મુંબઈમાં ભાજપે શિંદેને સાઇડલાઇન કર્યા? આ પાર્ટી સાથે થઈ શકે છે મોટું ગઠબંધન

મુંબઈમાં મેયરપદની ચૂંટણી અગાઉ ફરી એકવાર મોટા ઉથલપાથલની અટકળો તેજ થઈ ગઈ છે. એવી ચર્ચા છે કે શિવસેના (UBT) બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં ભાજપને સમર્થન આપી શકે છે. માનવમાં આવી રહ્યું છે કે, આનો હેતુ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને રાજકીય રીતે અલગ પાડવાનો છે, જેઓ સતત ભાજપ પર મુંબઈના મેયર પદ તેમના જૂથને આપવા માટે દબાણ કરી રહ્યા છે.

આ રાજકીય હિલચાલને ત્યારે વધુ વેગ મળ્યો, જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેની 100મી જન્મજયંતિ નિમિત્તે સોશિયલ મીડિયા પર એક મહત્ત્વપૂર્ણ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ બાદ, ભાજપ, શિવસેના (UBT) અને MNS વચ્ચે સહયોગની શક્યતા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

Raj-Thackeray
thefederal.com

MNSના પ્રમુખ રાજ ઠાકરેએ તેમની પોસ્ટમાં રાજકીય સુગમતાનો સંકેત આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘બાળાસાહેબને પણ રાજકારણમાં ઘણી વખત લચીલું વલણ અપનાવવું પડ્યું, પરંતુ મરાઠી લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં, પરંતુ વધુ મજબૂત થયું. આ જ સંસ્કાર અમને મળ્યા છે. જો બદલાયેલા રાજકારણમાં મને ક્યારેય થોડું લચીલું વલણ અપનાવવું પડે, તો તે ક્યારેય અંગત સ્વાર્થ કે લાભ માટે નહીં હોય.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શિવસેના (UBT) ફ્લોર ટેસ્ટ દરમિયાન ગેરહાજર રહી શકે છે. જો આવું થાય છે, તો ભાજપ માટે મેયર પદ સાથે-સાથે સ્ટેન્ડિંગ કમિટી અને ઇમ્પ્રૂવમેન્ટ કમિટી જેવા મહત્ત્વના પદો કબજે કરવાનું સરળ બની શકે છે. અહેવાલો અનુસાર, રાજ ઠાકરે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે, અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ આ જ દિશામાં સંકેત આપે છે.

smuggling
aninews.in

શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાર્ટી ભાજપ સાથે જવા પર વિચારી કરી શકે છે, પરંતુ કોઈપણ સંજોગોમાં એકનાથ શિંદેની શિવસેના સાથે કોઈ સમાધાન નહીં થાય. રાઉતે શિંદેને ગદ્દાર ગણાવતા કહ્યું કે, ગદ્દારો સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં. તેમણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિંદે જૂથ સાથે MNSના ગઠબંધન પર પણ નારાજગી વ્યક્ત કરી.

હાલના BMC આંકડાઓ પર નજર કરીએ તો, 227 સભ્યોના ગૃહમાં 89 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. શિવસેના (UBT)ને 66 બેઠકો મેળવી છે, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 29 બેઠકો અને કોંગ્રેસને 21 બેઠકો મળી છે. સત્તા માટે જરૂરી બહુમતી 114 છે, જે કોઈ એક પાર્ટી પાસે નથી.

About The Author

Related Posts

Top News

રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

જાન્યુઆરી 2026માં, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)નો કેમ્પ પ્રજાસત્તાક દિવસથી રાજધાની દિલ્હીમાં શરૂ થયો. આ કેમ્પ દર...
National 
રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 2 દાયકાની તૂટક-તૂટક વાટાઘાટો બાદ, ...
Business 
90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે...
National 
બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.