પાકિસ્તાન ક્રિકેટમાં હાહાકાર, પાક.ખેલાડીએ કહ્યું- PCB નથી ઇચ્છતું કે અમે જીતીએ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ વન-ડે વર્લ્ડ કપ 2023માં આશા મુજબ પ્રદર્શન કરી શકી નથી. બાબર આઝમની આગેવાનીમાં ટીમ અત્યાર સુધી 6માંથી માત્ર 2 મેચ જ જીતી શકી છે. આ દરમિયાન પાકિસ્તાનના સીનિયર ખેલાડીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBને સવાલોના ઘેરામાં ઊભું કર્યું છે. ખેલાડીનું કહેવું છે કે, બોર્ડ નથી ઇચ્છતું કે અમે જીતીએ. પાકિસ્તાની ટીમનું સેમીફાઇનલમાં જવાનું ખૂબ મુશ્કેલ છે. તેને અફઘાનિસ્તાન જેવી નબળી ટીમ સામે પણ હારનો સામનો કરવું પડ્યું.

પાકિસ્તાની ટીમ પોતાની સાતમી મેચમાં 31 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ઉતરશે. આ મેચ ઇડન ગાર્ડન્સમાં રમાવાની છે. Cricbuzzના રિપોર્ટ મુજબ, પાકિસ્તાની ટીમના એક સીનિયર ખેલાડીએ કહ્યું કે, બોર્ડ ઈચ્છે છે કે ટીમ નિષ્ફળ થાય. તે નથી ઇચ્છતું કે અમે વર્લ્ડ કપ જીતીએ, જેથી તે ટીમમાં બદલાવ કરી શકે અને ખેલાડીઓને કંટ્રોલ કરી શકે. તેનાથી તે પોતાના હિસાબે ટીમને ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગત દિવસોમાં એક રીલિઝ જાહેર કરી હતી.

તેમાં કહેવામાં આવ્યું હતું કે, ચીફ સિલેક્ટર ઇંઝમામ ઉલ અને કેપ્ટન બાબર આઝમને ટીમ પસંદ કરવાની પૂરી આઝાદી આપવામાં આવી હતી. પાકિસ્તાન ખેલાડીએ કહ્યું કે, ટીમની અંદર ખેલાડીઓ વચ્ચે જે દલિલ કે અસહમતી થાય છે, તે ખૂબ સામાન્ય છે. અમે એટલા પરિપક્વ છીએ કે તેને પહોંચીવળી શકીએ છીએ. અમને બાહ્ય હસ્તક્ષેપની જરૂરિયાત નથી. અમે સમજીએ છીએ કે વર્લ્ડ કપ અમારા માટે શું મહત્ત્વ ધરાવે છે અને તેને જીતવા માટે અમારે એક સાથે રમવું પડશે, પરંતુ જો બોર્ડના કેટલાક સ્વાર્થી લોકો અમારી વાતો લીક કરે છે તો તેની અસર ટીમ પર પડે છે.

ખેલાડીએ આગળ કહ્યું કે, અમે બધા વિવાદથી દૂર રહેવા માગીએ છીએ. સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર્સની નિંદાની પણ અમારા પર અસર થાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા લેટર જાહેર કરવું ક્યાંયથી પણ સારું નથી. જો કેપ્ટન કે સિલેક્ટરથી ટીમ ન પસંદ થઈ તો કોણે કરી? ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ માટે ટીમ જાહેર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન જકા અશરફે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ઉપ કેપ્ટન સહિત ખેલાડી સારું પ્રદર્શન કરતા નથી, તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.