જો પાકિસ્તાન લોન ચૂકવવામાં અસમર્થ થઇ જાય તો જાણો તેની શું અસર થશે

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના અધિકારીઓ અને પાકિસ્તાનના નાણા મંત્રી ઇશાક ડારની ઇસ્લામાબાદમાં બેલઆઉટ પેકેજ પર વાતચીત ફરીથી શરૂ થવાના થોડા દિવસો બાદ વડાપ્રધાન શાહબાજ શરીફે દેશમાં આગામી સંકટને લઇને લોકોને સમજાવ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનમાં આવનાર મુશ્કેલ સમયની ચેતવણી આપી કેમ કે સરકાર બેલઆઉટ પેકેજનો આગામી હપ્તો મેળવવા માટે IMF દ્વારા નિર્ધારિત શરતોનું પાલન કરવા માટે સંઘર્ષ કરી રહી છે એવા દેશ સમય પર લોન ચૂકવવામાં અસમર્થ થઇ જાય છે તો તેની શું અસર પડી શકે છે આવો આ આર્ટિકલમાં આપણે જાણીએ.

ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન પાસે આગામી અઠવાડિયા માટે આયાત બિલની ચૂકવણી કરવા માટે મુશ્કેલ જરૂરી ધન બચ્યું છે. પાકિસ્તાન સતત ડિફોલ્ટથી બચવા માટે IMF દ્વારા આપવામાં આવતા 6 બિલિયન ડૉલરના બેલઆઉટ પેકેજમાંથી 1.1 બિલિયન ડૉલરના એક મહત્ત્વપૂર્ણ હિસ્સાની માગ કરી રહ્યું છે. જો કે, IMFએ હપ્તો આપવા અગાઉ કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં ઉઠાવવા કહ્યું છે જે સરકાર માટે ગળાનું હાડકું બની ગયું છે.

જો પાકિસ્તાનનું રિઝર્વ એટલું નીચે આવી જાય છે કે તે લોનના હપ્તા નહીં આપી શકે તો, આ દશામાં તેને ડિફોલ્ટ જાહેર કરી શકાય છે. તેના પરિણામ સ્વરૂપ મૂડીઝ અને SADP જેવી રેટિંગ એજન્સીઓ દ્વારા દેશની ક્રેડિટ રેટિંગને વધુ નીચે લઇ જવામાં આવશે. આ સ્થિતિમાં સરકારને ઇન્ટરનેશનલ સ્તર પર લોન પ્રાપ્ત કરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેની હાલત શ્રીલંકા જેવી થઇ શકે છે.

ડિફોલ્ટ થયા બાદ પાકિસ્તાન કોઇ પણ સ્થિતિમાં પોતાના એક્સપોર્ટથી વધુ ઇમ્પોર્ટ નહીં કરી શકે, જેથી દેશમાં ઉદ્યોગોને મોટું નુકસાન પહોંચશે. દેશમાં પેટ્રોલથી લઇને કાચા માલની મોટી અછત જોવા મળશે. ઉદ્યોગ પર સીધી અસર પડવાના કારણે હજારો લોકોએ પોતાની નોકરીથી હાથ ધોવા પડશે. ડિફોલ્ટ થવાની સ્થિતિમાં પાકિસ્તાનમાં મોંઘવારી અભૂતપૂર્વ રૂપે વધી જશે. સાથે જ કાચા માલની અછતના કારણે ઘણી જરૂરી વસ્તુઓની તંગીમાંથી દેશને પસાર થવું પડશે.

ઇમરજન્સી સ્થિતિમાં મોટા ભાગે લોકોમાં અફરાતફરી જેવી સ્થિતિ થઇ જાય છે. રાશનથી લઇને મેડિકલ સ્ટોર પર ઘણા કિલોમીટર સુધી લાંબી લાઇન સાથે લૂંટફાટના સમાચારો પણ સામાન્ય થઇ જાય છે. પાકિસ્તાનમાં ન માત્ર આર્થિક રૂપે દેશની જનતાને પરેશાની ઉઠાવવી પડશે, પરંતુ તેનાથી આતંકવાદ પર પણ ચરમ પર જતો રહેશે. બેરોજગારી અને સરકારથી ગુસ્સો વધવાની સ્થિતિમાં દેશનો એક મોટો વર્ગ આતંકવાદ સાથે જોડાઇ શકે છે જેમાંથી દેશને બહાર લાવવો મુશ્કેલ થઇ જશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.