કોંગ્રેસ જોઇન કરવાની જગ્યાએ કૂવામાં કૂદી જઈશ, નીતિન ગડકરીએ સંભળાવ્યો એ કિસ્સો

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ કોંગ્રેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એક વખત એક નેતાએ તેમને કોંગ્રેસમાં સામેલ થવાની સલાહ આપી હતી, જેના પર તેમણે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ પાર્ટીના સભ્ય બનવાની જગ્યાએ કૂવામાં કૂદી જશે. નીતિન ગડકરીએ એવો પણ દાવો કર્યો કે, ભાજપ સરકારે દેશમાં છેલ્લા 9 વર્ષમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની તુલનામાં બેગણું કામ કર્યું છે.

કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે, થોડા દિવસ અગાઉ જ્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં હતા, તો તેમણે લોકોને કહ્યું હતું કે, વર્ષ 2024ના અંત સુધી ઉત્તર પ્રદેશના માર્ગો અમેરિકા જેવા થઈ જશે. શુક્રવારે નીતિન ગડકરી મહારાષ્ટ્રના ભંડારામાં જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમણે નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કામ અને યોજનાઓ ગણાવી. નીતિન ગડકરીએ ભાજપ માટે કામ કરવાના પોતાના શરૂઆતી દિવસોને યાદ કર્યા અને પાર્ટીની યાત્રા બાબતે વાત કરી. તેમણે દિવંગત કોંગ્રેસ નેતા શ્રીકાંત જિચકરના એક ઓફરનો પણ ઉલ્લેખ કર્યો.

નીતિન ગડકરીએ કહ્યું કે, એક વખત જિચકરે મને કહ્યું હતું કે તમે પાર્ટીના ખૂબ સારા કાર્યકર્તા અને નેતા છો. જો તમે કોંગ્રેસમાં સામેલ થાઓ છો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે. આ ઓફર પર નીતિન ગડકરીએ કહ્યું કે, હું કોંગ્રેસમાં સામેલ થવાની જગ્યાએ કૂવામાં કૂદી જઈશ. મને ભાજપ અને તેની વિચારધારા પર પૂરો ભરોસો છે. હું તેના માટે કામ કરતો રહીશ. ગડકરીએ RSSની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)માં પોતાના કામને યાદ કર્યું.

તેમણે યુવા દિવસોમાં મૂલ્યોને સ્થાપિત કરવા માટે RSSના પણ વખાણ કર્યા. મંત્રીએ કોંગ્રેસ બાબતે વાત કરી અને કહ્યું કે, પાર્ટી બન્યા બાદથી તે ઘણી વખત તૂટી ચૂકી છે. આપણે પોતાના દેશના લોકતંત્રના ઇતિહાસને ન ભૂલવો જોઈએ. આપણે  ભવિષ્ય માટે ભૂતકાળથી શીખ લેવી જોઈએ. પોતાના 60 વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો, પરંતુ અંગત લાભ માટે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી. ગડકરીએ ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાના દૃષ્ટિકોણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, દેશના ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. કોંગ્રેસ પોતાના 60 વર્ષના શાસનમાં જેટલું કામ ન કરી શકી, તેનાથી બેગણું કામ ભાજપ સરકારે છેલ્લા 9 વર્ષમાં કર્યું છે.

Related Posts

Top News

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.