કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલેએ પોતાના જ સાથીદાર BJP અને શિવસેનાને વિશ્વાસઘાતી શા માટે કહી?

BMC ચૂંટણી માટે રામદાસ અઠાવલેની પાર્ટી RPI39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, BMC ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેના વચ્ચે બેઠક વહેંચણીની સમજૂતીમાંથી તેમની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-અઠાવલે (RPI-A)ને બાકાત રાખવી, એ વિશ્વાસઘાત છે. ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની શિવસેના અનુક્રમે 137 બેઠકો અને 90 બેઠકો પર સમજૂતી થઈ છે. BMCમાં કુલ 227 વોર્ડ છે.

ramdas-athawale1
facebook.com/ramdasathawale

BMC ચૂંટણીઓ પર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, ‘ભાજપ અને શિવસેના સાથે આવવાથી RPIને ટિકિટ ફાળવવામાં મુશ્કેલીઓ થઈ. રિપબ્લિકન પાર્ટી મુંબઈમાં ખૂબ જ મજબૂત પાર્ટી છે, પરંતુ ભાજપે અમારી અવગણના કરી. વાટાઘાટો દરમિયાન અમને એક વાર પણ બોલાવવામાં ન આવ્યા.

અઠાવલેએ વધુમાં કહ્યું કે, ‘જો RPIને ભાજપ-શિવસેના વાટાઘાટોમાં બોલાવવામાં આવી હોત, તો અમને કેટલીક બેઠકો મળી શકતી હતી. ગઈકાલે રાત્રે 2:00 વાગ્યે અમને કહેવામાં આવ્યું હતું કે અમને 6 બેઠકો આપવામાં આવી છે. અમે 26 બેઠકોની જે યાદી આપી હતી, તેમાં અમને અપેક્ષા હતી કે RPIને 14-15 બેઠકો મળશે. આ ભાજપ તરફથી મોટો વિશ્વાસઘાત છે. એટલે અમે મુંબઈની 28 બેઠકો પર RPIના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ આજે મને ફોન કર્યો અને કહ્યું કે તેમણે RPIને 6 બેઠકો આપી છે, પરંતુ અમે તેમને કહ્યું કે આ એવી બેઠકો છે જે અમે માંગી નહોતી. અમારી પાસે ત્યાં ઉમેદવારો નથી. અમારી પાસે ઉમેદવારો છે, એટલે તેઓ તમારા ઉમેદવારો છે. ચૂંટણી ચિહ્ન તમારું રહેશે.... અમે મહાયુતિ સાથે રહીશું. અમારી 38 બેઠકો સિવાય, અમે બાકીની બેઠકો પર ભાજપ અને શિવસેનાના ઉમેદવારો માટે પ્રચાર કરીશું અને નિશ્ચિત રૂપે મહાયુતિને સત્તામાં લાવવાનો પ્રયાસ કરીશું. પરંતુ અમે 38 બેઠકો પર મૈત્રીપૂર્ણ રીતે લડવાનો નિર્ણય લીધો છે.

ramdas-athawale2
facebook.com/ramdasathawale

BMC ચૂંટણી અંગે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, ‘અમને નાગપુર, અમરાવતી અને ઔરંગાબાદ જેવા ઘણા શહેરોમાં બેઠકો આપવામાં આવી નથી. અમને નાલાસોપારામાં એક પણ બેઠક આપવામાં આવી નથી. RPIને ભિવંડીમાં એક બેઠક મળી હતી. કલ્યાણ-ડોમ્બિવલીમાં એક પણ બેઠક આપવામાં આવી નથી. એટલે ભાજપે ઘણી જગ્યાએ RPIની અવગણના કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ પોતાની પાર્ટીનો વિસ્તાર કરવા માંગે છે, પરંતુ તેણે અમારી પાર્ટી બાબતે પણ વિચાર કરવો જોઈએ. એટલા માટે રિપબ્લિકન પાર્ટીના કાર્યકરોમાં ખૂબ ગુસ્સો છે, અને ભાજપના નેતાઓએ આ તરફ ધ્યાન આપવું જોઈએ. અમે 38 બેઠકો પર સંયુક્ત રીતે ચૂંટણી લડીશું અને મુંબઈમાં, અમે ભાજપ અને શિવસેના સાથે ગઠબંધન તોડી નાખ્યું છે. અમે મુંબઈમાં અમારા દમ પર ચૂંટણી લડી રહ્યા છીએ.

About The Author

Related Posts

Top News

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.