શું પૂર્વ DyCM મનીષ સિસોદીયા ફરી મંત્રી બનશે? તેમણે જ આપ્યો જવાબ

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા કથિત શરાબ કૌભાંડ કેસમાં 17 મહિના પછી જેલમાં જામીન પર બહાર આવ્યા છે. હવે એવી ચર્ચા છે કે શું સિસોદીયા ફરી નાયબ મુખ્યમંત્રી બનશે?

મનીષ સિસોદીયાએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને સરકારમાં જોડાવવાની જરા પણ ઉતાવળ નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવીને જે નિર્ણય લેશે તે મારા માટે શિરોમાન્ય રહેશે. કેજરીવાલ સરકારમાં જોડાવવાનું કહેશે તો જોડાઇ જઇશે અને પ્રચાર કરવાનું કહેશે તો પ્રચારમાં લાગી જઇશ. સિસોદીયાએ કહ્યું કે કેજરીવાલ ટુંક સમયમાં જેલમાંથી બહાર આવી જશે.

તેમણે કહ્યું કે અત્યારે મારી ભૂમિકા 2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવાની છે અને હું તેના પર જ કામ કરી રહ્યો છું.

About The Author

Top News

શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?

ભારતના સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)ની અત્યારે ચારેકોર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે ફાયનાન્શીલ પ્લાનર અને સેબી...
Business 
શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.