ઇશાન કિશને બાળકોને કેમ ન આપ્યો ઓટોગ્રાફ? આ છે કારણ

ભારતીય ક્રિકેટના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશન આ દિવસોમાં ચર્ચામાં છે. તેણે તાજેતરમાં જ ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2025માં તેણે કેપ્ટન્સી કરતા પહેલી ટ્રોફી અપાવી હતી. આ શાનદાર પ્રદર્શનથી ઇશાનને લગભગ 2 વર્ષ બાદ ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું છે અને તેની ICC T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદગી કરવામાં આવી છે. આ દરમિયાન ઇશાન કિશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે યુવા ખેલાડીઓને ઓટોગ્રાફ આપી નહોતી.

ishan-kishan
hindustantimes.com

ઇશાન કિશને કેમ ઓટોગ્રાફ ન આપી?

વાયરલ વીડિયોમાં ઇશાન એક ક્રિકેટ એકેડેમીમાં યુવા ખેલાડીઓને મળતો જોવા મળે છે. અ દરમિયાન બાળકો તેની પાસે ઓટોગ્રાફ માંગે છે, પરંતુ ઇશાન તેમને પ્રેરણા આપતો જોવા મળે છે. ઇશાન કિશને કહ્યું, ‘ઓટોગ્રાફ તો ઠીક છે, અત્યારે તમે તમારી પ્રેક્ટિસ પર ધ્યાન આપો. અત્યારે હું સહી કરીશ, તેનાથી શું થશે? કાલે બેટ બદલાઈ પણ જશે. તમે લોકો માત્ર મહેનત કરો અને સારી પ્રેક્ટિસ કરો, રન બનાવો, વિકેટ લો અને કેચ પકડો. એક દિવસ તમારે બધાને ઓટોગ્રાફ આપવાની છે. તેનો અ મોતીવેશનલ વીડિયો ફેંસને ખૂબ પસંદ આવી રહ્યો છે.

ઈશાન કિશન વર્ષ 2023થી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો. જોકે, તે ઘરેલુ ક્રિકેટમાં પાછો ફર્યો અને શાનદાર પ્રદર્શન સાથે હવે તેણે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. SMATમાં ઈશાનને શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 10 ઇનિંગ્સમાં 517 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની સ્ટ્રાઈક રેટ 197.32 રહી અને તેણે 33 છગ્ગા અને 51 ચોગ્ગા પણ ફટકાર્યા. તેણે ટુર્નામેન્ટની ફાઇનલમાં સદી પણ ફટકારી હતી.

ishan-kishan1
sports.ndtv.com

આ શાનદાર ફોર્મે ટીમ ઈન્ડિયાના સિલેક્ટરોનું ધ્યાન ખેંચ્યું, અને ઈશાનને T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી ટીમમાં બીજા વિકેટકીપર તરીકે ઈશાનને પસંદ કરવામાં આવ્યો છે. ઈશાન લગભગ 2 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા પર ખૂબ જ ખુશ છે. તે T20 વર્લ્ડ કપ 2026 પહેલા ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં પણ રમતો જોવા મળશે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.