પ્રીતિ ઝિન્ટાએ બદલાવ્યો પ્લેયર ઓફ ધ મેચ, શ્રેયસ ઐય્યર..’, IPLના સ્ટાર ખેલાડીનો મોટો ખુલાસો

IPL 2025માં પંજાબ કિંગ્સ (PBKS)ના પ્રદર્શનને બધા ફેન્સે સલામ કર્યું હતું. આ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારી ગઈ હતી. આમ માત્ર પંજાબના ખેલાડીઓ જ નહીં, પરંતુ IPLમાં પંજાબ કિંગ્સ ટીમની માલિકિન પ્રીતિ ઝિન્ટા પણ છવાયેલી રહે છે. પ્રીતિ ઝિન્ટા લગભગ દરેક મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવે છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે. હવે IPLના એક સ્ટાર ખેલાડીએ પ્રીતિ ઝિન્ટાને લઇને મોટો ખુલાસો કર્યો છે. આ ખેલાડી સંદીપ શર્મા છે, જેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પ્રીતિ ઝિન્ટાના કહેવા પર પ્લેયર ઓફ ધ મેચ કેવી રીતે બદલી દેવામાં આવ્યો હતો.

mayor-son
indiatoday.in

સંદીપ શર્માએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘બેંગ્લોરમાં રમાયેલી એક IPL મેચમાં પ્રીતિ ઝિન્ટાએ રવિ શાસ્ત્રીને પૂછીને પ્લેયર ઓફ ધ મેચ બદલાવી દીધો હતો. સંદીપ શર્માએ કહ્યું કે, ‘બેંગ્લોરમાં રમાયેલી એક IPL મેચમાં મેં નવા બૉલથી 3 વિકેટ લીધી હતી. એ મેચમાં વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલને આઉટ કર્યા હતા, પરંતુ તે મેચમાં અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ બનવાનો હતો કારણ કે તેણે 2 વિકેટ લીધી હતી અને 25 રન પણ બનાવ્યા હતા. પરંતુ પ્રીતિએ રવિ શાસ્ત્રીને કહ્યું કે પ્લેયર ઓફ ધ મેચ સેન્ડી (સંદીપ શર્મા) હોવો જોઈએ.

bihar11
bbc.com

સંદીપ શર્માએ પ્રીતિ ઝિન્ટા સાથે શ્રેયસ ઐયર પર પણ મોટું નિવેદન આપ્યું. તેણે કહ્યું કે ટીમને IPL ફાઇનલમાં લઈ જવાનો અર્થ એ નથી કે તમે ભારતના કેપ્ટન પણ બની જશો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એક અલગ પડકાર છે. શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવાની વાત થઈ રહી છે કારણ કે તેણે IPLમાં પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી, આ વાત જ વાહિયાત છે. સૂર્યકુમાર યાદવ કોઈ IPL ટીમની કેપ્ટન્સી કરી રહ્યો નથી, તો તેનો અર્થ એ છે કે આ કોઈ મુદ્દો નથી. ભારતીય ટીમ એકદમ અલગ ટીમ છે, લોકોએ આ વાત સમજવી જોઈએ.

sandeep-sharma
indiatvnews.com

32 વર્ષીય સંદીપ શર્માએ ભારત માટે 2 T20 મેચ રમી છે. IPLની વાત કરીએ તો તેણે 3 ટીમો માટે કુલ 146 વિકેટ લીધી છે. તેની ઇકોનોમી રેટ માત્ર 8.03 રન પ્રતિ ઓવર છે. સંદીપ શર્મા વિરાટ કોહલીની વિકેટ લેવા માટે જાણીતા છે, તે આ દિગ્ગજ બેટ્સમેનને ખૂબ પરેશાન કરે છે.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.