મેન ઓફ ધ મેચ બન્યો કેએલ રાહુલ તો વિરાટ કોહલીને કેમ મળ્યું મેડલ?

ટીમ ઈન્ડિયાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત જીત સાથે કરી છે. ભારત વિ ઓસ્ટ્રેલિયા મેચમાં ટીમ ઈન્ડિયાએ જે રીતનું પ્રદર્શન કર્યું તે ખરેખર અદ્ભુત હતું. 200 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતે એક સમયે 2 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ત્રણેય ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા અને આ પછી વિરાટ કોહલી અને K.L. રાહુલે સાથે મળીને એવી ભાગીદારી કરી હતી કે, કાંગારૂઓના બાર વાગી ગયા હતા. આ મેચમાં બીજી એક બાબત જે સૌથી મહત્વની હતી તે એ હતી કે ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગ કરતી વખતે એવી ચપળતા બતાવી કે બધા જોતા જ રહી ગયા. ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમ મેચ સમાપ્ત થઇ ગયા પછી મેચના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરને સન્માનિત કરશે. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચ સમાપ્ત થયા પછી  ભારતીય ડ્રેસિંગ રૂમમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું.

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચમાં વિરાટ કોહલીને ભારતના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને આ માટે તેને ગોલ્ડન કલરનો મેડલ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ બાળક જેવા ઉત્સાહ સાથે મેડલ લીધો અને પછી તેને મોંમાં મૂકીને પોઝ આપ્યો. તેનો વીડિયો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) TV દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કહે છે કે, દિલીપ મેડલ આપશે. ફિલ્ડિંગ કોચ દિલીપે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનો ઉલ્લેખ કર્યો, પરંતુ આ એવોર્ડ વિરાટ કોહલીને આપ્યો.

તેણે આગળ કહ્યું, 'અમે હંમેશા ટીમમાં સાતત્યની વાત કરીએ છીએ. તે માત્ર એક કેચની વાત નથી. અહીં તમારી સાથે અન્ય લોકોને મદદ કરવા તૈયાર રહેવું અને દરેક સમયે યોગ્ય સ્થાને રહેવું પણ મહત્વપૂર્ણ છે. તેથી જ વિરાટને આ એવોર્ડ મળ્યો છે. વિરાટ કોહલીને એવોર્ડ તરીકે ગોલ્ડન કલરનો મેડલ મળ્યો હતો. જે બોલિંગ કોચે તેને પહેરાવ્યો હતો.

દિલીપે કહ્યું કે આ એવોર્ડ એવા વ્યક્તિને આપવામાં આવશે જે માત્ર પોતાનું કામ જ નહીં પરંતુ અન્યને પણ પ્રેરણા આપે. આ પછી જ્યારે વિરાટ કોહલી મેડલ લેવા આવ્યો તો દિલીપે તેની તરફ મેડલ બોક્સ લંબાવ્યું હતું, પરંતુ વિરાટે કહ્યું કે, તેને મેડલ ગાળામાં પહેરાવીને આપવામાં આવે. આ મેચમાં વિરાટ કોહલીએ 85 રન બનાવ્યા હતા, જ્યારે K.L. રાહુલે અણનમ 97 રન બનાવ્યા હતા. K.L. રાહુલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બે શાનદાર કેચ લીધા હતા. જસપ્રીત બુમરાહે ભારતને મેચની પ્રથમ સફળતા અપાવી હતી. વિરાટ કોહલીએ સ્લિપમાં કૂદીને મિશેલ માર્શનો તે કેચ લીધો હતો. આ પછી વિરાટે ડેથ ઓવરમાં હાર્દિક પંડ્યાના બોલ પર એડમ ઝમ્પાનો કેચ લીધો હતો. મેચ પછી ઈન્ટરવ્યુમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ ટીમની ફિલ્ડિંગની પ્રશંસા કરી હતી.

Top News

'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે...
Entertainment 
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

ઉત્તર પ્રદેશના કાનપુરથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ ભારતીય વાયુસેના (IAF) અધિકારીના ઘરમાંથી માત્ર રોકડ રકમ...
National 
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક IAS અધિકારી કાન પકડીને ઉઠક બેઠક કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ધરણાં...
National 
એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, સુરતના ટીમ ભવાની, સુરત દ્વારા આયોજિત દ. ગુજરાતના જ્ઞાતિજનોનો બળેવ સ્નેહમિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ...
Gujarat 
ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન
Copyright (c) Khabarchhe All Rights Reserved.