RCB સામેની મેચમાં રોહિત શર્માને LBW આપવા પર ઉઠ્યો સવાલ, જાણો શું છે 3 મીટર રુલ

On

IPL 2023ની મેચ નંબર 54 મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. આ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચને મુંબઈ ઇન્ડિયન્સે શાહી અંદાજમાં 6 વિકેટથી જીતી લીધી અને તે પણ 21 બોલ બાકી રહેતા જ મુંબઈ ઇન્ડિયન્સે મેચ પોતાના નામે કરી લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા 199 રનની ઇનિંગ રમી હતી.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમના સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 83 રનોની તોફાની ઇનિંગ રમી હતી. તેમા 7 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ રહ્યા. ઈશાન કિશને 21 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, નેહાલ વઢેરાએ 24 બોલમાં 52 રન બનાવીને મેચ ફિનિશ કરી.

મેચ દરમિયાન રોહિત શર્મા (7) ના LBW આઉટ થવા પર સવાલ ઊભા થઈ ગયા છે. તેને DRS બાદ આઉટ આપવામાં આવ્યો. હિટમેન પોતે પણ પોતાના આઉટ થવા પર આશ્ચર્ય ચકિત જોવા મળ્યો. મોહમ્મદ કેફે પણ DRS LBW આઉટ આપવાના નિર્ણય પર સવાલો ઊભા કર્યા. રોહિત શર્મા ક્રીઝથી ઘણો આગળ નીકળી આવ્યો હતો. મોહમ્મદ કેફે પોતાના ટ્વિટમાં લખ્યું- હેલો DRS, આ કંઈક વધારે જ નથી થઈ ગયુ? આ કઈ રીતે LBW હોઈ શકે છે.

મેચમાં વાનિંદુ હસરંગાની બોલ રોહિતના પેડ પર લાગી તો મેદાન પર હાજર અમ્પાયરોએ તેને નોટ આઉટ આપી દીધો હતો. જોકે, ફાફ ડુ પ્લેસિસે નિર્ણયની સમીક્ષા કરવાનો વિકલ્પ પસંદ કર્યો. રિપ્લેમાં એ જાણકારી મળી કે, અલ્ટ્રાએજમાં દેખાઈ રહ્યું છે કે રોહિત શર્માએ બોલને હિટ નથી કર્યું. બોલ-ટ્રેકિંગ ડિવાઇસ પરથી જાણકારી મળી કે બોલ સ્ટંપ્સને હિટ કરી રહી હતી. તેને જોતા થર્ડ અમ્પાયરે રોહિતને આઉટ આપી દીધો. તેના પર રોહિત શર્મા પણ ચોંકી ગયો હતો.

અમ્પાયરે રોહિત શર્માને LBW આઉટ નહોતો આપ્યો પરંતુ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ જ્યારે DRS લીધો તો તેને આઉટ આપી દેવામાં આવ્યો. LBW ના નિયમ અનુસાર, જો કોઈ ખેલાડી વિકેટથી 3 મીટર આગળ નીકળીને આવી જાય છે તો તેને આઉટ ના આપી શકાય અને જે બોલ પર રોહિત શર્માને LBW આઉટ આપવામાં આવ્યો, ત્યારે રોહિત જ્યાં ઊભો હતો ત્યાંથી સ્ટંપ્સનું અંતર 3.7 મીટર હતું. એટલે કે નિયમ અનુસાર, રોહિત નોટઆઉટ હતો.

મોહમ્મદ કેફના ટ્વિટ પર ઘણા ફેન્સ પણ નારાજ દેખાયા. તેમણે પણ રોહિતના આઉટ થવા પર LBWના 3 મીટરના નિયમની વાત કરી.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.