ઈમરાને PM મોદીના વખાણ કરતા કહી દીધી મોટી વાત

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાને ફરી એકવાર ભારતની PM નરેન્દ્ર મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે લાહોરમાં કહ્યું કે, ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને મોંઘવારી દર 7.5 ટકાથી ઘટાડીને 5.5 ટકા કર્યો છે, જ્યારે પાકિસ્તાનમાં તે 12 ટકાથી વધીને 30 ટકા થઇ ગયો છે. તેણે આ માટે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને જવાબદાર ઠેરવ્યા છે, જેઓ ગયા વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, મેં કમર બાજવાને કહ્યું કે, અમેરિકા સાથે ભારતના સારા સંબંધો છે. આ પછી પણ તે યુક્રેનના યુદ્ધ પર તટસ્થ છે. એટલા માટે પાકિસ્તાને પણ આ યુક્રેનના યુદ્ધથી દૂર રહેવું જોઈએ.

ઈમરાન ખાને કહ્યું કે, જ્યારે હું રશિયા ગયો હતો ત્યારે કમર બાજવાએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. પછી જ્યારે હું રશિયા ગયો અને ત્યાંથી ઘઉંના સપ્લાય માટે સોદો કરીને પાછો ફર્યો અને સસ્તા તેલની ખરીદીની વાત કરી ત્યારે, તેઓએ રસિયાના રાષ્ટ્રપતિ પુતિનની નિંદા કરવા માટે મારા પર દબાણ કર્યું. મેં દેશના હિતને ધ્યાનમાં રાખીને આવું નથી કર્યું. ત્યારબાદ એક સેમિનારમાં કમર બાજવાએ ખુદ રશિયાની ટીકા કરી હતી. આ રીતે અમેરિકાને ખુશ કરવા તેણે પોતાની અર્થવ્યવસ્થાને ભઠ્ઠીમાં નાખી દીધી. તેમણે કહ્યું કે આજે દેશમાં તેલ સંકટ અને ઘઉંનું સંકટ છે. તેનું કારણ આ પ્રકારની નીતિ છે.

PTI નેતાએ કહ્યું કે, મારા પહેલાના શાસકોએ દેશની સાર્વભૌમત્વ સાથે ચેડા કર્યા હતા. તેઓ દેશને લૂંટતા રહ્યા. તેમણે કહ્યું કે, જે રીતે લૂંટ ચાલી રહી છે, તેમાં કોઈ કેવી રીતે વિકાસ કરી શકે. તેમણે કહ્યું કે જો આપણે સિંગાપોરમાં જ જોઈએ તો, ભ્રષ્ટ મંત્રીઓ સામે કાર્યવાહી કરીને માથાદીઠ આવક વધારીને 60,000 ડોલર થઈ ગઈ છે. PTI નેતા ઈમરાન ખાને કહ્યું કે, બીજી તરફ પાકિસ્તાનની માથાદીઠ આવક માત્ર 2,000 ડૉલર રહી ગઈ છે. તેનું કારણ એ છે કે, અહીં શાસકોએ જ લૂંટ ચલાવી છે. ઈમરાન ખાને કહ્યું કે, અમે માંગ કરીએ છીએ કે ખૈબર પખ્તુનખ્વા અને પંજાબમાં તાત્કાલિક ચૂંટણી યોજવી જોઈએ. તેમણે કહ્યું કે, આ વર્તમાન સરકાર ચૂંટણીથી ડરે છે, કારણ કે તેઓ હારનો ખતરો અનુભવી રહી છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.