કોહલી-રોહિતના આધારે વર્લ્ડ કપનું સપનું પૂરું કરવા ઈચ્છો છો તો એવું નહીં થાયઃ દેવ

શ્રીલંકા સામે શરૂ થનારી T20 સીરિઝને એક બાજુથી ટ્રાંજિશન પીરિયડની શરૂઆત માનવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ મિશનને જીતવા માટે ઉતરશે. ટીમ ઈન્ડિયાની સામે વન-ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ પણ છે, આવી સ્થિતિમાં હવે આ મિશન BCCI અને ખેલાડીઓની નજરમાં છે.

પૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવે આ દરમિયાન વર્લ્ડ કપ મિશનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે જો વિરાટ કોહલી કે રોહિત શર્માના આધારે જ વર્લ્ડ કપનું સપનું પૂરું કરવા ઈચ્છો છો તો તેવું નહીં થાય, કારણ કે માત્ર એક-બે ખેલાડીઓ જ વર્લ્ડ કપ જીતાડી શકશે નહીં.

કપિલ દેવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તમારે વર્લ્ડ કપ જીતવો હોય તો કોચ, સિલેક્ટર અને કેપ્ટને કેટલાક આકરા નિર્ણયો લેવા પડશે. અહીં અંગત ફાયદા પાછળ મૂકી અને ટીમ માટે વિચારવું પડશે. વિરાટ, રોહિત અથવા 2-3 ખેલાડીઓ પર આધાર રાખીને વર્લ્ડ કપ જીતવા માંગતા હોવ તો તે ક્યારેય નહીં થાય. તમને ટીમ પર વિશ્વાસ હોવો જોઈએ, શું આપણી પાસે આવી ટીમ છે. હા, શું આપણી પાસે મેચ વિનર છે, તો બિલકુલ છે. તમને તમારી ટીમ પર વિશ્વાસ હોવો જોઈએ.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ લગભગ એક દાયકાથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી, તે જ કારણ છે કે બધાની નજર વર્લ્ડ કપ પર છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે ICC ટ્રોફી 2013માં જીતી હતી, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી તેમના નામ પર કરી હતી. વર્ષ 2022ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં હારી ગઈ હતી.

હવે T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યાને નવા T20 કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે, સાથે જ તે T20 ટીમમાંથી સીનિયર ખેલાડીઓને છોડવાની તૈયારી કરી રહ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓને શ્રીલંકા સામેની T20 સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.