ચૂંટણી પંચના પત્ર પર 'ભાજપની મહોર’થી રાજકીય વર્તુળોમાં ખળભળાટ, વિવાદ ઊભો થતા કેરળના CEOએ આપી સ્પષ્ટતા

કેરળમાં સોમવાર (23 માર્ચ)ના રોજ ત્યારે રાજકીય વિવાદ ઊભો થઈ ગયો, જ્યારે ભારતીય ચૂંટણી પંચ (ECI)ના એક પત્ર પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્ય એકમની મહોર મળી આવી હતી. ત્યારબાદ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી- CPI(M) અને કોંગ્રેસ પાર્ટીએ તીખી પ્રતિક્રિયાઓ આપી છે. આ ઘટનાક્રમ પર કેરળ ચૂંટણી પંચે પ્રતિક્રિયા પણ આપી છે.

election-commission-of-india1
sabrangindia.in

આ વિવાદ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે CPI(M)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુદ્દો ઉઠાવ્યો. તેણે 19 માર્ચ, 2019ના રોજ દેશના રાજકીય પક્ષોને મોકલવામાં આવેલા એક પત્ર સાથે જોડાયેલ એક સોગંદનામું શેર કર્યું. તેના પર ચૂંટણી પંચની સત્તાવાર સીલને બદલે કેરળ ભાજપની મહોર હતી. આ બાબત પર કડક પ્રતિક્રિયા આપતા CPI(M)એ કહ્યું કે, ‘શું ભાજપે હવે બધા ઢોંગ છોડી દીધા છે?’

CPI(M)એ વધુમાં કહ્યું કે, ‘આ કોઈ રહસ્ય નથી કે એક જ શક્તિ કેન્દ્ર, ભારતીય ચૂંટણી પંચ અને ભાજપ બંનેને નિયંત્રિત કરે છે તેવું પ્રતીત થાય છે. તેમ છતા ઓછામાં ઓછું બે અલગ ડેસ્ક હોવાની ઔપચારિકતા જાળવી રાખો. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, ‘મહોર આ જ રીતે બદલવામાં આવી રહી છે. ચૂંટણી પંચના પત્ર પર ભાજપની મહોર! તેણે આગળ ટિપ્પણી કરી કે, ‘જૂના આરોપની જેમ કે તમે ગમે તે બટન દબાવો, 'કમળ' જ દેખાય છે, હવે આવો જ બીજો સંયોગ સામે આવ્યો છે.

CPI(M)એ દાવો કર્યો કે, આ દસ્તાવેજ અનેક રાજકીય પક્ષોને પ્રાપ્ત થયો હતો. ઓછામાં ઓછા બે પ્રાપ્તકર્તાઓ સાથે તેનું ક્રોસ-વેરિફાઇ કરવામાં આવ્યું હતું. પાર્ટીએ એમ પણ કહ્યું કે આ ઇ-મેઇલ કમિશનના સત્તાવાર સ્ત્રોત દ્વારા મોકલવામાં આવ્યો હતો.

કેરળના CEOની સ્પષ્ટતા

આ વિવાદનો જવાબ આપતા કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ એક સત્તાવાર નિવેદન જાહેર કરતા કહ્યું કે, ‘અમારા ધ્યાનમાં આવ્યું છે કે ચૂંટણી પંચ તરફથી ભાજપની મહોર ધરાવતો એક પત્ર વિવિધ મલયાલમ સમાચાર ચેનલો પર પ્રસારિત થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની કચેરી સ્પષ્ટતા કરે છે કે આ સંપૂર્ણપણે એક કારકુની ભૂલ હતી, જેને તાત્કાલિક સુધારવામાં આવી હતી.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ભૂલભરેલા દસ્તાવેજની વાપસીની નોટિસ તમામ રાજકીય પક્ષો, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય એક નિવેદનમાં કેરળ ચૂંટણી પંચે કહ્યું કે, ‘આ બાબતે જાહેર કરાયેલ સ્પષ્ટતાને ધ્યાનમાં રાખીને, મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં સંબંધિત ફાઇલ સંભાળતા સહાયક વિભાગ અધિકારી (ASO)ને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Sariya-Price3
indiamart.com

કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી રતન યુ. કેલકરે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભાજપની મહોરનો સમાવેશ થવો સંપૂર્ણપણે 'કારકુની ભૂલ' હતી. ભાજપના કેરળ એકમે તાજેતરમાં જ કાર્યાલયનો સંપર્ક કરીને ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળ અંગે 2019ની માર્ગદર્શિકા અંગે સ્પષ્ટતા માંગી હતી.

About The Author

Related Posts

Top News

સરકારનો મોટો નિર્ણય: જ્યાં PNG પાઈપલાઈન હશે ત્યાં 3 મહિનામાં LPG સિલિન્ડર કનેક્શન કાપી નાખવામાં આવશે

દેશમાં ગેસ નેટવર્કનો વ્યાપ વધારવા અને ઇંધણ માટે એક જ સ્ત્રોત પરની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્ર સરકારે એક પોલિસી જાહેર...
National 
સરકારનો મોટો નિર્ણય: જ્યાં PNG પાઈપલાઈન હશે ત્યાં 3 મહિનામાં LPG સિલિન્ડર કનેક્શન કાપી નાખવામાં આવશે

ગોપાલ ઇટાલિયાએ DyCM હર્ષ સંઘવીને લઈને એવો શું દાવો કર્યો હતો કે વિધાનસભામાં માફી માંગવી પડી?

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન ભારે ડ્રામેબાજી જોવા મળી હતી. આમ આદમી પાર્ટી (...
Gujarat 
ગોપાલ ઇટાલિયાએ DyCM હર્ષ સંઘવીને લઈને એવો શું દાવો કર્યો હતો કે વિધાનસભામાં માફી માંગવી પડી?

રાજકોટમાં મંત્ર થેરાપી દરબારમાં 750થી વધુ લોકો જોડાયા

રાજકોટ (ગુજરાત) [ભારત], માર્ચ 25: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ॐઋષિ સ્વામીજી "ૐ ગુરુ" દ્વારા રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મંત્ર...
Gujarat 
રાજકોટમાં મંત્ર થેરાપી દરબારમાં 750થી વધુ લોકો જોડાયા

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

હજીરા – સુરત, માર્ચ 23, 2026: આજનો દિવસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બન્યો છે, કારણ કે...
Gujarat 
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.