પ્રેમાનંદ મહારાજની રાધારાની સાથે તસવીર વાયરલ ન કરતા નહિતર જેલ ભેગા થવું પડશે

છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સંત પ્રેમાનંદના પગ દબાવતા શ્રી રાધારાણીની તસવીરોને લઈને સંત સમુદાયની નારાજગી બાદ સંત પ્રેમાનંદના એક શિષ્યએ મથુરાના સાયબર પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ FIR નોંધાવી છે. સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય ગૌતમ ચિલાનાએ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા રિપોર્ટમાં કહ્યું છે કે, એક અજાણ્યા ઇસમે રાધારાણી અને તેમના ગુરુ શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજનો ફોટો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી બનાવીને ઇન્ટરનેટ મીડિયા પર પ્રસારિત કરી દીધા છે.

premanand-ji-maharaj
facebook.com/groups

 

તેણે વધુમાં કહ્યું કે, આ કૃત્યથી સંત, મહંત અને ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આવું કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કોઈ એવું કરવાનું દુસ્સાહસ ન કરી શકે. સંતના શિષ્યએ પોલીસને એવો પણ ભરોસો અપાવ્યો છે તે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર પ્રસારિત કરવામાં આવી છે તેનું URL પણ જલદી પોલીસને ઉપલબ્ધ કરાવશે. આ તસવીરના મામલે 18 જૂનના રોજ, પરિક્રમા માર્ગ પર સ્થિત ચૈનબિહારી આશ્રમમાં સંતો-મહંતોએ રોષ વ્યક્ત કર્યો અને સંત પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 19 જૂનના રોજ પણ પરિક્રમા માર્ગ પર સ્થિત ગૌતમ ઋષિ આશ્રમમાં સંત સમાજે એક બેઠક કરીને આ ઘટનાની નિંદા કરી હતી. SI મોહિત કુમારને આ માહિતી આપવામાં આવી છે.

premanand-ji-maharaj3
etvbharat.com

 

તો, શ્રી હિત રાધા કેલી કુંજ ટ્રસ્ટ શ્રીધામ તરફથી  એક પત્ર જાહેર કરીને અપીલ કરવામાં આવી છે કે તમને બધાને સૂચના અને સાવધાન કરવા છે. વર્તમાનમાં ઘણા લોકો પૂજનીય ગુરુદેવ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજજીના ફોટા, વીડિયો અને ઑડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી મનસ્વી રીતે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે, જે બિલકુલ ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે. સમય-સમય પર અગાઉ પણ અમારા દ્વારા આવી સૂચનાઓ આપવામાં આવી છે. તો આપ સૌને નિવેદન છે કે કોઈ પણ  AIનો ઉપયોગ કરીને પૂજ્ય મહારાજના મનસ્વી રીતે ફોટા, વીડિયો અને ઑડિયો ન બનાવે, ન પ્રભાવિત થાવ, ન સમર્થન આપો અને ન ક્યાંય શેર કરો. માત્ર અમારા અધિકૃત અને વેરિફાઇડ સોશિયલ મીડિયા પરથી પ્રસારિત થતા ફોટા, વીડિયો, ઑડિયો અને સૂચના પર જ વિશ્વાસ કરો. અમે કોઈ પણ અનધિકૃત સોશિયલ મીડિયા પર બનેલી ચેનલ, પેજ હેન્ડલ પરથી પ્રસારિત કરવામાં આવેલી કોઈપણ પ્રકારની જાણકારી ઉત્તરદાયી નહીં રહીએ.

About The Author

Related Posts

Top News

ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

મધ્યપ્રદેશના ઇન્દોરમાં, ઇલેક્ટ્રિક કારના ચાર્જિંગ પોઇન્ટમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગી. આખા ઘરમાં ભીષણ આગ ફેલાઈ ગઈ, જેમાં 7...
Tech and Auto 
ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ભારતના અનેક ભાગોમાં હાલમાં રાંધણ ગેસ (LPG) ની અછત જોવા મળી રહી છે. આ સંકટની અસર માત્ર રસોડા સુધી...
National 
બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતી એક ભયાનક પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુંદરણ ગામ નજીક આવેલા...
Gujarat 
ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

મેરઠમાં એક નકલી IAS અધિકારીની ધરપકડથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. નકલી IAS અધિકારી તરીકે ઓળખીને પોલીસે ધરપકડ કરેલા રાહુલ...
National 
નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.