટે બ્રિજ ભૂષણ સિંહ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. ફોગાટે કહ્યું, મહિલા રેસલરોનું યૌન શોષણ કરવામાં આવે છે. હું પોતે મહિલા કુસ્તીબાજો સાથે જાતીય સતામણીનાં 10-20 કેસ જાણું છું. ફોગાટે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારે ઓલિમ્પિક દરમિયાન ચાર મહિલા રેસલર્સ એકસાથે મુસાફરી કરી રહી હતી ત્યારે ફેડરેશનના પ્રમુખને તેમની સાથે મુસાફરી કરવાની શું જરૂર હતી? સાથે જ સાક્ષી મલિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો કોઈ ખેલાડી કોઈપણ કારણોસર ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો ઇનકાર કરે છે, તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બજરંગ પુનિયાએ એવો પણ દાવો કર્યો છે કે રેસલર્સને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. નિયમો એક દિવસ અગાઉ બનાવવામાં આવે છે અને તેનો અમલ કરવામાં આવે છે. ફેડરેશનના પ્રમુખ ખેલાડીઓ સાથે ખરાબ વર્તન કરે છે, તેમને થપ્પડ મારી દે છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.