- Politics
- ભાજપનો જૂથવાદ કે સંકલનનો અભાવ? બે મંત્રીઓએ અલગ-અલગ સમયે એક જ અટલ લાઇબ્રેરીનું કર્યું ઉદ્ઘાટન
ભાજપનો જૂથવાદ કે સંકલનનો અભાવ? બે મંત્રીઓએ અલગ-અલગ સમયે એક જ અટલ લાઇબ્રેરીનું કર્યું ઉદ્ઘાટન
ફરીદાબાદમાં અટલ બિહારી વાજપેયીની યાદમાં બનેલી લાઇબ્રેરીનું એક જ દિવસે બે વાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને બંને વખત અલગ-અલગ મંત્રીઓએ રિબન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટનો વચ્ચે ફક્ત અઢી કલાકનું અંતર હતું. આ ઘટનાએ ન માત્ર સ્થાનિક રાજકારણમાં જ ખળભળાટ મચાવ્યો છે, પરંતુ પર સવાલ ઊભા કરી દીધા છે કે, પાર્ટીની અંદર સંકલનનો અભાવ સાર્વજનિક મંચો પર પણ જોવા મળી રહ્યો છે.
રવિવારે સવારે, ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ સુરેન્દ્ર નાગર ફરીદાબાદ પહોંચ્યા. તેમની સાથે હરિયાણાના કેબિનેટ મંત્રી વિપુલ ગોયલ અને ખાદ્ય મંત્રી રાજેશ નાગર પણ હતા. સૌથી પહેલા ત્રણેય નેતાઓ સેક્ટર-16 સ્થિત મંત્રી વિપુલ ગોયલના કાર્યાલય પહોંચ્યા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નો અંતિમ એપિસોડ સાંભળ્યો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, બપોરે લગભગ 12:30 વાગ્યે સાંસદ સુરેન્દ્ર નાગર, મંત્રી વિપુલ ગોયલ અને મંત્રી રાજેશ નાગર સેક્ટર-12 સ્થિત ટાઉન પાર્ક પહોંચ્યા. અટલ બિહારી વાજપેયીની યાદમાં HSIIDC દ્વારા બનાવવામાં આવેલી લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી હતી. સ્ટેજને શણગારવામાં આવ્યું હતું, રિબન લગાવવામાં આવી હતી અને બોર્ડ પર ઘણા નેતાઓના નામ લખવામાં આવ્યા હતા. ત્રણેય નેતાઓએ સ્થળ પર રિબન કાપીને પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું. ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા, કાર્યકરોએ તાળીઓ પાડી અને કાર્યક્રમને સત્તાવાર રીતે પૂર્ણ માની લેવામાં આવ્યો.
જોકે, કહાની ત્યાં જ સમાપ્ત ન થઈ. પુસ્તકાલયના ઉદ્ઘાટનના લગભગ અઢી કલાક બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ ગુર્જર તેમના સમર્થકો અને ધારાસભ્યો સાથે ટાઉન પાર્ક પહોંચ્યા. તેમની સાથે બડખલના ધારાસભ્ય ધનેશ અદાલખા, NITના ધારાસભ્ય સતીશ ફાગના, હોડલના ધારાસભ્ય સતીશ ફાગના, ફરીદાબાદના મેયર પ્રવીણ બત્રા, ભાજપ જિલ્લા અધ્યક્ષ પંકજ પૂજન રામપાલ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
કૃષ્ણ પાલ ગુર્જરના આગમન પહેલાં પુસ્તકાલય પરિસર ફરીથી તૈયાર કરવામાં આવ્યું હતું. એક નવી રિબન લગાવવામાં આવી હતી, ઇમારતમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી, અને વાતાવરણ એવું બનાવવામાં આવ્યું હતું કે જાણે ઉદ્ઘાટન થવાનું હજુ બાકી હોય. ત્યારબાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ ગુર્જરે ફરીથી રિબન કાપીને તે જ પુસ્તકાલયનું રિબિન કાપીને શુભારંભ કરાવ્યો કર્યું. તેમના નામવાળા ઉદ્ઘાટન બોર્ડની સામે ધારાસભ્યો સાથે ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર રહેલા લોકો હેરાન રહી ગયા હતા.
આ સમગ્ર ઘટનામાં ઉદ્ઘાટન બોર્ડ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું. પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે લગાવવામાં આવેલા બોર્ડમાં મુખ્ય અતિથીના રૂપમાં કેન્દ્રીય રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જરનું નામ અંકિત હતું. તેની નીચે કેબિનેટ મંત્રી વિપુલ ગોયલ, ખાદ્ય મંત્રી રાજેશ નાગર, રાજ્યસભાના સાંસદ સુરેન્દ્ર નાગર અને મંત્રી રાવ નરબીરના નામ પણ હતા. પહેલા ઉદ્ઘાટન દરમિયાન મંત્રી વિપુલ ગોયલે સાંસદ સુરેન્દ્ર નાગર સાથે, બોર્ડ પર ઢંકાયેલું કપડું દૂર કર્યું અને બોર્ડની સામે ફોટોગ્રાફી કરાવી. ત્યારબાદ રિબિન કાપવામાં આવી.
જ્યારે આ સમગ્ર ઘટનાક્રમને લઈને કેબિનેટ મંત્રી વિપુલ ગોયલને સવાલ કરવામાં આવ્યો તો તેમણે બહેસ ન વધે તે માટેનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે તેમને આવી કોઈ વાતની જાણકારી નથી. જેએસ ઉદ્ઘાટન થવાનું હતું તે થઈ ગયું છે. કોણ શું કરી રહ્યું છે, તેની તેમને જાણ નહોતી. તેમણે એમ પણ કહ્યું કે, પ્રોટોકોલ મુજબ, બધા નેતાઓના નામ બોર્ડ પર હતા, અને કોઈ ખેંચતાણ નહોતી. બધા લોકો સ્થળ પર હાજર હતા, અને કાર્યક્રમ સામાન્ય રીતે સંપન્ન થયો.
બીજી તરફ, કેન્દ્રીય રાજ્યમંત્રી કૃષ્ણ પાલ ગુર્જરે સ્પષ્ટતા કરી કે તેઓ વિભાગીય માહિતીના આધારે સમયસર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, તેમને જાણ કરવામાં આવી હતી કે પુસ્તકાલયનું ઉદ્ઘાટન તેમના હાથે કરવામાં આવશે. કૃષ્ણ પાલ ગુર્જરના જણાવ્યા મુજબ, તેમનું નામ વિભાગ દ્વારા સ્થાપિત ઉદ્ઘાટન પથ્થર પર પણ નોંધાયેલું છે. એવામાં, તેઓ સમયસર પહોંચ્યા અને તેમની જવાબદારી નિભાવી. તે પહેલાં શું થયું તેની તેમને કોઈ જાણકારી નથી, અને તેના માટે સંબંધિત લોકોને જ સવાલ કરવો જોઈએ.

