પ્રીતિ ઝિન્ટાએ બદલાવ્યો પ્લેયર ઓફ ધ મેચ, શ્રેયસ ઐય્યર..’, IPLના સ્ટાર ખેલાડીનો મોટો ખુલાસો

IPL 2025માં પંજાબ કિંગ્સ (PBKS)ના પ્રદર્શનને બધા ફેન્સે સલામ કર્યું હતું. આ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારી ગઈ હતી. આમ માત્ર પંજાબના ખેલાડીઓ જ નહીં, પરંતુ IPLમાં પંજાબ કિંગ્સ ટીમની માલિકિન પ્રીતિ ઝિન્ટા પણ છવાયેલી રહે છે. પ્રીતિ ઝિન્ટા લગભગ દરેક મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવે છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે. હવે IPLના એક સ્ટાર ખેલાડીએ પ્રીતિ ઝિન્ટાને લઇને મોટો ખુલાસો કર્યો છે. આ ખેલાડી સંદીપ શર્મા છે, જેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પ્રીતિ ઝિન્ટાના કહેવા પર પ્લેયર ઓફ ધ મેચ કેવી રીતે બદલી દેવામાં આવ્યો હતો.

mayor-son
indiatoday.in

સંદીપ શર્માએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘બેંગ્લોરમાં રમાયેલી એક IPL મેચમાં પ્રીતિ ઝિન્ટાએ રવિ શાસ્ત્રીને પૂછીને પ્લેયર ઓફ ધ મેચ બદલાવી દીધો હતો. સંદીપ શર્માએ કહ્યું કે, ‘બેંગ્લોરમાં રમાયેલી એક IPL મેચમાં મેં નવા બૉલથી 3 વિકેટ લીધી હતી. એ મેચમાં વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલને આઉટ કર્યા હતા, પરંતુ તે મેચમાં અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ બનવાનો હતો કારણ કે તેણે 2 વિકેટ લીધી હતી અને 25 રન પણ બનાવ્યા હતા. પરંતુ પ્રીતિએ રવિ શાસ્ત્રીને કહ્યું કે પ્લેયર ઓફ ધ મેચ સેન્ડી (સંદીપ શર્મા) હોવો જોઈએ.

bihar11
bbc.com

સંદીપ શર્માએ પ્રીતિ ઝિન્ટા સાથે શ્રેયસ ઐયર પર પણ મોટું નિવેદન આપ્યું. તેણે કહ્યું કે ટીમને IPL ફાઇનલમાં લઈ જવાનો અર્થ એ નથી કે તમે ભારતના કેપ્ટન પણ બની જશો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એક અલગ પડકાર છે. શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવાની વાત થઈ રહી છે કારણ કે તેણે IPLમાં પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી, આ વાત જ વાહિયાત છે. સૂર્યકુમાર યાદવ કોઈ IPL ટીમની કેપ્ટન્સી કરી રહ્યો નથી, તો તેનો અર્થ એ છે કે આ કોઈ મુદ્દો નથી. ભારતીય ટીમ એકદમ અલગ ટીમ છે, લોકોએ આ વાત સમજવી જોઈએ.

sandeep-sharma
indiatvnews.com

32 વર્ષીય સંદીપ શર્માએ ભારત માટે 2 T20 મેચ રમી છે. IPLની વાત કરીએ તો તેણે 3 ટીમો માટે કુલ 146 વિકેટ લીધી છે. તેની ઇકોનોમી રેટ માત્ર 8.03 રન પ્રતિ ઓવર છે. સંદીપ શર્મા વિરાટ કોહલીની વિકેટ લેવા માટે જાણીતા છે, તે આ દિગ્ગજ બેટ્સમેનને ખૂબ પરેશાન કરે છે.

About The Author

Related Posts

Top News

બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસ પુરવઠો ખોરવાયા બાદ, સરકાર અને તેલ કંપનીઓએ ગભરાટ ટાળવા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા...
Business 
બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને પરિણામો આવવાના હજુ બાકી છે. જોકે, મતદાન...
National 
EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો...
National 
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું...
Gujarat 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા,  CEO, સંબોધન
Copyright (c) Khabarchhe All Rights Reserved.