પ્રેમાનંદ મહારાજની રાધારાની સાથે તસવીર વાયરલ ન કરતા નહિતર જેલ ભેગા થવું પડશે

છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સંત પ્રેમાનંદના પગ દબાવતા શ્રી રાધારાણીની તસવીરોને લઈને સંત સમુદાયની નારાજગી બાદ સંત પ્રેમાનંદના એક શિષ્યએ મથુરાના સાયબર પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ FIR નોંધાવી છે. સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય ગૌતમ ચિલાનાએ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા રિપોર્ટમાં કહ્યું છે કે, એક અજાણ્યા ઇસમે રાધારાણી અને તેમના ગુરુ શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજનો ફોટો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી બનાવીને ઇન્ટરનેટ મીડિયા પર પ્રસારિત કરી દીધા છે.

premanand-ji-maharaj
facebook.com/groups

 

તેણે વધુમાં કહ્યું કે, આ કૃત્યથી સંત, મહંત અને ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આવું કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કોઈ એવું કરવાનું દુસ્સાહસ ન કરી શકે. સંતના શિષ્યએ પોલીસને એવો પણ ભરોસો અપાવ્યો છે તે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર પ્રસારિત કરવામાં આવી છે તેનું URL પણ જલદી પોલીસને ઉપલબ્ધ કરાવશે. આ તસવીરના મામલે 18 જૂનના રોજ, પરિક્રમા માર્ગ પર સ્થિત ચૈનબિહારી આશ્રમમાં સંતો-મહંતોએ રોષ વ્યક્ત કર્યો અને સંત પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 19 જૂનના રોજ પણ પરિક્રમા માર્ગ પર સ્થિત ગૌતમ ઋષિ આશ્રમમાં સંત સમાજે એક બેઠક કરીને આ ઘટનાની નિંદા કરી હતી. SI મોહિત કુમારને આ માહિતી આપવામાં આવી છે.

premanand-ji-maharaj3
etvbharat.com

 

તો, શ્રી હિત રાધા કેલી કુંજ ટ્રસ્ટ શ્રીધામ તરફથી  એક પત્ર જાહેર કરીને અપીલ કરવામાં આવી છે કે તમને બધાને સૂચના અને સાવધાન કરવા છે. વર્તમાનમાં ઘણા લોકો પૂજનીય ગુરુદેવ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજજીના ફોટા, વીડિયો અને ઑડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી મનસ્વી રીતે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે, જે બિલકુલ ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે. સમય-સમય પર અગાઉ પણ અમારા દ્વારા આવી સૂચનાઓ આપવામાં આવી છે. તો આપ સૌને નિવેદન છે કે કોઈ પણ  AIનો ઉપયોગ કરીને પૂજ્ય મહારાજના મનસ્વી રીતે ફોટા, વીડિયો અને ઑડિયો ન બનાવે, ન પ્રભાવિત થાવ, ન સમર્થન આપો અને ન ક્યાંય શેર કરો. માત્ર અમારા અધિકૃત અને વેરિફાઇડ સોશિયલ મીડિયા પરથી પ્રસારિત થતા ફોટા, વીડિયો, ઑડિયો અને સૂચના પર જ વિશ્વાસ કરો. અમે કોઈ પણ અનધિકૃત સોશિયલ મીડિયા પર બનેલી ચેનલ, પેજ હેન્ડલ પરથી પ્રસારિત કરવામાં આવેલી કોઈપણ પ્રકારની જાણકારી ઉત્તરદાયી નહીં રહીએ.

About The Author

Related Posts

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.