‘મુલ્લાઓ દેશ છોડો...!’, ઈરાનમાં આવા નારા કેમ લાગી રહ્યા છે? ભીડ રસ્તાઓ પર ઉમટી

ઈરાનના માર્ગો પર ભીડ ઉમટી રહી છે. ઠેર-ઠેર મુલ્લાઓએ ઈરાન છોડવો પડશે અને સરમુખત્યારશાહી મુર્દાબાદ જેવા નારા લાગી રહ્યા છે. ઈરાન પર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે. ડિસેમ્બર 2025ના અંત સુધીમાં ઈરાની રિયાલનું મૂલ્ય અમેરિકન ડોલરની તુલનમાં રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું છે. ઈરાનમાં ફુગાવો 42% સુધી પહોંચી ગયો છે, જેમાં માત્ર ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં 72%નો વધારો થયો છે. પરિસ્થિતિ એવી છે કે લાખો ઈરાનીઓ રોટલી, તેલ અને દવા જેવી મૂળભૂત જરૂરિયાતો ખરીદી શકતા નથી.

Mullahs-must-leave-protests
indiatoday.in

આર્થિક મુશ્કેલીઓથી પરેશાન લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારી ખુલ્લેઆમ મૌલવી શાસનને નકારી રહ્યા છે અને તેમને દેશ છોડવાનું કહી રહ્યા છે. લોકોનું માનવું છે કે, સત્તાધારી મૌલવીઓ ફક્ત ભ્રષ્ટાચાર કરે છે. આયાતુલ્લા અલી ખામનેઇની આગેવાનીવાળું ધાર્મિક શાસન 3 વર્ષમાં સૌથી મોટા વિરોધ પ્રદર્શનનો સામનો કરી રહ્યું છે. તેહરાનના ગ્રાન્ડ બજારમાં શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે મશહદ અને શિરાઝ સહિત ઘણા શહેરોમાં ફેલાઈ રહ્યું છે.

 

2022ના મહસા અમીની વિરોધ પ્રદર્શન બાદ જ ઈરાની જનતા શાસન સામે વિરોધ કરી રહી છે. લોકો શાસન દ્વારા લાદવામાં આવેલા કડક સામાજિક અને વ્યક્તિગત પ્રતિબંધોથી પરેશાન છે. ઈરાની નાગરિકો ખાસ કરીને મહિલાઓ માટે વધુ સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે.

ઈરાની રિયાલના મૂલ્યમાં ઘટાડા બાદ સેન્ટ્રલ બેંકના વડા મોહમ્મદ રઝા ફર્ઝિનના રાજીનામાથી લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મૌલવી વહીવટીતંત્રએ આર્થિક મજબૂતી પર ધ્યાન ન આપીને બેકારની વાતો પર ધ્યાન આપ્યું છે, જેના કારણે ઈરાનની આ પરિસ્થિતિ છે. ઈરાનમાં કડક કાયદા હોવા છતા તેઓ હવે ચૂપ રહેવા માંગતા નથી.

About The Author

Related Posts

Top News

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.