ભારત 26 ટકા ટેરિફને કેમ નથી માનતું ઝટકો? ટ્રમ્પે 52 ટકા ટેરિફના બદલે અડધો ટેરિફ જ કેમ લગાવ્યો?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશો પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરીને દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. ભારત અને ચીન સહિત ઘણા દેશો પર ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવ્યો છે. હવે ભારત તરફથી ટ્રમ્પના આ ટેક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમેરિકા તરફથી ભારત પર લગાવવામાં આવેલો 26 ટકા રેસિપ્રોકલ ટેરિફની અસરનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. વાણિજ્ય મંત્રાલય તેનું વિશ્લેષણ કરી રહ્યું છે.

donald-trump4
cnbctv18.com

 

તેમણે જણાવ્યું કે, અમેરિકામાં બધા પ્રકારની આયાત પર સાર્વભૌમિક 10 ટકા ટેરિફ 5 એપ્રિલથી લાગૂ થશે, જ્યારે બાકીનો 16 ટકા ટેરિફ 10 એપ્રિલથી પ્રભાવી થશે. વાણિજ્ય મંત્રાલય આ ટેરિફના પ્રભાવોનું વિશ્લેષણ કરી રહ્યું છે. તેમણે જણાવ્યુ કે, તેમાં એક પ્રાવધાન છે કે જો કોઈ દેશ ટેરિફ સાથે જોડાયેલી કોઈ ચિંતા અમેરિકા સમક્ષ રાખે છે, તો ટ્રમ્પ પ્રશાસન તે દેશ પર ટેરિફનો દર ઘટાડવા પર વિચાર કરી શકે છે. ટ્રમ્પે આ ટેરિફને કન્સેશનલ ગણાવીને વાતચીતના રસ્તા ખુલ્લા રાખ્યા છે.

donald-trump1
abcnews.go.com

 

ભારત પર તેના 52 ટકાની જગ્યાએ 26 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ તેનાથી ટ્રમ્પે ભારત સાથે વાતચીતની શક્યતા ખુલ્લી રાખી છે. બંને દેશો સતત એકબીજાના સંપર્કમાં છે. ભારત પહેલાથી જ અમેરિકા સાથે દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત કરી રહ્યું છે. બંને દેશોનું લક્ષ્ય આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં આ સમજૂતીના પહેલા ચરણનેબ અંતિમ સ્વરૂપ આપવાનું છે. અધિકારીએ કહ્યું કે, ટ્રમ્પનો ભારત પર આ ટેરિફ ઝટકો નથી, પરંતુ તેની મિશ્ર અસર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાએ ભારત પર 26 ટકા ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

donald-trump
indianexpress.com

 

ટ્રમ્પે કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકા આવ્યા હતા. તેઓ મારા ખૂબ સારા મિત્ર છે. પરંતુ આ પ્રવાસ દરમિયાન મેં વડાપ્રધાન મોદીને કહ્યું કે તમે અમારી સાથે યોગ્ય વ્યવહાર નથી કરી રહ્યા. ભારત હંમેશાં અમેરિકા પાસેથી 52 ટકા ટેરિફ વસૂલે છે. એટલે અમે તેમના પર 26 ટકા ટેરિફ લગાવીશું. તમને જણાવી દઈએ કે, વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતા ટ્રમ્પે 2 એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાને આ મુક્તિ દિવસની લાંબા સમયથી જરૂરિયાત હતી. હવેથી, 2 એપ્રિલને અમેરિકન ઇન્ડસ્ટ્રીના પુનર્જન્મ તરીકે યાદ કરવામાં આવશે. આ દિવસને આપણે અમેરિકાને ફરી એક સંપન્ન રાષ્ટ્ર બનાવવા તરીકે યાદ કરીશું. આપણે અમેરિકાને ફરીથી સપન્ન બનાવીશું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.