હું દેશદ્રોહી નથી, નસરુલ્લા સાથે ભારત આવીશ, પાકિસ્તાન ખૂબ સુંદર છે: અંજુ

ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ ત્યાંથી પોતાના દેશને સંદેશો આપ્યો છે. અંજુનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તેણે ભારત આવવાની વાત કહી છે. આ વીડિયોમાં અંજુ સાથે નસરુલ્લા પણ જોવા મળી રહ્યો છે. અંજુ જુલાઈમાં તેના પાકિસ્તાની ફેસબુક મિત્ર નસરુલ્લાને મળવા ખૈબર પખ્તુનખ્વા ગઈ હતી. અંજુનો વિઝા જે 20 ઓગસ્ટે પૂરો થવાનો હતો, તે હવે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. અંજુના મતે ભારત અને પાકિસ્તાન બંને સુંદર દેશ છે અને તે દેશદ્રોહી નથી. અંજુનો વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે તે મીડિયા સાથે વાત કરી રહી હતી.

નસરુલ્લાની સાથે હાજર રહેલી અંજુએ કહ્યું, 'દરેકને લાગે છે કે હું અહીં આવીને આ જગ્યાના વખાણ કરી રહી છું. એવું નથી, જે હકીકતમાં છે તે જ બતાવી રહી છું. ભારત પણ સુંદર છે અને આ એક જ ભૂમિ છે. સરહદ તો પાછળથી બનાવવામાં આવી છે. એવું નથી કે હું ભારતને પ્રેમ નથી કરતી. તેણે આગળ કહ્યું, 'હું ભારત પણ પાછી જઈશ. એકલી પણ જઈશ અને બંને સાથે પણ જઈશું.'

અંજુ કહે છે કે, તેના વિશે મીડિયામાં ઘણી અફવાઓ છે. તેનો ફોટો બતાવીને કહેવામાં આવી રહ્યું છે કે, તેણે પોતાના દેશ સાથે દગો કર્યો છે, બાળકો સાથે ખોટું કર્યું છે. પણ એવું નથી અને તેણે કહ્યું, 'હું પણ માણસ છું.' અંજુએ કહ્યું કે, મારા માટે થોડું પોઝિટિવ વિચારો અને તે કોઈની દુશ્મન નથી.

એવા અહેવાલો છે કે, અંજુએ પાકિસ્તાન જઈને ઈસ્લામ અંગીકાર કરી લીધો છે અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. તેનું ઇસ્લામિક નામ ફાતિમા જણાવવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે નસરુલ્લા અંજુને તેની પત્ની તો કહી રહ્યા છે, પણ અંજુએ હજુ સુધી તેને જાહેરમાં પતિ તરીકે સંબોધ્યો નથી. તાજેતરમાં જ નસરુલ્લાએ પોતે અંજુના વિઝા લંબાઈ ગયાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે તેમના વિઝાને એક વર્ષ માટે લંબાવ્યો છે.

નસરુલ્લાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ અંજુના બાળકોને પાકિસ્તાન મોકલવા માટે ભારત સરકારને અપીલ કરશે. બીજી તરફ અંજુના ભારતીય પતિ અરવિંદે સ્પષ્ટ કર્યું છે કે, બાળકો તેમની સાથે ભારતમાં જ રહેશે. અરવિંદે અંજુ વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. આ FIRના કારણે નસરુલ્લા ખૂબ ગુસ્સે છે. તેણે ભારતીય મીડિયા સાથે વાતચીતમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું છે કે, તે કોઈથી ડરતો નથી. સાથે જ તેણે અંજુને સુરક્ષા આપવાની શરતે ભારત મોકલવાની વાત કરી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.