નેપાળ સાથેની મેચ પણ વરસાદને કારણે ધોવાઇ જાય તો, શું ભારત સુપર-4માં પહોંચી શકશે?

એશિયા કપ 2023માં ભારતીય ટીમની પાકિસ્તાનની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી.હવે ટીમ ઇન્ડિયાએ બીજી મેચ નેપાળ સાથે 4 સપ્ટેમ્બરે શ્રીલંકાના પલ્લેકેલ ક્રિક્રેટ સ્ટેડીયમમાં જ રમવાની છે, જ્યા ભારત પાકિસ્તાનની મેચ રમાઇ હતી. ભારત અને નેપાળ વચ્ચે પહેલી વન-ડે મેચ રમાવવાની છે.

ભારતની પાકિસ્તાન સાથેની પહેલી વન-ડે મેચ તો વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી અને બંને ટીમને 1-1 પોઇન્ટ આપી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાને આ પહેલા નેપાળ સાથેની મેચ ભારી અંતરથી જીતી હતી એટલે પાકિસ્તાન તો સુપર-4માં પહોંચી ગયું છે,પરંતુ, હવે સવાલ એ આવીને ઉભો છે કે, ભારત અને નેપાળની મેચ પણ જો વરસાદને કારણે ધોવાઇ જાય તો શું ભારત સુપર-4માં પહોંચી શકે ખરૂ?

શ્રીલંકાના પલ્લેકેલ ક્રિક્રેટ સ્ટેડીયમ પર 4 સપ્ટેમ્બરે ભારત અને નેપાળ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે અને 4 સપ્ટેમ્બરે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે એવા સંજોગોમાં જો મેચ રદ કરવાની નોબત ઉભી થાય તો ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે ભારત અને નેપાળને 1-1 પોઇન્ટ આપી દેવામાં આવશે. એટલે પોઇન્ટ ટેબલ પર ભારતના 2 અંક હશે. મતલબ કે ટીમ ઇન્ડિયા સુપર-4 માટે ક્વોલિફાય કરી જશે.

નેપાળની વાત કરીએ તો પાકિસ્તાન સામે નેપાળ હારી ગયું હતું અને ભારત સામેની મેચમાં વરસાદને કારણે 1 પોઇન્ટ મળે છે તો નેપાળનો કુલ આંકડો 1 થશે. મતલબ કે ભારત નેપાળ કરતા આગળ હશે અને સુપર-4માં સામેલ થઇ જશે.

ધારો કે વરસાદ નથી પડતો અને મેચ રમાઇ છે અને કોઇ સંજોગોમાં નેપાળ ભારત સામે જીત મેળવી લે છે તો પછી નેપાળ સુપર-4માં પહોંચી જશે.કારણકે મેચ જીતવાને કારણે નેપાળને 2 પોઇન્ટ મળશે અને ભારત પાસે 1 જ પોઇન્ટ રહેશે. જો કે આ શક્યતા ઘણી ઓછી છે. તેની સામે ભારત જો નેપાળ સામેની મેચ જીતી જશે તો તેને 2 પોઇન્ટ મળશે અને સુપર-4માં ક્વોલિફાયર થઇ જશે.

એશિયા કપ 2023માં ભારતની પહેલી મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાઇ હતી. ભારતે 50 ઓવર રમી લીધી હતી અને 266 રનનો સ્કોર કર્યો હતો. પરંતુ એ પછી વરસાદનું વિઘ્ન ઉભું થયું હતું અને લાંબી રાહ જોયા પછી મેચ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ક્રિક્રેટના ચાહકોમાં જબરદસ્ત નિરાશા જોવા મળી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.