BJPના કાર્યકર્તાઓએ ભરબજારમાં કોંગ્રેસના કાર્યકર્તાને પહેરાવી સાડી; વીડિયો વાયરલ

મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવાદાસ્પદ સાડી પહેરેલી તસવીર પોસ્ટ કર્યા બાદ કોંગ્રેસના એક નેતાને બળજબરીથી સાડી પહેરાવી દીધી. કોંગ્રેસના આ નેતાનું નામ મામા પગારે છે, જેમને કલ્યાણ જિલ્લાના ભાજપના પદાધિકારીઓએ સાડી પહેરાવી. મામા પગારેએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાડી પહેરેલી આપત્તિજનક તસવીર પોસ્ટ કરી હતી, જેનાથી ભાજપ કાર્યકરો ગુસ્સે થયા હતા.

BJP-Workers1
bhaskarenglish.in

ભાજપના પદાધિકારીઓએ ચેતવણી આપી કે તેમના નેતાઓને લઈને આવી હરકત કરનારાઓની આવી જ હાલત થશે. ભાજપ કલ્યાણ જિલ્લા પ્રમુખ નંદુ પરબ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમણે કોંગ્રેસ નેતાના કાર્યોની સખત નિંદા કરી હતી. પરબે ચેતવણી આપી હતી કે વડાપ્રધાનની આવી આપત્તિજનક તસવીર પોસ્ટ કરવી ન માત્ર અપમાનજનક છે, પરંતુ અસ્વીકાર્ય પણ છે. જો અમારા નેતાઓને બદનામ કરવાના આવા પ્રયાસો ફરીથી કરવામાં આવશે, તો ભાજપ વધુ કડક જવાબ આપશે.

આ દરમિયાન 72 વર્ષીય કોંગ્રેસ નેતા મામા પગારેએ કહ્યું કે, ‘મેં માત્ર ફેસબુક પોસ્ટને રીપોસ્ટ પોસ્ટ/ફોરવર્ડ કરી હતી. મંગળવારે હું થોડું કામ પૂરું કરીને હોસ્પિટલથી નીકળી રહ્યો હતો ત્યારે લગભગ 10-12 ભાજપના સભ્યોએ મને ઘેરી લીધો હતો. ભાજપના નેતાઓએ કહ્યું કે, ‘તમારી હિંમત કેવી રીતે થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે બોલવાની? તેમણે મારી સાથે જે કર્યું તેનાથી હું આઘાતમાં છું. મારી ઉંમર 72 વર્ષ છે અને મારી તબિયત પણ ખરાબ રહે છે. હું આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરીશ. તેમણે મારા સમગ્ર સમુદાયનું અપમાન કર્યું છે. તેમના પર એટ્રોસિટી એક્ટ લાગવો જોઈએ.

BJP-Workers2
ndtv.in

કોંગ્રેસે ભાજપની પ્રતિક્રિયાની આકરી ટીકા કરી છે. કલ્યાણ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ સચિન પોટેએ કહ્યું કે, પગારે 73 વર્ષીય વરિષ્ઠ પાર્ટીના કાર્યકર છે. જો તેમણે કોઇ અપમાનજનક પોસ્ટ કરી હતી, તો ભાજપના સભ્યોએ તેમને ગેરમાર્ગે દોરવા અને પછી તેમને બળજબરીપૂર્વક સાડી પહેરાવવા બદલે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈતી હતી. આ કૃત્ય અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો છે. ભાજપના સમર્થકો ઘણીવાર કોંગ્રેસના ટોચના નેતાઓ વિરુદ્ધ અપમાનજનક સામગ્રી પોસ્ટ કરે છે, પરંતુ તેમણે તેમના જેવું વર્તન કર્યું નથી. અમે માગ કરીએ છીએ કે પોલીસ આ ઘટનામાં સામેલ લોકો સામે યોગ્ય કાર્યવાહી કરે.

About The Author

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.