ભારત 26 ટકા ટેરિફને કેમ નથી માનતું ઝટકો? ટ્રમ્પે 52 ટકા ટેરિફના બદલે અડધો ટેરિફ જ કેમ લગાવ્યો?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશો પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરીને દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. ભારત અને ચીન સહિત ઘણા દેશો પર ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવ્યો છે. હવે ભારત તરફથી ટ્રમ્પના આ ટેક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમેરિકા તરફથી ભારત પર લગાવવામાં આવેલો 26 ટકા રેસિપ્રોકલ ટેરિફની અસરનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. વાણિજ્ય મંત્રાલય તેનું વિશ્લેષણ કરી રહ્યું છે.

donald-trump4
cnbctv18.com

 

તેમણે જણાવ્યું કે, અમેરિકામાં બધા પ્રકારની આયાત પર સાર્વભૌમિક 10 ટકા ટેરિફ 5 એપ્રિલથી લાગૂ થશે, જ્યારે બાકીનો 16 ટકા ટેરિફ 10 એપ્રિલથી પ્રભાવી થશે. વાણિજ્ય મંત્રાલય આ ટેરિફના પ્રભાવોનું વિશ્લેષણ કરી રહ્યું છે. તેમણે જણાવ્યુ કે, તેમાં એક પ્રાવધાન છે કે જો કોઈ દેશ ટેરિફ સાથે જોડાયેલી કોઈ ચિંતા અમેરિકા સમક્ષ રાખે છે, તો ટ્રમ્પ પ્રશાસન તે દેશ પર ટેરિફનો દર ઘટાડવા પર વિચાર કરી શકે છે. ટ્રમ્પે આ ટેરિફને કન્સેશનલ ગણાવીને વાતચીતના રસ્તા ખુલ્લા રાખ્યા છે.

donald-trump1
abcnews.go.com

 

ભારત પર તેના 52 ટકાની જગ્યાએ 26 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ તેનાથી ટ્રમ્પે ભારત સાથે વાતચીતની શક્યતા ખુલ્લી રાખી છે. બંને દેશો સતત એકબીજાના સંપર્કમાં છે. ભારત પહેલાથી જ અમેરિકા સાથે દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત કરી રહ્યું છે. બંને દેશોનું લક્ષ્ય આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં આ સમજૂતીના પહેલા ચરણનેબ અંતિમ સ્વરૂપ આપવાનું છે. અધિકારીએ કહ્યું કે, ટ્રમ્પનો ભારત પર આ ટેરિફ ઝટકો નથી, પરંતુ તેની મિશ્ર અસર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાએ ભારત પર 26 ટકા ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

donald-trump
indianexpress.com

 

ટ્રમ્પે કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકા આવ્યા હતા. તેઓ મારા ખૂબ સારા મિત્ર છે. પરંતુ આ પ્રવાસ દરમિયાન મેં વડાપ્રધાન મોદીને કહ્યું કે તમે અમારી સાથે યોગ્ય વ્યવહાર નથી કરી રહ્યા. ભારત હંમેશાં અમેરિકા પાસેથી 52 ટકા ટેરિફ વસૂલે છે. એટલે અમે તેમના પર 26 ટકા ટેરિફ લગાવીશું. તમને જણાવી દઈએ કે, વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતા ટ્રમ્પે 2 એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાને આ મુક્તિ દિવસની લાંબા સમયથી જરૂરિયાત હતી. હવેથી, 2 એપ્રિલને અમેરિકન ઇન્ડસ્ટ્રીના પુનર્જન્મ તરીકે યાદ કરવામાં આવશે. આ દિવસને આપણે અમેરિકાને ફરી એક સંપન્ન રાષ્ટ્ર બનાવવા તરીકે યાદ કરીશું. આપણે અમેરિકાને ફરીથી સપન્ન બનાવીશું.

Related Posts

Top News

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
Sports 
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ...
Politics  Health 
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે

બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર છ મહિના બાકી છે અને તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ તેમની ચૂંટણી યોજનાઓને સક્રિય...
National 
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.