ગુજરાત સામે હારીને પણ IPL પ્લેઓફની રેસમાં કાયમ છે હૈદરાબાદ, જાણો આખું સમીકરણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025મા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. સનરાઇઝર્સ હૈદરાબાદને હવે ગુજરાત ટાઇટન્સ (GT) સામે 38 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. 2 મે (શુક્રવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 225 રનનો ટારગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા હૈદરાબાદ 6 વિકેટ ગુમાવીને માત્ર 186 રન જ બનાવી શકી હતી.

આ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની આ 10 મેચમાં 7મી હાર હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે માત્ર 6 પોઇન્ટ છે અને તે 10 ટીમોના પોઇન્ટસ ટેબલમાં 9મા નંબરે છે. સનરાઇઝર્સ હૈદરાબાદે લીગ સ્ટેજ હજુ 4 મેચ રમવાની છે. હવે ફેન્સના મનમાં એવો સવાલ જરૂર થશે કે શું સનરાઇઝર્સ હૈદરાબાદ હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકશે? તો તેનો જવાબ છે- હાં. પરંતુ તેના માટે સનરાઇઝર્સ હૈદરાબાદને નસીબના સહારાની પણ જરૂર છે.

SRH
BCCI

સામાન્ય રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા 16 પોઈન્ટ હોવા જોઇએ. પરંતુ ક્યારેક-ક્યારેક 14 પોઈન્ટ પર પણ ટીમો ક્વોલિફાય થાય છે, જો તેમની નેટ રન રેટ (NRR) સારી હોય તો. ગત IPL સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ 14 પોઈન્ટ પર પ્લેઓફ માટે ક્વોલિફાય થઇ હતી. ગત સીઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પહેલી 8 મેચમાંથી માત્ર એક જ જીતી શકી હતી, પરંતુ, તેણે છેલ્લી 6 મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદને 14 પોઈન્ટ મેળવવા માટે બાકીની 4 મેચ મોટા અંતરથી જીતવી પડશે, જેથી તેની નેટ રન રેટ (NRR) સુધરી શકે. હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની NRR -1.192 છે. જોકે, તેનું ભાગ્ય અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેશે. સનરાઇઝર્સ હૈદરાબાદે આશા રાખવી પડશે કે તેમના સિવાય વધુમાં વધુ 3 ટીમો 14 કે તેથી વધુ પોઈન્ટ હાંસલ કરે.

ગુજરાત ટાઇટન્સ (GT), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) પાસે પહેલાથી જ 13 કે તેનાથી વધુ પોઈન્ટ છે. જો આ 4 ટીમો 14 કે તેનાથી વધુ પોઈન્ટ સુધી પહોંચી જાય છે તો સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી પૂરી રીતે બહાર થઈ જશે. આ ટીમો સાથે જોડાયેલી મેચો પર પણ સનરાઇઝર્સ હૈદરાબાદે નજર રાખવી પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદે હવે દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે મેચ રમવાની છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની બાકી મેચોનું શેડ્યૂલ:

5 મે વર્સિસ, દિલ્હી કેપિટલ્સ, હૈદરાબાદ, સાંજે 7:30 વાગ્યે

10 મે વર્સિસ, કોલકાતા નાઈટ રાઈડર્સ, હૈદરાબાદ, સાંજે 7:30 વાગ્યે

13 મે વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બેંગ્લોર, સાંજે 7:30 વાગ્યે

18 મે વર્સિસ લખનૌ સુપર જાયન્ટ્સ, લખનૌ, સાંજે 7:30 વાગ્યે

SRH1
BCCI

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમઃ

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જીશાન અંસારી, મોહમ્મદ શમી, ઈશાન મલિંગા, અભિનવ મનોહર, સચિન બેબી, રાહુલ ચાહર, વિયાન મુલ્ડર, જયદેવ ઉનાડકટ, કામિંદુ મેન્ડિસ, અથર્વ તાયડે, સિમરજીત સિંહ, સ્મરણ રવિચંદ્રન.

About The Author

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.