ઈશાને મેચ એકતરફી કરી દીધી તો પણ કેપ્ટન સૂર્યકુમાર તેના પર કેમ ગુસ્સે થયો?

કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને 'પ્લેયર ઓફ ધ મેચ' ઈશાન કિશને પોતાની શાનદાર ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમને જીત અપાવી હતી. જ્યારે ઈશાન કિશન બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 6 રન હતો. ત્યાંથી ઈશાન કિશને એવી ધમાલ મચાવી કે તેણે ક્યારે પોતાની અડધી સદી પૂરી કરી તે પણ ખબર ન પડી. આ કારણે ભારતે 209 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 15.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો. જ્યારે ઈશાન કિશને આટલી શાનદાર રમત બતાવી તો પછી સૂર્યાકુમાર યાદવ તેના પર કેમ ગુસ્સે થયો હતો?

surya
BCCI

સૂર્યાકુમાર યાદવે પણ 23 ઇનિંગ્સ બાદ આ મેચમાં અડધી સદી ફટકારી. તેણે ઈશાન કિશન સાથે માત્ર 48 બૉલમાં 122 રનની ભાગીદારી કરી. જોકે, પાવરપ્લેમાં સૂર્યકુમાર યાદવ સ્ટ્રાઈકથી દૂર નજરે પડ્યો અન અને ફેન્સને માત્ર ઈશાનની હીટિંગ જ દેખાઈ. બસ આ જ તેની નારાજગીનું કારણ હતું. મેચ બાદ સૂર્યાએ કહ્યું કે, ‘મને ગુસ્સો આવી રહ્યો હતો કે ઇશાન મને પાવરપ્લેમાં સ્ટ્રાઇક આપી રહ્યો નહોતો. પરંતુ હું પરિસ્થિતિને સમજવામાં સફળ રહ્યો. મેં નેટ્સમાં સારી બેટિંગ કરી, સારો બ્રેક લીધો છે અને મેચ પહેલા સારું પ્રેક્ટિસ સેશન પણ કર્યું છે.

kishan2
BCCI

જોકે, સૂર્યકુમારે ઇશાન કિશનની ખૂબ પ્રશંસા પણ કરી. તેણે કહ્યું કે, ‘મને ખબર નથી કે ઇશાને બપોરના ભોજનમાં શું ખાધું હતું, પરંતુ મેં કોઈને પણ 6 રન પર 2  વિકેટ ગુવાવ્યા બાદ આ પ્રકારની બેટિંગ કરતા અને પાવરપ્લેના અંત સુધીમાં 60 થી વધુ (75) રન બનાવતા જોયો નથી. પરંતુ અમે એવું જ ઇચ્છીએ છીએ કે અમારા બેટ્સમેન ખૂલીને તેમની પ્રતિભાનું પ્રદર્શન કરી શકે.

surya5
BCCI

સૂર્યકુમાર યાદવે પોતાના બોલરોની પણ પ્રશંસા કરી. તેણે કહ્યું કે, ‘ટીમે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. જ્યારે તેમનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 110 રન હતો, ત્યારે મને લાગ્યું હતું કે સ્કોર 230ની આસપાસ હશે. પરંતુ બધા બોલરોએ પોતાનું યોગદાન આપ્યું અને જવાબદારી લીધી. જે કંઈ થઈ રહ્યું છે, મને તે ખૂબ સારું લાગી રહ્યું છે. ટીમમાં ઉત્સાહનો માહોલ છે અને અને હું તેને તે રીતે જાળવી રાખવા માંગુ છું.

આ સાથે જ ભારતે T20Iમાં રનનો સૌથી મોટા સ્કોરનો પીછો કરવાના પોતાના રેકોર્ડની બરાબરી કરી. ટીમે અગાઉ 2023માં વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામે ટારગેટનો પીછો કરતા 209 રન બનાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

Redmi Note 15 Pro અને Pro Plus ભારતમાં લોન્ચ, 200 MP કેમેરા, 6580 mAh બેટરી, જાણો કિંમત

Redmi Note 15 Pro સીરિઝ 5Gને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીરિઝમાં Redmi Note 15 Pro 5G અને ...
Tech and Auto 
Redmi Note 15 Pro અને Pro Plus ભારતમાં લોન્ચ, 200 MP કેમેરા, 6580 mAh બેટરી, જાણો કિંમત

સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર કેમ રોક લગાવી? હવે શું થશે?

સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભેદભાવ રોકવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો પર ગુરુવારે...
National 
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર કેમ રોક લગાવી? હવે શું થશે?

અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

ન્યૂઝીલેન્ડે ચોથી T20માં ભારતને 50 રનથી હરાવીને સીરિઝની પહેલી જીત મેળવી. ભારતની હારનું સૌથી મોટું કારણ ભારતીય બેટ્સમેનોનું નબળું...
Sports 
અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી...
Opinion 
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.