મુંબઈમાં ભાજપે શિંદેને સાઇડલાઇન કર્યા? આ પાર્ટી સાથે થઈ શકે છે મોટું ગઠબંધન

મુંબઈમાં મેયરપદની ચૂંટણી અગાઉ ફરી એકવાર મોટા ઉથલપાથલની અટકળો તેજ થઈ ગઈ છે. એવી ચર્ચા છે કે શિવસેના (UBT) બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં ભાજપને સમર્થન આપી શકે છે. માનવમાં આવી રહ્યું છે કે, આનો હેતુ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને રાજકીય રીતે અલગ પાડવાનો છે, જેઓ સતત ભાજપ પર મુંબઈના મેયર પદ તેમના જૂથને આપવા માટે દબાણ કરી રહ્યા છે.

આ રાજકીય હિલચાલને ત્યારે વધુ વેગ મળ્યો, જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેની 100મી જન્મજયંતિ નિમિત્તે સોશિયલ મીડિયા પર એક મહત્ત્વપૂર્ણ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ બાદ, ભાજપ, શિવસેના (UBT) અને MNS વચ્ચે સહયોગની શક્યતા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

Raj-Thackeray
thefederal.com

MNSના પ્રમુખ રાજ ઠાકરેએ તેમની પોસ્ટમાં રાજકીય સુગમતાનો સંકેત આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘બાળાસાહેબને પણ રાજકારણમાં ઘણી વખત લચીલું વલણ અપનાવવું પડ્યું, પરંતુ મરાઠી લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં, પરંતુ વધુ મજબૂત થયું. આ જ સંસ્કાર અમને મળ્યા છે. જો બદલાયેલા રાજકારણમાં મને ક્યારેય થોડું લચીલું વલણ અપનાવવું પડે, તો તે ક્યારેય અંગત સ્વાર્થ કે લાભ માટે નહીં હોય.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શિવસેના (UBT) ફ્લોર ટેસ્ટ દરમિયાન ગેરહાજર રહી શકે છે. જો આવું થાય છે, તો ભાજપ માટે મેયર પદ સાથે-સાથે સ્ટેન્ડિંગ કમિટી અને ઇમ્પ્રૂવમેન્ટ કમિટી જેવા મહત્ત્વના પદો કબજે કરવાનું સરળ બની શકે છે. અહેવાલો અનુસાર, રાજ ઠાકરે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે, અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ આ જ દિશામાં સંકેત આપે છે.

smuggling
aninews.in

શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાર્ટી ભાજપ સાથે જવા પર વિચારી કરી શકે છે, પરંતુ કોઈપણ સંજોગોમાં એકનાથ શિંદેની શિવસેના સાથે કોઈ સમાધાન નહીં થાય. રાઉતે શિંદેને ગદ્દાર ગણાવતા કહ્યું કે, ગદ્દારો સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં. તેમણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિંદે જૂથ સાથે MNSના ગઠબંધન પર પણ નારાજગી વ્યક્ત કરી.

હાલના BMC આંકડાઓ પર નજર કરીએ તો, 227 સભ્યોના ગૃહમાં 89 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. શિવસેના (UBT)ને 66 બેઠકો મેળવી છે, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 29 બેઠકો અને કોંગ્રેસને 21 બેઠકો મળી છે. સત્તા માટે જરૂરી બહુમતી 114 છે, જે કોઈ એક પાર્ટી પાસે નથી.

About The Author

Related Posts

Top News

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.