RCB સામેની મેચમાં રોહિત શર્માને LBW આપવા પર ઉઠ્યો સવાલ, જાણો શું છે 3 મીટર રુલ

IPL 2023ની મેચ નંબર 54 મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. આ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચને મુંબઈ ઇન્ડિયન્સે શાહી અંદાજમાં 6 વિકેટથી જીતી લીધી અને તે પણ 21 બોલ બાકી રહેતા જ મુંબઈ ઇન્ડિયન્સે મેચ પોતાના નામે કરી લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા 199 રનની ઇનિંગ રમી હતી.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમના સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 83 રનોની તોફાની ઇનિંગ રમી હતી. તેમા 7 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ રહ્યા. ઈશાન કિશને 21 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, નેહાલ વઢેરાએ 24 બોલમાં 52 રન બનાવીને મેચ ફિનિશ કરી.

મેચ દરમિયાન રોહિત શર્મા (7) ના LBW આઉટ થવા પર સવાલ ઊભા થઈ ગયા છે. તેને DRS બાદ આઉટ આપવામાં આવ્યો. હિટમેન પોતે પણ પોતાના આઉટ થવા પર આશ્ચર્ય ચકિત જોવા મળ્યો. મોહમ્મદ કેફે પણ DRS LBW આઉટ આપવાના નિર્ણય પર સવાલો ઊભા કર્યા. રોહિત શર્મા ક્રીઝથી ઘણો આગળ નીકળી આવ્યો હતો. મોહમ્મદ કેફે પોતાના ટ્વિટમાં લખ્યું- હેલો DRS, આ કંઈક વધારે જ નથી થઈ ગયુ? આ કઈ રીતે LBW હોઈ શકે છે.

મેચમાં વાનિંદુ હસરંગાની બોલ રોહિતના પેડ પર લાગી તો મેદાન પર હાજર અમ્પાયરોએ તેને નોટ આઉટ આપી દીધો હતો. જોકે, ફાફ ડુ પ્લેસિસે નિર્ણયની સમીક્ષા કરવાનો વિકલ્પ પસંદ કર્યો. રિપ્લેમાં એ જાણકારી મળી કે, અલ્ટ્રાએજમાં દેખાઈ રહ્યું છે કે રોહિત શર્માએ બોલને હિટ નથી કર્યું. બોલ-ટ્રેકિંગ ડિવાઇસ પરથી જાણકારી મળી કે બોલ સ્ટંપ્સને હિટ કરી રહી હતી. તેને જોતા થર્ડ અમ્પાયરે રોહિતને આઉટ આપી દીધો. તેના પર રોહિત શર્મા પણ ચોંકી ગયો હતો.

અમ્પાયરે રોહિત શર્માને LBW આઉટ નહોતો આપ્યો પરંતુ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ જ્યારે DRS લીધો તો તેને આઉટ આપી દેવામાં આવ્યો. LBW ના નિયમ અનુસાર, જો કોઈ ખેલાડી વિકેટથી 3 મીટર આગળ નીકળીને આવી જાય છે તો તેને આઉટ ના આપી શકાય અને જે બોલ પર રોહિત શર્માને LBW આઉટ આપવામાં આવ્યો, ત્યારે રોહિત જ્યાં ઊભો હતો ત્યાંથી સ્ટંપ્સનું અંતર 3.7 મીટર હતું. એટલે કે નિયમ અનુસાર, રોહિત નોટઆઉટ હતો.

મોહમ્મદ કેફના ટ્વિટ પર ઘણા ફેન્સ પણ નારાજ દેખાયા. તેમણે પણ રોહિતના આઉટ થવા પર LBWના 3 મીટરના નિયમની વાત કરી.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.