એશિયા કપ અગાઉ બાંગ્લાદેશને મળી ગયો નવો કેપ્ટન, સૌથી સફળ ખેલાડીને જવાબદારી

ICC વન-ડે વર્લ્ડ કપની શરૂઆતમાં હવે 2 મહિના કરતા પણ ઓછો સમય બચ્યો છે. વન-ડે વર્લ્ડ કપ 5 ઑક્ટોબરથી લઈને 19 સપ્ટેમ્બર સુધી ભારતના ઘર આંગણે રમાવાનો છે. પહેલી વખત એમ થવા જઈ રહ્યું છે કે, ભારત એકલું જ વન-ડે વર્લ્ડ કપની મેજબની કરશે. આ અગાઉ તેણે વર્ષ 1987, 1996 અને વર્ષ 2011ના ટૂર્નામેન્ટની સંયુક્ત મેજબની કરી હતી. વન-ડે વર્લ્ડ કપ અગાઉ એશિયા કપનું આયોજન પણ થવાનું છે. આ વખત એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકાની સંયુક્ત મેજબનીમાં 31 ઑક્ટોબરથી રમાશે.

આ બે મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટો અગાઉ બાંગ્લાદેશ ક્રિકેટમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ માટે વન-ડે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. શાકિબ અલ હસન એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશી ટીમનું નેતૃત્વ કરશે. 36 વર્ષીય ખેલાડી શાકિબ અલ હસને તમીમ ઇકબાલની જગ્યા લીધી છે. જેણે વન-ડે ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમૂલ હસને કહ્યું કે, શાકિબ અલ હસન એશિયા કપ, ન્યૂઝીલેન્ડ સીરિઝ અને વર્લ્ડ કપ માટે કેપ્ટન તરીકે રહેવાનો છે. જ્યારે તે લંકા પ્રીમિયર લીગ બાદ બાંગ્લાદેશ ફરશે તો અમે તેને વાત કરીશું. અમારે દીર્ઘકાલીન યોજનાને જાણવી પડશે. મેં કાલે તેની સાથે ફોન પર વાત કરી હતી, પરંતુ સારું હશે કે અમે તેની સાથે વ્યક્તિગત રૂપે વાત કરીએ, તે આ સમયે ફ્રેન્ચાઇઝી લીગમાં વ્યસ્ત છે. જોવા જઈએ તો શાકિબ અલ હસન હવે ત્રણેય ફોર્મેટમાં બાંગ્લાદેશી ટીમનો કેપ્ટન છે.

જ્યારે શાકિબ પહેલી વખત કેપ્ટન બન્યો હતો ત્યારે તેણે વર્ષ 2009-11 દરમિયાન કુલ 49 વન-ડે મેચોમાં બાંગ્લાદેશનું નેતૃત્વ કર્યું અને 22 મેચોમાં ટીમને જીત અપાવી. પછી શાકીબે વર્ષ 2015-17 દરમિયાન પણ મશરફે મુર્તઝાની અનુપસ્થિતિમાં 3 વન-ડે મેચોમાં બાંગ્લાદેશની કેપ્ટન્સી કરી. શાકિબે અત્યારે સુધી 19 ટેસ્ટ, 52 વન-ડે અને 39 T20 મેચોમાં બાંગ્લાદેશની કેપ્ટન્સી કરી છે. નજમૂલ હસને આગળ કહ્યું કે, એશિયા કપ માટે પસંદ થનારી ટીમ વર્લ્ડ કપ જેવી જ હશે. અમારી પાસે માત્ર એક સ્પોટ ખાલી છે.

તેમણે કહ્યું કે, અમે અત્યારે પણ તમીમ ઇકબાલ બાબતે બતાવી શકતા નથી, જે પીઠની ઇજાથી બહાર આવી રહ્યો છે. અમે એશિયા કપમાં એક કે બે ઑપનર બેટ્સમેનોને પારખી શકીએ છીએ. ઓપનર બેટ્સમેન તમીમ ઇકબાલ ઇજાના કારણે થોડા દિવસ અગાઉ જ વન-ડે ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. તેણે 30 ઑગસ્ટથી શરૂ થનારા એશિયા કપથી બહાર થઈ ચૂક્યો છે. જો કે, તમીમને આશા છે કે તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 21 સપ્ટેમ્બરથી શરૂ થતી વન-ડે સીરિઝ અને ત્યારબાદ થનારા વન-ડે વર્લ્ડ કપ માટે સમય પર ફિટ થઈ જશે.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.