શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

એમિરેટ્સ એરલાઇન્સે ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયે બધાને હેરાન કરી દીધા છે કારણ કે ઘણા મુસાફરો તેમના ફોન અને અન્ય ગેજેટ્સ ચાર્જ કરવા માટે ફ્લાઇટમાં પાવર બેંક લઈને જાય છે. હવે આ નિર્ણયથી લોકોને ઝટકો લાગ્યો છે, જે એમિરેટ્સ એરલાઇન્સમાં મુસાફરી કરે છે. ચાલો જાણીએ કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો. શું તે મુસાફરોની સુરક્ષા માટે છે કે પછી કારણ કંઈક બીજું છે?

power-bank
ndtv.com

એમિરેટ્સની નવી પોલિસી હેઠળ મુસાફરો હવે માત્ર એક જ પાવર બેંક પોતાની સાથે લઈ જય શકે છે, પરંતુ અહી નોંધ લેવા જેવી વાત એ છે કે આ પાવર બેન્કની ક્ષમતા 100 વોટ (Wh) કરતા ઓછી હોવી જોઈએ. પાવર બેંક પર તેની ક્ષમતા બાબતે સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. તમે પાવર બેંક લઈ જઈ શકો છો, પરંતુ ફ્લાઇટમાં તેનો ઉપયોગ નહીં કરી શકો.

આ કડક નિર્ણય શા માટે લેવામાં આવ્યો?

પાવર બેંકો પર પ્રતિબંધનો નિર્ણય મુખ્યત્વે સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. પાવર બેંકો લિથિયમ-આયન અથવા લિથિયમ-પોલિમર બેટરીનો ઉપયોગ કરે છે, જે વધુ ગરમ થઈ શકે છે અને આગ પણ પકડી શકે છે. આ થર્મલ રનવે નામની પ્રક્રિયાને કારણે થાય છે, જેમાં બેટરીનું તાપમાન વધી જાય છે, જેના કારણે આગ લાગી શકે છે અથવા વિસ્ફોટ થઈ શકે છે.

power-bank1
thehansindia.com

આ પ્રકારનો નિર્ણય એટલે લેવામાં આવ્યો છે, જેથી વિમાનમાં બેટરી સાથે સંકળાયેલા જોખમોને ઘટાડી શકાય છે, ખાસ કરીને ઓછી કિંમતની પાવર બેંકો જેમાં ઓટોમેટિક શટ-ઓફ જેવી સુરક્ષા સુવિધાઓનો અભાવ હોય છે. અમીરાત એરલાઇન્સનો આ નિર્ણય તમારી સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. એમિરેટ એરલાઇન્સમાં મુસાફરી કરતા મુસાફરોએ હવે એરપોર્ટ માટે ઘરેથી નીકળતા પહેલા તેમના ફોન અને અન્ય ગેજેટ્સને પૂરી રીતે ચાર્જ કરી લેવા પડશે, જેથી આવી કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.