મણિપુરની હિંસાનો મુદ્દો બ્રિટનની સંસદમાં, સાંસદે કહ્યું- હુમલાઓમાં ધર્મ મોટું...

મણિપુરમાં બે સમુદાયો વચ્ચે 3 મેથી શરૂ થયેલી હિંસા હજુ પણ ચાલું છે. આ દરમિયાન હવે મણિપુરનો મુદ્દો બ્રિટનની સાંસદમાં પણ ગૂંજ્યો છે. બ્રિટનના મહિલા સાંસદે મણિપુરનો ઇશ્યુ ઉઠાવ્યો છે. બ્રિટનમાં ધાર્મિક આઝાદી સાથે જોડાયેલા મામલાના સ્પેશિયલ રાજદૂત અને સાંસદ ફિયોના બ્રુસે  BBC પર મણિપુર હિંસાનું યોગ્ય રીતે રિપોર્ટીંગ ન કરવાનો આરોપ લગાવ્યો છે.

બ્રિટનના નીચલા ગૃહમાં બ્રુસે કર્યો સવાલ કે મણિપુરમાં મે મહિનાથી અત્યાર સુધીમાં સેંકડો ચર્ચ સળગાવવામાં આવ્યા છે, 100થી વધુ લોકો માર્યા ગયા છે. 50 હજારથી વધુ લોકોને ઘર છોડવું પડ્યું છે. માત્ર ચર્ચ જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલી શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી છે. બ્રુસે કહ્યું કે તે સ્પષ્ટ છે કે આ બધું આયોજન હેઠળ કરવામાં આવી રહ્યું છે અને આ હુમલાઓમાં ધર્મ એક મોટું પરિબળ છે.

બ્રુસે કહ્યું કે મણિપુરમાં લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા છે. તેમણે પૂછ્યું છે કે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ તે લોકો પર ધ્યાન આપવા માટે શું કરી શકે છે. બ્રુસે આ બધી વાત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર બનેલા રિપોર્ટના આધારે કહી છે. જે BBCમાં કામ કરી ચૂકેલા  રિપોર્ટર ડેવિડ કેમ્પનેલે બનાવ્યો હતો.

બીજી તરફ એન્ડ્રયુ સેલોઉસ નામના એક બીજા સાંસદે મણિપુરના મુદ્દાને બ્રિટિશની સાંસદમાં ઉઠાવવા બદલ બ્રુસના વખાણ કર્યા હતા.બ્રુસે સંસદ સમક્ષ લાવીને મોટું કામ કર્યું છે. મારી જેમ બ્રુસ પણ ઇચ્છે છે કે આ મુદ્દા પર BBC અને બીજી સંસ્થાઓ યોગ્ય રીતે રિપોર્ટીંગ કરે. એન્ડ્રયુએ કહ્યું કે, મને આશા છે કે કેંટરબરીના આર્ચબિશપ આ મુદ્દા પર ધ્યાન આપશે.

ભારતમાં અમેરિકી રાજદૂતે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડના વીડિયો પર કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન તેમને મણિપુરની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર તેમણે કહ્યું કે તે જ્યાં પણ આવી હિંસક ઘટનાઓ જુએ છે ત્યાં તેને દુઃખ થાય છે. ગાર્સેટી કહ્યું હતું કે મેં હજુ સુધી વીડિયો જોયો નથી. એક માણસ તરીકે મારી સહાનુભૂતિ ભારતના લોકો સાથે છે.

આ પહેલા 6 જુલાઇએ પણ અમેરિકાએ મણિપુરની હિંસા પર ચિંતા વ્યકત કરી હતી. તે વખતે એરિક ગાર્સેટીએ કહ્યું હતું કે, જો ભારત ઇચ્છે તો અમે મદદ કરવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યું હતું કે  અમે જાણીએ છીએ કે આ ભારતનો આંતરિક મામલો છે, અમે જલ્દીથી જલ્દી શાંતિની અપેક્ષા રાખીએ છીએ.

તેમણે કહ્યું હતું કે મણિપુરની સ્થિતિને લઈને અમને કોઈ વ્યૂહાત્મક ચિંતા નથી, અમે લોકો માટે ચિંતિત છીએ. મણિપુરના બાળકો અને ત્યાં મરી રહેલા લોકો માટે ચિંતા વ્યક્ત કરવા માટે કોઈ ભારતીય હોવું જરૂરી નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.