ભારતના પહેલવાનોને ઝટકો, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે ભારતીય રેસલિંગ સસ્પેન્ડ કરી

ભારતીય પહેલાવાનું નાક કપાઇ જેવું તેવું આકરું પગલું યુનાઇટેડ વર્લ્ડ ફેડરેશને લીધું છે.

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે એક મોટો નિર્ણય લીધો છે જેને કારણે ભારતીય પહેલવાનો પર મોટી અસર પડી શકે છે. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે નિયત સમય મર્યાદામાં ચૂંટણી નહીં કરાવવાને કારણે ભારતીય કુસ્તી સંઘનું સભ્યપદ રદ કરી નાંખ્યું છે.

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે  વર્લ્ડ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય કુસ્તી સંઘનું સભ્યપદ રદ કરી નાંખ્યું છે, ભારત માટે આ મોટો ઝટકો છે. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે આ પગલું એટલા માટે લીધું છે, કારણકે ભારતીય કુસ્તી સંઘ 45 દિવસમાં ચૂંટણી કરાવી શક્યું નહોતું. ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી 12 ઓગસ્ટે નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે ચૂંટણીના એક દિવસ પહેલાં જ રોક લગાવી દીધી હતી.

 

આ નિર્ણયને કારણે આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલાવાને ભારતીય ધ્વજ નીચે સ્પર્ધા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભૂપિન્દર સિંહ બાજવાની આગેવાની હેઠળની એડહોક કમિટી 45 દિવસમાં ચૂંટણી યોજવાની વર્લ્ડ રેસલિંગ ફેડરેશનની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ જતાં ભારતીય પહેલવાનોએ 16 સપ્ટેમ્બરથી શરૂ થનારી ઓલિમ્પિક-ક્વોલિફાઇંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ‘ ન્યુટ્રલ એથલેટ્સ' તરીકે ભાગ લેવો પડશે.

ભારતીય ઓલોમ્પિક સંઘે ગયા 27 એપ્રિલે એક એજહોક કમિટીની રચના કરી હતી અને આ કમિટીએ 45 દિવસની અંદર ચૂંટણી કરાવવાની હતી, પરંતુ કમિટી આમ કરવામાં નિષ્ફળ રહી હતી.

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે 28 એપ્રિલે જ ચેતવણી આપી હતી કે ચૂંટણી કરાવવામાં નિયત સમય મર્યાદાનું જો પાલન કરવામાં નહીં આવશે તો ભારતીય કુસ્તી સંઘનું સભ્યપદ રદ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી PTIના એક અહેવાલમાં જણાવવમાં આવ્યું છે કે યુનાઇટેડ વર્સ્ટ રેસલિંગે બુધવારે રાત્રે એડહોક કમિટિને ભારતીય કુસ્તી સંઘનું સભ્યપદ રદ કરવાના નિર્ણયની જાણકારી આપી હતી.

આમ તો  રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી 7 મેના રોજ યોજાવાની હતી પરંતુ રમત મંત્રાલયે આ પ્રક્રિયાને અમાન્ય જાહેર કરી હતી. વિવિધ રાજ્ય કુસ્તી સંગઠનોએ ચૂંટણીમાં તેમની ભાગીદારી અંગે કોર્ટમાં અરજી કરી છે. આ જ કારણ છે કે રેસલિંગ એસોસિએશનની ચૂંટણીમાં વિલંબ થઈ રહ્યો છે.

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એ કુશ્તીની વર્લ્ડ ગર્વનિંગ બોડી છે, જેણે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું સભ્યપદ રદ કરી દીધું છે. આ વર્ષની શરૂઆતથીજ ભારતીય પહેલાવાનોમાં વિવાદ ચાલી રહ્યો છે.

Related Posts

Top News

ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો...
World 
ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન...
Gujarat 
ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભુને પ્યારા થઇ ગયા, પરંતુ તેમણે લીધેલા એક નિર્ણયને...
Gujarat 
વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે

ગયા અઠવાડિયે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સપ્તાહમાં પણ કેટલાક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત રહેશે, જેના...
Business 
સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.