વિદેશ મંત્રી જયશંકરે અમેરિકામાં રાજીવ ગાંધી અને મનમોહન સિંહને કેમ યાદ કર્યા?

વિદેશ મંત્રી S. જયશંકરે તેમના US પ્રવાસના અંતિમ દિવસે પૂર્વ ભારતીય PM રાજીવ ગાંધી અને મનમોહન સિંહને યાદ કર્યા હતા. S. જયશંકરે PM મોદીની મુલાકાતોની સરખામણી 1985માં રાજીવ ગાંધી અને 2005માં મનમોહન સિંહની US મુલાકાતો સાથે કરી છે. જયશંકર 22 થી 30 સપ્ટેમ્બર સુધી અમેરિકાના નવ દિવસના પ્રવાસે હતા.

પ્રવાસના અંતિમ દિવસે વોશિંગ્ટન DCમાં પત્રકારોને સંબોધતા ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે, 'લોકો 1985માં રાજીવ ગાંધીની અમેરિકા મુલાકાતને યાદ કરે છે. તે સમયે હું પણ અમેરિકામાં જ હતો. 2005માં જ્યારે મનમોહન સિંહે મુલાકાત લીધી ત્યારે પણ હું અમેરિકામાં હાજર હતો. લોકોને PM નરેન્દ્ર મોદીની અમેરિકન મુલાકાત પણ યાદ છે. પરંતુ આ અલગ હતું. તેનું કાર્યક્ષેત્ર જ અલગ હતું. જો તમે મને પૂછશો કે શું બદલાયું છે? તો હું કહીશ કે, પહેલા અમે અમેરિકા સાથે ડીલ કર્યા કરતા હતા, પરંતુ હવે બંને દેશ સાથે મળીને કામ કરે છે.'

જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે અને PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર તેમને વધુ આગળ લઈ જશે. વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, આ દ્વિપક્ષીય સંબંધો ચંદ્રયાનની જેમ ચંદ્ર અને તેનાથી આગળ પણ પહોંચશે.

જયશંકરે ભારતમાં તાજેતરમાં યોજાયેલી G20 બેઠકની સફળતા માટે અમેરિકાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, 'G20નું સફળ સંગઠન અમેરિકાના સહયોગ વિના શક્ય ન હોત.' જ્યારે કંઇક સારું થતું હોય છે, ત્યારે યજમાન દેશને હંમેશા તેની ક્રેડિટ મળે છે. આ યોગ્ય પણ છે, પરંતુ જો તમામ G20 સભ્ય દેશો આ કાર્યક્રમની સફળતા માટે કામ ન કરે તો તે શક્ય ન બન્યું હોત.'

અગાઉ, કેનેડા સાથે ચાલી રહેલા વિવાદ અંગે જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ પ્રત્યે કેનેડાનું વલણ 'ઉદાર' છે. અમેરિકામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓને અપાયેલી સ્વતંત્રતા પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આ લોકો ખુલ્લેઆમ હિંસાની વકીલાત કરે છે. તેમના મતે કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ આ મુદ્દાઓને કારણે ઉભો થયો છે.

જયશંકર તેમની મુલાકાત દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને પણ મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આમાં G20ની સિદ્ધિઓ અને નવા ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર, આગામી 2+2 બેઠક (રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીની સંયુક્ત બેઠક) જેવા મુદ્દાઓ સામેલ હતા.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.