કેનેડાની વેપાર મંત્રીની ભારત મુલાકાત સ્થગિત, શું બંને દેશો વચ્ચે ચિંતા વધી છે?

કેનેડાની વેપાર મંત્રી મેરી એનજીએ પોતાના ભારત વ્યાપાર મિશનને સ્થગિત કરી દીધું છે. વેપાર મંત્રીનું આ ટ્રેડ મિશન ઓક્ટોબર મહિનામાં આયોજિત હતું. મીડિયા અહેવાલોમાં કેનેડાના આ પગલાંને ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા રાજકીય સબંધોમાં વધી રહેલા તનાવ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.જો કે મેરી એનજીની પ્રવક્તા શાંતિ કોસેટિનોએ અત્યારે સ્થગિત વિશેનું કોઇ કારણ જણાવ્યું નથી.પ્રવકતાએ મેરી એનજીની ભારત યાત્રા સ્થગિતની માહિતી 15 સપ્ટેમ્બરે આપી હતી.

મેરી એનજીની પ્રવક્કતા શાંતિ કોસેટિનોએ જણાવ્યું હતું કે, આ સમય, અમે ભારતમાં આવનારા વેપાર મિશનને સ્થગિત કરી રહ્યા છે.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં આ કથિત તિરાડ G20 સમિટ દરમિયાન શરૂ થઈ હતી. આ સમિટમાં, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. પરંતુ તેમણે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે માત્ર એક ટૂંકી, અનૌપચારિક બેઠક યોજી હતી.

પંજાબ પછી કેનેડામાં શીખોની સૌથી વધુ વસ્તી છે. ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં અનેક પ્રદર્શનો કર્યા હતા, જેનો ભારતે વિરોધ કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે બંને દેશોના વડાપ્રધાનોની બેઠક બાદ કહ્યું હતું કે, "તેઓ અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે. રાજદ્વારી પરિસરોને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમજ કેનેડામાં ભારતીય સમુદાય અને ધાર્મિક સ્થળોને ધમકી આપી રહ્યા છે.

તો કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન કુડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કેનેડા હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતા, અંતરાત્માની સ્વતંત્રતા અને શાંતિપૂર્વક વિરોધ કરવાની સ્વતંત્રતાનું રક્ષણ કરશે. આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને અમે હંમેશા હિંસા અને નફરતને રોકવા માટે અહીં છીએ. આપણે યાદ રાખીએ કે કેટલાક લોકોના કામ સમગ્ર સમુદાય કે કેનેડાનું પ્રતિનિધિત્વ કરતા નથી.

કેનેડાના મીડિયાએ જસ્ટિન ટુડોની ભારત યાત્રાને નિષ્ફળતા તરીકે બતાવી હતી. કેનેડાના અખબાર ધ ટોરેન્ટો સને પોતાના એક લેખમાં લખ્યું હતું કે, વડાપ્રધાન બન્યા પછી 2018 માં ટ્રુડોની ભારતની પ્રથમ મુલાકાત સંપૂર્ણ આપત્તિ હતી, જેમાં એક દોષિત આતંકવાદીને તેમની સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવાનો સમાવેશ થાય છે. આ વખતે ટ્રુડો G20માં ગયા અને ભારત સાથેના સંબંધો બગડ્યા, જ્યારે કેનેડાને મુખ્ય સહયોગી દેશોથી પણ દૂર કર્યા.

હવે એવી અટકળો વહેતી થઇ છે કે આ અણબનાવને કારણે વેપાર મંત્રી મેરી એનજીએ તેમનો ભારત પ્રવાસ સ્થગિત કરી દીધો છે. ભારતે પણ આનો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે તેણે કેનેડા સાથેની વેપાર વાટાઘાટો પર રોક લગાવી દીધી છે

આ પહેલા, કેનેડાએ સપ્ટેમ્બરની શરૂઆતમાં કહ્યું હતું કે આ નિયંત્રણો તેની સ્થિતિનો અભ્યાસ કરવા માટે જરૂરી છે. લગભગ 4 મહિના પહેલા બંને દેશોએ આ વર્ષે વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની વાત કરી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.