પહેલા આપેલી મંજૂરી, હવે સ્વીડન સરકાર કેમ કહી રહી છે કુરાન બાળવું એ ખોટું હતું?

સ્વીડનની સરકારે રાજધાની સ્ટોકહોમમાં કુરાન સળગાવવાની ઘટનાની નિંદા કરી છે. સરકારે તેને 'ઈસ્લામોફોબિક' ગણાવ્યું છે. 28 જૂનના રોજ, 37 વર્ષીય સલવાન મોમિકાએ અહીંની મુખ્ય મસ્જિદની સામે કુરાનને આગ લગાવી હતી. તે ઈદ ઉલ આધા એટલે કે બકરી ઈદની રજાનો પહેલો દિવસ હતો. મોમિકા ઈરાકી નાગરિક છે. જે વર્ષો પહેલા ત્યાંથી ભાગીને સ્વીડન આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, સ્વીડનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ ઘટનાની નિંદા કરી છે. મંત્રાલયે કહ્યું, 'અમારી સરકાર સમજે છે કે દેશમાં થઈ રહેલી આવી ઈસ્લામોફોબિક ઘટનાઓ મુસ્લિમો માટે અપમાનજનક થઇ શકે છે. અમે તેમની સખત નિંદા કરીએ છીએ. તેઓ કોઈપણ રીતે સ્વીડિશ સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી.'

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, 'કુરાન અથવા અન્ય કોઈ પવિત્ર ગ્રંથને બાળવું એ અપમાનજનક અને અનાદરજનક કૃત્ય છે. આ ઘટના સીધી રીતે કોઈને ઉશ્કેરવા માટે કરવામાં આવી છે. જાતિવાદ, ઝેનોફોબિયા અથવા તેનાથી સંબંધિત કોઈપણ ઘટનાને સ્વીડન અને સમગ્ર યુરોપમાં કોઈ સ્થાન નથી.' મંત્રાલયે એમ પણ કહ્યું કે, દેશમાં સભા કરવી, અભિવ્યક્તિ વ્યક્ત કરવી અને પ્રદર્શન કરવાની સ્વતંત્રતા છે. અહીં આ અધિકારો બંધારણીય રીતે સુરક્ષિત છે.

આ ઘટના પછી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC)એ આવી ઘટનાઓને રોકવા માટે અવાજ ઉઠાવ્યો હતો. સંગઠને આ ઘટનાઓને રોકવાના ઉપાયો શોધવાની વાત કરી હતી. 57 દેશોના આ સંગઠને તેના જેદ્દાહ હેડક્વાર્ટરમાં એક બેઠક યોજી હતી.

OICએ તેના સભ્ય સંગઠનોને આવી ઘટનાઓને રોકવા માટે સામૂહિક પ્રયાસો કરવા વિનંતી કરી. આ પછી જ સ્વીડનની સરકારની આ પ્રતિક્રિયા સામે આવી છે. આ પહેલા ઈરાક, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત અને મોરોક્કોની સરકારોએ આ ઘટનાનો વિરોધ નોંધાવવા સ્વીડનના રાજદૂતોને બોલાવ્યા હતા. સ્વીડિશ પોલીસે અભિવ્યક્તિની સ્વતંત્રતાને ટાંકીને મોમિકાને છોડી દીધો હતો. જોકે, ત્યાર પછી અધિકારીઓએ કહ્યું હતું કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ આ ઘટના વિરોધ પ્રદર્શન હેઠળ બની છે. સ્વીડનની પોલીસે આ માટે પહેલાથી જ પરવાનગી આપી દીધી હતી. પોલીસ હવે તેને 'વંશીય અથવા રાષ્ટ્રીય જૂથ વિરુદ્ધ આંદોલન' તરીકે તેની તપાસ કરશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.