પ્રેમાનંદ મહારાજની રાધારાની સાથે તસવીર વાયરલ ન કરતા નહિતર જેલ ભેગા થવું પડશે

છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સંત પ્રેમાનંદના પગ દબાવતા શ્રી રાધારાણીની તસવીરોને લઈને સંત સમુદાયની નારાજગી બાદ સંત પ્રેમાનંદના એક શિષ્યએ મથુરાના સાયબર પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ FIR નોંધાવી છે. સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય ગૌતમ ચિલાનાએ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા રિપોર્ટમાં કહ્યું છે કે, એક અજાણ્યા ઇસમે રાધારાણી અને તેમના ગુરુ શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજનો ફોટો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી બનાવીને ઇન્ટરનેટ મીડિયા પર પ્રસારિત કરી દીધા છે.

premanand-ji-maharaj
facebook.com/groups

 

તેણે વધુમાં કહ્યું કે, આ કૃત્યથી સંત, મહંત અને ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આવું કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કોઈ એવું કરવાનું દુસ્સાહસ ન કરી શકે. સંતના શિષ્યએ પોલીસને એવો પણ ભરોસો અપાવ્યો છે તે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર પ્રસારિત કરવામાં આવી છે તેનું URL પણ જલદી પોલીસને ઉપલબ્ધ કરાવશે. આ તસવીરના મામલે 18 જૂનના રોજ, પરિક્રમા માર્ગ પર સ્થિત ચૈનબિહારી આશ્રમમાં સંતો-મહંતોએ રોષ વ્યક્ત કર્યો અને સંત પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 19 જૂનના રોજ પણ પરિક્રમા માર્ગ પર સ્થિત ગૌતમ ઋષિ આશ્રમમાં સંત સમાજે એક બેઠક કરીને આ ઘટનાની નિંદા કરી હતી. SI મોહિત કુમારને આ માહિતી આપવામાં આવી છે.

premanand-ji-maharaj3
etvbharat.com

 

તો, શ્રી હિત રાધા કેલી કુંજ ટ્રસ્ટ શ્રીધામ તરફથી  એક પત્ર જાહેર કરીને અપીલ કરવામાં આવી છે કે તમને બધાને સૂચના અને સાવધાન કરવા છે. વર્તમાનમાં ઘણા લોકો પૂજનીય ગુરુદેવ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજજીના ફોટા, વીડિયો અને ઑડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી મનસ્વી રીતે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે, જે બિલકુલ ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે. સમય-સમય પર અગાઉ પણ અમારા દ્વારા આવી સૂચનાઓ આપવામાં આવી છે. તો આપ સૌને નિવેદન છે કે કોઈ પણ  AIનો ઉપયોગ કરીને પૂજ્ય મહારાજના મનસ્વી રીતે ફોટા, વીડિયો અને ઑડિયો ન બનાવે, ન પ્રભાવિત થાવ, ન સમર્થન આપો અને ન ક્યાંય શેર કરો. માત્ર અમારા અધિકૃત અને વેરિફાઇડ સોશિયલ મીડિયા પરથી પ્રસારિત થતા ફોટા, વીડિયો, ઑડિયો અને સૂચના પર જ વિશ્વાસ કરો. અમે કોઈ પણ અનધિકૃત સોશિયલ મીડિયા પર બનેલી ચેનલ, પેજ હેન્ડલ પરથી પ્રસારિત કરવામાં આવેલી કોઈપણ પ્રકારની જાણકારી ઉત્તરદાયી નહીં રહીએ.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.