2023માં ભારત અને ચીન ચલાવશે દુનિયા, દુનિયાની મોટી બેંકનો દાવો

વર્ષ 2023માં વૈશ્વિક વૃદ્ધિમાં લગભગ અડધું યોગદાન ભારત અને ચીનનું રહેશે. આ અમારું નહીં, પરંતુ ઇન્ટરનેશનલ મુદ્રા કોષ (IMF)નું કહેવું છે. વૈશ્વિક એજન્સીએ એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતનો વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2023-24માં 6.1 ટકા રાહવાના પોતાન અનુમાનને યથાવત રાખ્યો છે. પોતાના હાલના વૈશ્વિક આઉટલુક અપડેટમાં IMFએ અનુમાન લગાવ્યું છે કે ભારત ઝડપથી વૃદ્ધિ કરનારી અર્થવ્યવસ્થા બનેલી રહેશે.

આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં અડધાનું યોગદાન ભારત અને ચીનનું હશે, જ્યારે અમેરિકા અને યુરોપ ક્ષેત્રનું તેમાં માત્ર 10 ટકા જ ભાગીદારી હશે. જો કે, વર્ષ 2023 (નાણાકીય વર્ષ 2024)માં ભારતનો વૃદ્ધિ દર ઓછો થઇને 6.1 ટકા રહેશે, જે વર્ષ 2022 (નાણાકીય વર્ષ 2023)માં 6.8 ટકા રહેવાનું અનુમાન હતું. બાહ્ય પડકારો છતા ઘરેલુ માગ મજબૂત થવાથી નાણાકીય વર્ષ 2025માં ભારતનો વૃદ્ધિ દર 6.8 ટકા પર પહોંચી શકે છે.

IMFએ વૈશ્વિક વૃદ્ધિનું અનુમાન 20 આધાર અંક વધારીને 2.9 ટકા કરી દીધા છે, પરંતુ સાથે જ એમ પણ કહ્યું છે કે જોખમના કારણે તેમાં ઘટાડાની આશંકા બનેલી છે, પરંતુ ઓક્ટોબર 2022ના રિપોર્ટ બાદ રિસ્કમાં થોડો ઘટાડો આવશે.IMFના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે ઓલિવર ગૌરિનચાસે બ્લોગમાં લખ્યું કે, ‘ગયા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં મજબૂત શ્રમ બજાર, પરિવારમાં વપરાશ વધવા અને બિઝનેસનું રોકાણ વધવા તથા યૂરોપમાં ઉર્જા સંકટ આશયથી ઓછું રહેવાથી આર્થિક વૃદ્ધિમાં મજબૂતી દેખાઇ હતી.

ચીન દ્વારા પોતાના બજાર અચાનક ખોલવાથી આર્થિક ગતિવિધિઓમાં ઝડપથી સુધારાનો રસ્તો સાફ થયો છે. તેમણે કહ્યું કે, ઘણી અર્થવ્યવસ્થાઓમાં ટાળવામાં આવેલી માગ આવવા કે ઝડપથી ઘટાડો આવવાથી પણ વૃદ્ધિમાં પ્રોત્સાહન મળ્યું છે, પરંતુ ચીનમાં કોરોનાના પ્રસાર અને રશિયા-યુક્રેનમાં યુદ્ધમાં તેજી આવવા જેવા જોખમ અત્યારે પણ યથાવત છે. તેમાં લોન સંકટ વધી શકે છે. મોંઘવારી વધવાથી નાણાંકીય બજારમાં ઉથલ-પાથલ વધી શકે છે અને ભૂ-રાજનૈતિક તણાવ વધવાથી આર્થિક પ્રગતિને ધક્કો લાગી શકે છે. IMFએ મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં માત્ર બ્રિટન જ વર્ષ 2023માં મંદીમાં ફસવાનું અનુમાન લગાવ્યું છે. જર્મનીમાં 0.1 ટકા અને રશિયામાં 0.3 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.