ધોની કે રોહિત-કોણ છે ખતરનાક? હરભજને આપ્યો કારણસહિત ઉત્તર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી 3 ઓવરમાં દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન છે, પરંતુ રોહિત શર્મા જો કોઈ ગેમમાં શરૂઆતથી અંત સુધી ટકી જાય તો તેનાથી ખતરનાક બેટ્સમેન કોઈ બીજો નથી. મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા આ સમયે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં પોત પોતાની ટીમ સાથે વ્યસ્ત છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પોઇન્ટ્સ ટેબલમાં સૌથી ઉપર એટલે કે નંબર-1 પર પહોંચી ગઈ છે.

તો મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની આ સીઝનની શરૂઆત ખરાબ તો હતી, પરંતુ હવે તેની ગાડી ટ્રેક પર આવી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખત પોઇન્ટ્સ ટેબલમાં 6 પોઇન્ટ્સ સાથે સાતમા નંબર પર છે. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા હરભજન સિંહે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માને બોલિંગ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. હરભજન સિંહનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી 3 ઓવરમાં દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન છે, પરંતુ જો આખી મેચની વાત કરીએ તો રોહિત શર્મા જેટલો ખતરનાક બેટ્સમેન નથી.

હરભજન સિંહે કહ્યું કે, રોહિત શર્માને કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે બોલિંગ કરવું મુશ્કેલ છે. મેં મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ વધારે બોલિંગ કરી નથી કેમ કે જ્યાં સુધી તે બેટિંગ કરવા આવતો હતો, ત્યાં સુધી મોટા ભાગના સમયે મારી સ્પેલ પૂરી થઈ જતી હતી, પરંતુ મેં તેને જેટલી પણ બોલિંગ કરી, તેમાંથી તેને આઉટ પણ કર્યો છે. જો કે, મેચની અંતિમ 3 ઓવરમાં તે સૌથી ખતરનાક બેટ્સમેન હતો, પરંતુ મોટા ભાગે મેચોમાં ત્યાં સુધી મારી ઓવર પૂરી થઈ જતી હતી.

હરભજન સિંહે આગળ કહ્યું કે, રોહિત શર્માને બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. ભારતના પૂર્વ ઓફ સ્પિનર અને મુંબઈ ઇન્ડિયન્સના પુર કેપ્ટન હરભજન સિંહે રોહિત શર્મા બાબતે કહ્યું કે, જો આપણે ઓવરઓલ વાત કરીએ તો રોહિત શર્મા ખૂબ મોટું ઇમ્પેક્ટ નાખે છે. બેટિંગ સ્કિલની વાત કરીએ તો રોહિત શર્મા એક ક્લાસ ખેલાડી છે. જો ગેમને ફિનિશ કરવાની વાત હોય તો મહેન્દ્ર સિંહ ધોની સૌથી ખતરનાક ખેલાડી છે, પરંતુ જો રોહિત શરૂઆતથી લઈને અંત સુધી બેટિંગ કરે તો તેનાથી સારો ખેલાડી કોઈ બીજો નથી.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.