રવિચંદ્રન અશ્વિને એવું કેમ કહ્યું કે, 'ક્રિકેટ ફેન્સ T20 વર્લ્ડ કપ નહીં જોશે...'

T20 વર્લ્ડ કપ 2026 ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાનો છે. આ વખતે ભારત અને શ્રીલંકા આ ટુર્નામેન્ટનું આયોજન કરશે. જોકે, ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​અશ્વિને આગામી T20 વર્લ્ડ કપ અંગે ICCને કડક ચેતવણી આપી છે. અશ્વિને ચાહકોની રુચિમાં ઘટાડો થવાની આગાહી કરી હતી. ભારતીય દિગ્ગજ માને છે કે, ટુર્નામેન્ટના વર્તમાન ફોર્મેટ અને સતત એક પછી એક થઇ રહેલા ICC ઇવેન્ટ્સના કારણે આ વખતે દર્શકોનો રસ તેમાંથી ઓછો થઇ શકે છે. અશ્વિને 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

R Ashwin
thequint.com

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, દર વર્ષે એક મોટી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવાથી તેનું મહત્વ ઘટી રહ્યું છે. તેણે તેની સરખામણી ફૂટબોલમાં FIFA વર્લ્ડ કપ સાથે કરી, જે દર ચાર વર્ષે યોજાય છે અને સમગ્ર વિશ્વ તેની રાહ જોઈ રહ્યું હોય છે. અશ્વિને કહ્યું, 'આ વખતે કોઈ ICC T20 વર્લ્ડ કપ જોવાનું નથી. ભારત વિરુદ્ધ USA અથવા ભારત વિરુદ્ધ નામિબિયા જેવી મેચો દર્શકોને વર્લ્ડ કપથી દૂર લઇ જશે.' પહેલા વર્લ્ડ કપ ચાર વર્ષે એક વાર યોજાતો હતો, જેના કારણે લોકોમાં ઉત્સુકતા જીવંત રહેતી હતી. પહેલા રાઉન્ડમાં, ભારત ઇંગ્લેન્ડ અથવા શ્રીલંકા જેવી ટીમોનો સામનો કરતું હતું, જે ઘણું રોમાંચક હતું.'

R Ashwin
network10.in

અશ્વિને ટુર્નામેન્ટના વિસ્તરણ અને ગ્રુપ સ્ટેજમાં નબળી ટીમોના સમાવેશ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેનું માનવું છે કે, ટોચની ટીમો અને એસોસિએટ રાષ્ટ્રો વચ્ચે રમતના સ્તરમાં નોંધપાત્ર અંતર છે. એકતરફી મેચના કારણે ટુર્નામેન્ટની શરૂઆતમાં જ કંટાળો આવી શકે છે, જેની સીધી અસર દર્શકો પર પડે છે.

તેણે કહ્યું, 'ODI ફોર્મેટ હવે બિનજરૂરી જેવું બની ગયું છે, અને ICC એ વર્લ્ડ કપનું આયોજન કેવી રીતે થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. દર વર્ષે, આવક માટે ICC ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. FIFA જુઓ. ત્યાં વિવિધ લીગ છે, અને વર્લ્ડ કપ દર ચાર વર્ષે એક વાર યોજાય છે. તેથી, વર્લ્ડ કપનું પોતાનું મહત્વ બની રહે છે.' અશ્વિને ઉમેર્યું, 'ઘણી બધી વધારાની દ્વિપક્ષીય શ્રેણી, ઘણા બધા ફોર્મેટ અને ઘણા બધા વર્લ્ડ કપ, આ બધું જ અતિશય બની ગયું છે.'

R Ashwin
livehindustan.com

2010થી, ICC ઇવેન્ટ્સ લગભગ દર વર્ષે યોજાઈ રહી છે. આ ફક્ત 2018માં જ આવું નહોતું બન્યું. COVID-19 રોગચાળાને કારણે T20 વર્લ્ડ કપ 2020માં ન રમાડીને તેને 2021માં ખસેડવામાં આવ્યો અને પછી 2022માં ફરીથી રમાડવામાં આવ્યો. ODI વર્લ્ડ કપ 2023માં યોજાયો હતો, ત્યારપછી 2024માં T20 વર્લ્ડ કપ થયો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં યોજાઈ હતી, અને હવે T20 વર્લ્ડ કપ 2026માં યોજાશે, ત્યારપછી 2027માં ODI વર્લ્ડ કપ રમાડવામાં આવશે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.