કંગના રણૌતે રાજકારણમાં પોતાની ક્ષમતા પર શંકા હોવાની વાત સ્વીકારી

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રણૌત ભલે પોતાના નીડર વિચારો અને સ્પષ્ટવક્તા વ્યક્તિત્વ માટે જાણીતી હોય, પરંતુ ભાજપના  આ સાંસદે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે રાજકારણમાં પોતાની નવી ભૂમિકા ભજવતી વખતે તેને પણ આત્મ-શંકા  અને અસુરક્ષાની લાગણીનો અનુભવ થાય છે.

મીડિયાએ કંગનાને સવાલ પૂછ્યો કે તે અવારનવાર હિંમત અને બહાદુરી વિશે વાતો કરે છે, તેમ છતાં શું એવી કોઈ વસ્તુ છે જેનાથી તેને ડર લાગતો હોય? આ સવાલના જવાબમાં કંગનાએ કહ્યું કે ડર હંમેશા નાટ્યાત્મક કે જીવન કરતાં મોટો  નથી હોતો, પરંતુ તે ઘણીવાર રોજબરોજની શંકાઓ અને અસુરક્ષાના સ્વરૂપમાં સામે આવે છે.

kangana2

કંગનાએ જણાવ્યું હતું કે, ‘તમને કોઈ પણ વસ્તુ ડરાવી શકે છે. તે કોઈ બહુ મોટો કે કલ્પના બહારનો ડર નથી હોતો. પરંતુ નાની-નાની બાબતો જેમ કે, 'શું હું આ કામ માટે પૂરતી યોગ્ય સાબિત થઈશ?' તેવો ડર હોઈ શકે છે.’

અભિનેત્રીએ સમજાવ્યું કે રાજકારણમાં પ્રવેશવાને કારણે તેમની સામે નવા પડકારો, અસુરક્ષાઓ અને આત્મ-મંથનની ક્ષણો આવી છે. મંડી બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચેલા કંગનાએ સ્વીકાર્યું કે, તેઓ વારંવાર પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે શું તેઓ તેમના નવા પદ સાથે જોડાયેલી અપેક્ષાઓ પર ખરા ઉતરી રહ્યા છે કે નહીં.

પોતાના અનુભવો શેર કરતાં તેમણે કહ્યું, ‘ખાસ કરીને રાજકારણી તરીકેની મારી આ નવી નોકરીમાં, મારે કઈ રીતે રહેવું જોઈએ તે સાચો રસ્તો કયો છે? શું હું હજી પણ વધુ પડતી અભિનેત્રી જેવી લાગું છું? શું હું વધારે પડતો મેકઅપ કે પોશાક કરું છું? જો હું સ્લીવલેસ (બાય વગરના કપડાં) પહેરું તો શું તે યોગ્ય ગણાશે? શું લોકો મારા વિશે કોઈ ખોટો અભિપ્રાય બાંધી રહ્યા છે?’

કંગનાએ જણાવ્યું કે તેઓ વારંવાર એવું વિચારતા હોય છે કે શું તેઓ પોતાની જાતને યોગ્ય રીતે રજૂ કરી રહ્યા છે અને એક જનપ્રતિનિધિ તરીકે લોકો તેમની પાસે જે અપેક્ષા રાખે છે તે માપદંડોને તેઓ પૂરા કરી શકે છે કે નહીં.

તેમણે ઉમેર્યું, ‘અથવા શું હું પૂરતી સારી સાબિત થઈ રહી છું? શું આ રીતે રહેવું યોગ્ય છે? અથવા શું હું હજી પણ લોકોની નજરમાં એક હિરોઈન તરીકે જ વધુ દેખાઈ રહી છું?’

સમાજમાં પોતાની મજબૂત અને દબંગ છબી હોવા છતાં, કંગનાએ સ્વીકાર્યું કે જ્યારે તેઓ એક કલાકાર અને એક રાજકારણી તરીકેની પોતાની બંને ઓળખ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ પ્રકારના આંતરિક પ્રશ્નો તેમની સફરનો એક ભાગ બની રહે છે.

તેમણે કહ્યું, ‘તેથી, દેખીતી રીતે જ એવા ઘણા ડર અથવા શંકાઓ છે જે કોઈપણ વ્યક્તિને રોજિંદા ધોરણે થઈ શકે છે. કદાચ કોઈ એક મોટો ડર મનમાં લાંબો સમય ન ટકે, પરંતુ રોજબરોજના જીવનમાં તમને ઘણી શંકાઓ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમે કોઈ તદ્દન નવા ક્ષેત્રમાં પ્રવેશ્યા હોવ.’

kangana

તેમની આ ટિપ્પણીઓ તેમની આત્મવિશ્વાસથી ભરેલી જાહેર છબી પાછળ છુપાયેલી વ્યક્તિગત અનિશ્ચિતતાઓની એક દુર્લભ ઝાંખી કરાવે છે, અને સાથે જ એ બાબત પર પ્રકાશ પાડે છે કે મનોરંજન જગતમાંથી જાહેર સેવામાં આવવું કેટલું પડકારજનક હોઈ શકે છે.

About The Author

Related Posts

Top News

શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

ઉદ્યોગપતિ અનિલ અંબાણીને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેંક...
Business 
શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

કોંગ્રેસ પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે થનારી વિલીનીકરણ અંગેની અટકળોને ફગાવી દીધી છે, અને આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા...
National 
'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

મધ્યપ્રદેશના 'મિનિ મુંબઈ' ગણાતા ઇન્દોરમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર સામે એક મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. લોકાયુક્તની ટીમે મહિલા...
National 
જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજના આજે સમાજના હજારો પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આશા, સુરક્ષા...
Gujarat 
સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.