મધ્ય પ્રદેશના કુબેરેશ્વર ધામમાં ભાગદોડ, 2000 લોકો હોસ્પિટલમાં, 1નું મોત

મધ્ય પ્રદેશમાં આવેલા પંડિત પ્રદિપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ગુરુવારે ભાગદોડ મચી જવાને કારણે એક મહિલાનું મોત થયું છે અને 2,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના કુબેરેશ્વર ધામમાં રૂદ્રાક્ષ મહોત્સવના પહેલાં દિવસે ભારે ભીડને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. કુબેશ્વર ધામમાં આજથી 7 દિવસીય શિવ મહાપુરાણ કથા અને રૂદ્રાક્ષ મહોત્સવનો પ્રારંભ થયો છે. પંડિત પ્રદીપ મિશ્રાના આશીર્વાદ લેવા અનેક ભક્તો પહોંચ્યા છે.

આ દરમિયાન રૂદ્રાક્ષ લેવાના ચક્કરમાં ભાગદોડ મચી ગઇ અને તેમાં એક મહિલાનું મોત થઇ ગયું છે. મોતને ભેટનાર મહિલા નાસિકના માલેગાંવથી આવેલી 50 વર્ષની મંગલા બાઇ હતી. ભાગદોડ મચી જતા મહિલાને ચકકર આવી ગયા હતા અને ઢળી પડ્યા હતા. લગભગ 2,000 લોકોનો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. હજુ સુધી 3 મહિલાઓનો પત્તો લાગ્યો નથી.

કુબેરેશ્વર ધામમાં લગભગ 10 લાખ લોકોની હાજરી હોવાનો અંદાજ છે અને આટલી બધી ભીડને કારણે બધી વ્યવસ્થાઓ નિષ્ફળ ગઇ છે. 10-10 કલાક સુધી ગરમીમાં ઉભા રહેવાને કારણે લોકો ચકકર ખાઇને બેહોશ થઇ રહ્યા છે. ધામની આ ભીડને રોકવા માટે તંત્ર પણ લાચાર થઇ ગયું છે.

જાણવા મળેલી  વિગત મુજબ બુધવારે મહોત્સવના એક દિવસ પહેલાંથી જ 2 લાખ લોકો આવી ગયા હતા.શ્રધ્ધાળુઓની ભીડ જોઇને આયોજન સ્થળ પર એક દિવસ પહેલાંથી જ રૂદ્રાક્ષ વિતરણ કરવાનું શરૂ કરા દેવામાં આવ્યું હતું. તેમાં બીજા દિવસે એટલે કે ગુરુવારે 10 લાખ લોકોની ભીડ એકઠી થઇ ગઇ એમાં એવામાં ભાગદોડ મચી ગઇ અને દોડધામમાં 2,000 લોકોને ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પળવારમાં ખુશી શોકમાં પલટાઇ ગઇ હતી.

સવારે 10 વાગ્યા સુધી 5 લાખ ભક્તોને રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક દિવસ પહેલા પણ દોઢ લાખ રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. 40 કાઉન્ટર પરથી રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રૂદ્રાક્ષ ખરીદવા આવતા શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે કુબેશ્વર ધામમાં જે રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવે છે તે પાણીમાં નાખીને તે પાણી પી જવાથી બધી સમસ્યા દુર થઇ જાય છે.નક્ષત્ર ખરાબ હોય, કે કોઇ પણ સંકટનું નિવારણ આ રૂદ્રાક્ષથી થઇ જાય છે. એવું માનીને લોકોએ રૂદ્રાક્ષ લેવા માટે પડાપડી કરી હતી. હજુ પણ કુબેરેશ્વર ધામમાં 3 મહિલાઓ લાપત્તા છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.