RCB સામેની મેચમાં રોહિત શર્માને LBW આપવા પર ઉઠ્યો સવાલ, જાણો શું છે 3 મીટર રુલ

IPL 2023ની મેચ નંબર 54 મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. આ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચને મુંબઈ ઇન્ડિયન્સે શાહી અંદાજમાં 6 વિકેટથી જીતી લીધી અને તે પણ 21 બોલ બાકી રહેતા જ મુંબઈ ઇન્ડિયન્સે મેચ પોતાના નામે કરી લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા 199 રનની ઇનિંગ રમી હતી.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમના સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 83 રનોની તોફાની ઇનિંગ રમી હતી. તેમા 7 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ રહ્યા. ઈશાન કિશને 21 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, નેહાલ વઢેરાએ 24 બોલમાં 52 રન બનાવીને મેચ ફિનિશ કરી.

મેચ દરમિયાન રોહિત શર્મા (7) ના LBW આઉટ થવા પર સવાલ ઊભા થઈ ગયા છે. તેને DRS બાદ આઉટ આપવામાં આવ્યો. હિટમેન પોતે પણ પોતાના આઉટ થવા પર આશ્ચર્ય ચકિત જોવા મળ્યો. મોહમ્મદ કેફે પણ DRS LBW આઉટ આપવાના નિર્ણય પર સવાલો ઊભા કર્યા. રોહિત શર્મા ક્રીઝથી ઘણો આગળ નીકળી આવ્યો હતો. મોહમ્મદ કેફે પોતાના ટ્વિટમાં લખ્યું- હેલો DRS, આ કંઈક વધારે જ નથી થઈ ગયુ? આ કઈ રીતે LBW હોઈ શકે છે.

મેચમાં વાનિંદુ હસરંગાની બોલ રોહિતના પેડ પર લાગી તો મેદાન પર હાજર અમ્પાયરોએ તેને નોટ આઉટ આપી દીધો હતો. જોકે, ફાફ ડુ પ્લેસિસે નિર્ણયની સમીક્ષા કરવાનો વિકલ્પ પસંદ કર્યો. રિપ્લેમાં એ જાણકારી મળી કે, અલ્ટ્રાએજમાં દેખાઈ રહ્યું છે કે રોહિત શર્માએ બોલને હિટ નથી કર્યું. બોલ-ટ્રેકિંગ ડિવાઇસ પરથી જાણકારી મળી કે બોલ સ્ટંપ્સને હિટ કરી રહી હતી. તેને જોતા થર્ડ અમ્પાયરે રોહિતને આઉટ આપી દીધો. તેના પર રોહિત શર્મા પણ ચોંકી ગયો હતો.

અમ્પાયરે રોહિત શર્માને LBW આઉટ નહોતો આપ્યો પરંતુ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ જ્યારે DRS લીધો તો તેને આઉટ આપી દેવામાં આવ્યો. LBW ના નિયમ અનુસાર, જો કોઈ ખેલાડી વિકેટથી 3 મીટર આગળ નીકળીને આવી જાય છે તો તેને આઉટ ના આપી શકાય અને જે બોલ પર રોહિત શર્માને LBW આઉટ આપવામાં આવ્યો, ત્યારે રોહિત જ્યાં ઊભો હતો ત્યાંથી સ્ટંપ્સનું અંતર 3.7 મીટર હતું. એટલે કે નિયમ અનુસાર, રોહિત નોટઆઉટ હતો.

મોહમ્મદ કેફના ટ્વિટ પર ઘણા ફેન્સ પણ નારાજ દેખાયા. તેમણે પણ રોહિતના આઉટ થવા પર LBWના 3 મીટરના નિયમની વાત કરી.

Top News

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ખાસ કરીને ઘાતક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઓવરસ્પીડ...
Gujarat 
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.