માલદીવના નવા રાષ્ટ્રપતિએ ભારતીય દૂતને પહેલી જ મુલાકાતમાં દેખાડ્યા તેવર

ભારત વિરોધી વલણ અપનાવીને માલદીવના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલા મોહમ્મદ મુઇજ્જુએ ફરી એક વખત પોતાના તેવર દેખાડ્યા છે. બુધવારે માલદીવમાં ભારતના ઉચ્ચાયુક્ત મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ કહ્યું કે, માલદીવે નિર્ણય લીધો છે કે તે પોતાની સંપ્રભુતાની રક્ષા કરશે અને મને આશા છે કે, ભારત આ નિર્ણયનું સન્માન કરશે. ચૂંટણી જીતવાના એક દિવસ બાદ જ તેમણે જાહેરાત કરી હતી કે, વિદેશી સૈનિકોએ માલદીવથી બહાર જતું રહેવું જોઈએ.

મોહમ્મદ મુઇજ્જુનો સીધો ઈશારો ભારતીય સેના તરફ હતો. ભારતના 75 સૈન્ય અધિકારી માલદીવમાં રહે છે, જે ભારતીય એરક્રાફ્ટનું સંચાલન અને દેખરેખ કરે છે. માલદીવમાં ભારતના ઉચ્ચાયુક્ત મુનુ મુહાવરે બુધવારે માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇજ્જુ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ મુનુ મુહાવરે કહ્યું હતું કે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સાથે મળીને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છા આપી છે. મુનુ મુહાવર ત્રીજા ઉચ્ચાયુક્ત છે, જેમણે માલદીવના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે.

આ અગાઉ બ્રિટિશ ઉચ્ચાયુક્ત કેરન રોહસ્લ અને ચીની રાજદૂત વાંગ લિક્સિને તેમની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ કહ્યું કે, ‘મને આશા છે કે સંપ્રભુતાના સન્માનના સિદ્ધાંતોના આધાર પર આપણે માલદીવ અને ભારતના સંબંધો નવી રીતે સ્થાપિત કરીને બંને દેશો વચ્ચે સંબંધોને નવી ઊંચાઇઓ સુધી પહોંચાડવામાં સફળ રહીશું. માલદીવે નિર્ણય લીધો છે કે તે પોતાની સંપ્રભુતાની રક્ષા કરશે અને આશા છે કે ભારત આ નિર્ણયનું સન્માન કરશે.

એ સિવાય માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુએ મોહમ્મદ સોહિલ સરકાર દ્વારા ભારત માટે લોનના પુનર્ગઠનની પણ આશા વ્યક્ત કરી છે. ભારતના ઉચ્ચાયુક્ત મુહવારે પણ ભારત-માલદીવના સંબંધોને વધારવા અને માલદીવના વિકાસમાં ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. વર્ષ 2018માં માલદીવમાં મોહમ્મદ સોહિલની સરકાર બન્યા બાદથી ભારતે ‘નેબરહૂડ ફર્સ્ટ નીતિ’ હેઠળ માલદીવની ઘણી પરિયોજનાઓ માટે ભારે મદદ કરી છે. માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામને ભારત માટે એક પ્રકારના ઝટકા તરીકે જોવામાં આવે છે.

માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુએ ગયા વર્ષે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ સાથે એક બેઠકમાં કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં વાપસી કરે છે તો બંને દેશો (ચીન-માલદીવ) વચ્ચે સંબંધોમાં વધુ એક અધ્યાય જોડાશે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને મોહમ્મદ મુઇજ્જુના રાજનીતિક ગુરુના રૂપમાં જોવામાં આવે છે. અબ્દુલ્લા યામીનના કાર્યકાળ દરમિયાન માલદીવે નિર્માણ પરિયોજનાઓ માટે ભારતના અનુરોધને ઠુકરવતા ચીન પાસે ખૂબ ઉધાર લીધું હતું.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.