વિરાટ કોહલી જેટલું ક્રિકેટ કોઇ નથી રમતું, શ્રીલંકન દિગ્ગજે કહી મોટી વાત

વિરાટ કોહલી માટે વર્ષ 2022 ઉતાર-ચડાવવાળું રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોથી તેનું પ્રદર્શન પહેલાંની જેમ જબરદસ્ત નજરે પડ્યું નથી. વર્ષ 2022માં તેણે T20 ઇન્ટરનેશનલમાં પોતાની પહેલી સદી લગાવી હતી, તો વન-ડે ક્રિકેટમાં 3 વર્ષ બાદ સદી લગાવી હતી, પરંતુ તેનું ટેસ્ટ ફોર્મ અત્યારે પણ સતત નિરાશાજનક નજરે પડી રહ્યું છે. આ સંદર્ભમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી રહેલા કુમાર સંગાકારનું માનવું છે કે, વિરાટ કોહલીનો વર્કલોડ મેનેજ કરીને શાનદાર ફોર્મ જોવા મળી શકે છે.

આજથી શરૂ થતી શ્રીલંકા વિરુદ્ધની T20 સીરિઝ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે વન-ડે સીરિઝમાં તે રમતો નજરે પડશે. શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાએ વિરાટ કોહલીના ખરાબ ફોર્મ અને તેના વર્કલોડ મેનેજમેન્ટને લઇને એક સ્પોર્ટ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, મને લાગે છે કે તે વાસ્તવમાં વિરાટ કોહલી સાથે એક વાતચીત કરીને અને તેને પૂછવાનો સવાલ છે કે તે પોતાના કાર્યભાર (વર્કલોડ) અને પોતાનું સમયનું સંચાલન કઇ રીતે કરે છે.

જેથી દરેક વખતે જ્યારે તે ભારત માટે રમે તો તે ફ્રેસ રહે, તે ખુશ રહે, તે રનો માટે ભૂખ્યો રહે અને તે ટીમને મેચ જીતાડવા માટે જવા તૈયાર રહે. તમે તેને દરેક સમયે ક્રિકેટ રમતા નહીં જોઇ શકો અને તેની પાસે એવા જ પ્રદર્શનની આશા નહીં કરી શકો. વિરાટ કોહલી જેટલું ક્રિકેટ કોઇ રમતું નથી. કુમાર સંગાકારાએ T20 વર્લ્ડ કપમાં તેની શાનદાર રમત પાછળનું રહસ્ય બતાવતા કહ્યું કે, ક્યારેક ક્યારેક તમે સતત ક્રિકેટ થવાના કારણે તેનો આનંદ લેવાનું બંધ કરી દો છો.

તેમણે આગળ કહ્યું કે, એટલે તમને એક લાંબા બ્રેકની જરૂરિયાત હોય છે. તમારે ફ્રેસ હોવા અને પરત આવતા અને પ્રદર્શન કરતા જુઓ છો. T20 વર્લ્ડ કપમાં તેની બેટિંગ અભૂતપૂર્વ હતી, ખાસ કરીને પાકિસ્તાન વિરુદ્ધ એ મેચમાં તેનું પ્રદર્શન લાજવાબ હતું.  કુમાર સંગાકારાએ સંજુ સેમસને કયા નંબર પર બેટિંગ કરવી જોઇએ તેને લઇને પણ નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે, T20 ક્રિકેટમાં સંજુ સેમસનની આદર્શ પોઝિશન નંબર-4 પર છે. તે IPLમાં રાજસ્થાન રોયલ્સ (RR)ની કેપ્ટન્સી કરતા નંબર 3-4 પર જ રમતો નજરે પડે છે, પરંતુ ભારતીય ટીમમાં તેના બેટિંગ ઓર્ડરમાં સતત બદલાવ થતો રહે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.