નોર્મલ ફટાકડાથી અલગ કેવી રીતે હોય છે ગ્રીન ફટાકડા? શું તેને ફોડતા નીકળે છે ધુમાડો?

દિવાળી એ રોશનીનો તહેવાર છે. આ દિવસે બધા લોકો પોતાના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગારે છે, મીઠાઈઓ વહેંચે છે અને ફટાકડા પણ ફોડે છે. પરંતુ, હવાની ગુણવત્તા અને સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે લોકો હવે ગ્રીન ફટાકડા પસંદ કરી રહ્યા છે. પરંતુ સવાલ ઊઠે છે કે શું ગ્રીન ફટાકડા ફોડવાથી ધુમાડો થતો નથી? ચાલો જાણીએ.

firecrackers1
indianexpress.com

સામાન્ય ફટાકડામાં મોટાભાગે ભારે ધાતુઓ અને ઓક્સિડાઇઝર્સ જેમ કે બેરિયમ નાઇટ્રેટ, સીસાના સંયોજનો, લિથિયમ સાલ્ટ્સ અને બાકી પદાર્થો હોય છે, જે તેજસ્વી રંગો અને તીવ્ર પ્રભાવ પેદા કરે છે, પરંતુ તે સળગાવવામાં આવે ત્યારે ઝેરી અવશેષો પણ છોડે છે. જો કે, ગ્રીન ફટાકડામાં પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઓછા પ્રદૂષણકારી ઓક્સિડાઈઝર અને એલ્યુમિનિયમ જેવા નિયંત્રિત માત્રામાં ઉપયોગ થાય છે.

firecrackers2
hindustantimes.com

ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાની તુલનામાં હાનિકારક વાયુઓ અને કણોના દ્રવ્યને લગભગ 30 થી 35% ઓછા કરે છે. ગ્રીન ફટાકડામાં PM 2.5, PM 10 અને ધાતુનું ઓછું પ્રદૂષણ હોય છે. પરંતુ તે પૂરી રીતે પ્રદૂષણ મુક્ત નથી. એવું માનવામાં આવે છે કે ગ્રીન ફટાકડા ધુમાડો છોડતા નથી, પરંતુ આવું નથી. તે ધુમાડો છોડે છે, પરંતુ તફાવત એ છે કે ગ્રીન ફટાકડા ધૂળ નિરોધક અને પાણી છોડતા ઘટકોથી બનાવવામાં આવે છે જે નજરે પડતા ધુમાડા અને હવામાં ઉપસ્થિત ધૂળને ઓછી કરે છે.

firecrackers
livemint.com

સામાન્ય ફટાકડા ખૂબ મોટો અવાજ કરે છે, પરંતુ ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડા કરતા શાંત રહેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને  તે સામાન્ય ફટાકડાની તુલનમાં ઓછો અવાજ ઉત્પન્ન કરે છે. અસલી ગ્રીન ફટાકડામાં ઓળખ ચિહ્નો હોય છે, ખાસ કરીને CSIR-NEERI લોગો અને QR કોડ. તમે આ કોડ સ્કેન કરીને પ્રમાણિકતા ચકાસી શકો છો. ગ્રીન ફટાકડાના 3 પ્રકાર છે: સેફ પાણી છોડનારા, સેફ થર્માઇટ ફટાકડા અને સેફ મિનિમલ એલ્યુમિનિયમ. દરેક પ્રકાર પર્યાવરણને પ્રદૂષણથી બચાવવામાં મદદ કરે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.