રવિચંદ્રન અશ્વિને એવું કેમ કહ્યું કે, 'ક્રિકેટ ફેન્સ T20 વર્લ્ડ કપ નહીં જોશે...'

T20 વર્લ્ડ કપ 2026 ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાનો છે. આ વખતે ભારત અને શ્રીલંકા આ ટુર્નામેન્ટનું આયોજન કરશે. જોકે, ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​અશ્વિને આગામી T20 વર્લ્ડ કપ અંગે ICCને કડક ચેતવણી આપી છે. અશ્વિને ચાહકોની રુચિમાં ઘટાડો થવાની આગાહી કરી હતી. ભારતીય દિગ્ગજ માને છે કે, ટુર્નામેન્ટના વર્તમાન ફોર્મેટ અને સતત એક પછી એક થઇ રહેલા ICC ઇવેન્ટ્સના કારણે આ વખતે દર્શકોનો રસ તેમાંથી ઓછો થઇ શકે છે. અશ્વિને 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

R Ashwin
thequint.com

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, દર વર્ષે એક મોટી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવાથી તેનું મહત્વ ઘટી રહ્યું છે. તેણે તેની સરખામણી ફૂટબોલમાં FIFA વર્લ્ડ કપ સાથે કરી, જે દર ચાર વર્ષે યોજાય છે અને સમગ્ર વિશ્વ તેની રાહ જોઈ રહ્યું હોય છે. અશ્વિને કહ્યું, 'આ વખતે કોઈ ICC T20 વર્લ્ડ કપ જોવાનું નથી. ભારત વિરુદ્ધ USA અથવા ભારત વિરુદ્ધ નામિબિયા જેવી મેચો દર્શકોને વર્લ્ડ કપથી દૂર લઇ જશે.' પહેલા વર્લ્ડ કપ ચાર વર્ષે એક વાર યોજાતો હતો, જેના કારણે લોકોમાં ઉત્સુકતા જીવંત રહેતી હતી. પહેલા રાઉન્ડમાં, ભારત ઇંગ્લેન્ડ અથવા શ્રીલંકા જેવી ટીમોનો સામનો કરતું હતું, જે ઘણું રોમાંચક હતું.'

R Ashwin
network10.in

અશ્વિને ટુર્નામેન્ટના વિસ્તરણ અને ગ્રુપ સ્ટેજમાં નબળી ટીમોના સમાવેશ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેનું માનવું છે કે, ટોચની ટીમો અને એસોસિએટ રાષ્ટ્રો વચ્ચે રમતના સ્તરમાં નોંધપાત્ર અંતર છે. એકતરફી મેચના કારણે ટુર્નામેન્ટની શરૂઆતમાં જ કંટાળો આવી શકે છે, જેની સીધી અસર દર્શકો પર પડે છે.

તેણે કહ્યું, 'ODI ફોર્મેટ હવે બિનજરૂરી જેવું બની ગયું છે, અને ICC એ વર્લ્ડ કપનું આયોજન કેવી રીતે થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. દર વર્ષે, આવક માટે ICC ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. FIFA જુઓ. ત્યાં વિવિધ લીગ છે, અને વર્લ્ડ કપ દર ચાર વર્ષે એક વાર યોજાય છે. તેથી, વર્લ્ડ કપનું પોતાનું મહત્વ બની રહે છે.' અશ્વિને ઉમેર્યું, 'ઘણી બધી વધારાની દ્વિપક્ષીય શ્રેણી, ઘણા બધા ફોર્મેટ અને ઘણા બધા વર્લ્ડ કપ, આ બધું જ અતિશય બની ગયું છે.'

R Ashwin
livehindustan.com

2010થી, ICC ઇવેન્ટ્સ લગભગ દર વર્ષે યોજાઈ રહી છે. આ ફક્ત 2018માં જ આવું નહોતું બન્યું. COVID-19 રોગચાળાને કારણે T20 વર્લ્ડ કપ 2020માં ન રમાડીને તેને 2021માં ખસેડવામાં આવ્યો અને પછી 2022માં ફરીથી રમાડવામાં આવ્યો. ODI વર્લ્ડ કપ 2023માં યોજાયો હતો, ત્યારપછી 2024માં T20 વર્લ્ડ કપ થયો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં યોજાઈ હતી, અને હવે T20 વર્લ્ડ કપ 2026માં યોજાશે, ત્યારપછી 2027માં ODI વર્લ્ડ કપ રમાડવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ક્યારેક, ભંગારમાં પણ એવી કિંમતી વસ્તુઓ મળી જાય છે કે જેની કિંમત લાખો કરોડોની હોય છે. જાલંધરમાં એક દાયકાઓથી...
National 
ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.