પ્રેમાનંદ મહારાજની રાધારાની સાથે તસવીર વાયરલ ન કરતા નહિતર જેલ ભેગા થવું પડશે

છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સંત પ્રેમાનંદના પગ દબાવતા શ્રી રાધારાણીની તસવીરોને લઈને સંત સમુદાયની નારાજગી બાદ સંત પ્રેમાનંદના એક શિષ્યએ મથુરાના સાયબર પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ FIR નોંધાવી છે. સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય ગૌતમ ચિલાનાએ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા રિપોર્ટમાં કહ્યું છે કે, એક અજાણ્યા ઇસમે રાધારાણી અને તેમના ગુરુ શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજનો ફોટો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી બનાવીને ઇન્ટરનેટ મીડિયા પર પ્રસારિત કરી દીધા છે.

premanand-ji-maharaj
facebook.com/groups

 

તેણે વધુમાં કહ્યું કે, આ કૃત્યથી સંત, મહંત અને ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આવું કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કોઈ એવું કરવાનું દુસ્સાહસ ન કરી શકે. સંતના શિષ્યએ પોલીસને એવો પણ ભરોસો અપાવ્યો છે તે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર પ્રસારિત કરવામાં આવી છે તેનું URL પણ જલદી પોલીસને ઉપલબ્ધ કરાવશે. આ તસવીરના મામલે 18 જૂનના રોજ, પરિક્રમા માર્ગ પર સ્થિત ચૈનબિહારી આશ્રમમાં સંતો-મહંતોએ રોષ વ્યક્ત કર્યો અને સંત પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 19 જૂનના રોજ પણ પરિક્રમા માર્ગ પર સ્થિત ગૌતમ ઋષિ આશ્રમમાં સંત સમાજે એક બેઠક કરીને આ ઘટનાની નિંદા કરી હતી. SI મોહિત કુમારને આ માહિતી આપવામાં આવી છે.

premanand-ji-maharaj3
etvbharat.com

 

તો, શ્રી હિત રાધા કેલી કુંજ ટ્રસ્ટ શ્રીધામ તરફથી  એક પત્ર જાહેર કરીને અપીલ કરવામાં આવી છે કે તમને બધાને સૂચના અને સાવધાન કરવા છે. વર્તમાનમાં ઘણા લોકો પૂજનીય ગુરુદેવ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજજીના ફોટા, વીડિયો અને ઑડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી મનસ્વી રીતે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે, જે બિલકુલ ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે. સમય-સમય પર અગાઉ પણ અમારા દ્વારા આવી સૂચનાઓ આપવામાં આવી છે. તો આપ સૌને નિવેદન છે કે કોઈ પણ  AIનો ઉપયોગ કરીને પૂજ્ય મહારાજના મનસ્વી રીતે ફોટા, વીડિયો અને ઑડિયો ન બનાવે, ન પ્રભાવિત થાવ, ન સમર્થન આપો અને ન ક્યાંય શેર કરો. માત્ર અમારા અધિકૃત અને વેરિફાઇડ સોશિયલ મીડિયા પરથી પ્રસારિત થતા ફોટા, વીડિયો, ઑડિયો અને સૂચના પર જ વિશ્વાસ કરો. અમે કોઈ પણ અનધિકૃત સોશિયલ મીડિયા પર બનેલી ચેનલ, પેજ હેન્ડલ પરથી પ્રસારિત કરવામાં આવેલી કોઈપણ પ્રકારની જાણકારી ઉત્તરદાયી નહીં રહીએ.

About The Author

Related Posts

Top News

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે....
Politics 
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.