WTC ફાઇનલના થોડા દિવસ પહેલા હેઝલવુડ IPL ફાઇનલ રમ્યો તો જોનસને તેનો ઝાટક્યો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં મળેલી હાર બાદ પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ જોનસને દિગ્ગજ બોલર જોશ હેઝલવુડ પર જોરદાર નિશાનો સાધ્યો છે. જોનસને કહ્યું કે, હેઝલવુડનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને પસંદ કરવાનું આશ્ચર્યજનક હતું. હેઝલવુડે આ વર્ષે IPL વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે શાનદાર પ્રદર્શન કરતા 22 વિકેટ લીધી હતી અને ફાઇનલમાં પ્રિયાંશ આર્યની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. IPL સ્થગિત થયા બાદ તે ફરીથી ટીમમાં જોડાઈ ગયો હતો, જ્યારે કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારત પાછા ફરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, જોશ હેઝલવુડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં માત્ર 2 જ વિકેટ લઈ શક્યો અને ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.

Mitchell-Johnson1
cricketcountry.com

જોનસને શું કહ્યું?

જોનસને કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોથી હેઝલવુડની ફિટનેસ પર સવાલ ઉઠતા રહ્યા છે અને IPLમાં પાછા ફરવાનો નિર્ણય તેની રાષ્ટ્રીય ટીમની તૈયારી પર અસર નાખે છે. તેણે પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન અને હેઝલવુડ જેવા સીનિયર ખેલાડીઓની વિચારસરણી પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું કે જો આ દિગ્ગજ ખેલાડીઓ માત્ર એશેજ માટે ટીમમાં છે, તો આ યોગ્ય વિચારસરણી નથી. ભવિષ્યના ખેલાડીઓને અવસર આપવા જરૂરી છે

Kuldeap-Yadav-Rohit-Sharma
aajtak.in

 

જોનસને સેમ કોન્સ્ટાસ, જોશ ઇંગ્લિસ અને સ્કોટ બોલેન્ડ જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાની હિમાયત કરી. તેણે કહ્યું કે, આ ખેલાડીઓ દરેક વખતે પોતાને સાબિત કરવા માટે તૈયાર છે. ઉંમર ભલે ગમે તે હોય, જો જુસ્સો હોય તો અવસર મળવા જોઈએ. ઓસ્ટ્રેલિયાનો આગામી પ્રવાસ વેસ્ટ ઇન્ડીઝનો છે. જોનસનના મતે, ટીમમાં બદલાવ અને નવી પ્રતિભાઓને અવસર આપવાનો આ યોગ્ય સમય છે. તેણે વધુમાં કહ્યું કે કોન્સ્ટાસ વેસ્ટ ઇન્ડીઝની પીચો પર સારું પ્રદર્શન કરી શકે છે, ખાસ કરીને જો ઉસ્માન ખ્વાજા જેવા અનુભવી ખેલાડી તેની સાથે હોય.

About The Author

Related Posts

Top News

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.