WTC ફાઇનલના થોડા દિવસ પહેલા હેઝલવુડ IPL ફાઇનલ રમ્યો તો જોનસને તેનો ઝાટક્યો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં મળેલી હાર બાદ પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ જોનસને દિગ્ગજ બોલર જોશ હેઝલવુડ પર જોરદાર નિશાનો સાધ્યો છે. જોનસને કહ્યું કે, હેઝલવુડનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને પસંદ કરવાનું આશ્ચર્યજનક હતું. હેઝલવુડે આ વર્ષે IPL વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે શાનદાર પ્રદર્શન કરતા 22 વિકેટ લીધી હતી અને ફાઇનલમાં પ્રિયાંશ આર્યની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. IPL સ્થગિત થયા બાદ તે ફરીથી ટીમમાં જોડાઈ ગયો હતો, જ્યારે કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારત પાછા ફરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, જોશ હેઝલવુડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં માત્ર 2 જ વિકેટ લઈ શક્યો અને ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.

Mitchell-Johnson1
cricketcountry.com

જોનસને શું કહ્યું?

જોનસને કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોથી હેઝલવુડની ફિટનેસ પર સવાલ ઉઠતા રહ્યા છે અને IPLમાં પાછા ફરવાનો નિર્ણય તેની રાષ્ટ્રીય ટીમની તૈયારી પર અસર નાખે છે. તેણે પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન અને હેઝલવુડ જેવા સીનિયર ખેલાડીઓની વિચારસરણી પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું કે જો આ દિગ્ગજ ખેલાડીઓ માત્ર એશેજ માટે ટીમમાં છે, તો આ યોગ્ય વિચારસરણી નથી. ભવિષ્યના ખેલાડીઓને અવસર આપવા જરૂરી છે

Kuldeap-Yadav-Rohit-Sharma
aajtak.in

 

જોનસને સેમ કોન્સ્ટાસ, જોશ ઇંગ્લિસ અને સ્કોટ બોલેન્ડ જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાની હિમાયત કરી. તેણે કહ્યું કે, આ ખેલાડીઓ દરેક વખતે પોતાને સાબિત કરવા માટે તૈયાર છે. ઉંમર ભલે ગમે તે હોય, જો જુસ્સો હોય તો અવસર મળવા જોઈએ. ઓસ્ટ્રેલિયાનો આગામી પ્રવાસ વેસ્ટ ઇન્ડીઝનો છે. જોનસનના મતે, ટીમમાં બદલાવ અને નવી પ્રતિભાઓને અવસર આપવાનો આ યોગ્ય સમય છે. તેણે વધુમાં કહ્યું કે કોન્સ્ટાસ વેસ્ટ ઇન્ડીઝની પીચો પર સારું પ્રદર્શન કરી શકે છે, ખાસ કરીને જો ઉસ્માન ખ્વાજા જેવા અનુભવી ખેલાડી તેની સાથે હોય.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.