શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

એમિરેટ્સ એરલાઇન્સે ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયે બધાને હેરાન કરી દીધા છે કારણ કે ઘણા મુસાફરો તેમના ફોન અને અન્ય ગેજેટ્સ ચાર્જ કરવા માટે ફ્લાઇટમાં પાવર બેંક લઈને જાય છે. હવે આ નિર્ણયથી લોકોને ઝટકો લાગ્યો છે, જે એમિરેટ્સ એરલાઇન્સમાં મુસાફરી કરે છે. ચાલો જાણીએ કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો. શું તે મુસાફરોની સુરક્ષા માટે છે કે પછી કારણ કંઈક બીજું છે?

power-bank
ndtv.com

એમિરેટ્સની નવી પોલિસી હેઠળ મુસાફરો હવે માત્ર એક જ પાવર બેંક પોતાની સાથે લઈ જય શકે છે, પરંતુ અહી નોંધ લેવા જેવી વાત એ છે કે આ પાવર બેન્કની ક્ષમતા 100 વોટ (Wh) કરતા ઓછી હોવી જોઈએ. પાવર બેંક પર તેની ક્ષમતા બાબતે સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. તમે પાવર બેંક લઈ જઈ શકો છો, પરંતુ ફ્લાઇટમાં તેનો ઉપયોગ નહીં કરી શકો.

આ કડક નિર્ણય શા માટે લેવામાં આવ્યો?

પાવર બેંકો પર પ્રતિબંધનો નિર્ણય મુખ્યત્વે સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. પાવર બેંકો લિથિયમ-આયન અથવા લિથિયમ-પોલિમર બેટરીનો ઉપયોગ કરે છે, જે વધુ ગરમ થઈ શકે છે અને આગ પણ પકડી શકે છે. આ થર્મલ રનવે નામની પ્રક્રિયાને કારણે થાય છે, જેમાં બેટરીનું તાપમાન વધી જાય છે, જેના કારણે આગ લાગી શકે છે અથવા વિસ્ફોટ થઈ શકે છે.

power-bank1
thehansindia.com

આ પ્રકારનો નિર્ણય એટલે લેવામાં આવ્યો છે, જેથી વિમાનમાં બેટરી સાથે સંકળાયેલા જોખમોને ઘટાડી શકાય છે, ખાસ કરીને ઓછી કિંમતની પાવર બેંકો જેમાં ઓટોમેટિક શટ-ઓફ જેવી સુરક્ષા સુવિધાઓનો અભાવ હોય છે. અમીરાત એરલાઇન્સનો આ નિર્ણય તમારી સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. એમિરેટ એરલાઇન્સમાં મુસાફરી કરતા મુસાફરોએ હવે એરપોર્ટ માટે ઘરેથી નીકળતા પહેલા તેમના ફોન અને અન્ય ગેજેટ્સને પૂરી રીતે ચાર્જ કરી લેવા પડશે, જેથી આવી કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય.

About The Author

Related Posts

Top News

શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

એમિરેટ્સ એરલાઇન્સે ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયે બધાને હેરાન કરી દીધા છે કારણ કે...
National 
શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

બેન્કો પાસેથી લોન લીધી... કારોબાર કર્યો... પૈસા પણ બનાવ્યા, પરંતુ ચૂકવવાનું મન નથી. હાં દેશની તમામ સરકારી બેન્કોના આવા...
Business 
જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કેનેડામાં રહેતા એક ભારતીય યુવાનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે. યુવકનો દાવો છે કે, ...
World 
શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન

ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના રિપોર્ટ મુજબ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ...
National 
કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.