1.84 કરોડ રૂપિયાની નાણાકીય સંપત્તિઓનું કોઈ માલિક નહીં! નાણામંત્રીએએ શરૂ કર્યું ખાસ અભિયાન

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્યું હતું કે, ‘બેંકો અને નિયમનકારો પાસે 1.84 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સંપત્તિઓ દાવા વિનાની પડી છે. અધિકારીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ સંપત્તિ તેમના અસલી માલિકો સુધી પહોંચે. સીતારમણે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, બેંકો અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ગાંધીનગરથી 3 મહિનાની આપકી પૂંજી, આપકા અધિકાર અભિયાન શરૂ કર્યું હતું. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે બેંક થાપણો, વીમો, ભવિષ્ય નિધિ અથવા શેરના રૂપમાં 1.84 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સંપત્તિ બેંકો અને નિયમનકારો પાસે દાવા વિનાની પડી છે.

નાણા મંત્રીએ અધિકારીઓને 3 મહિનાના અભિયાન દરમિયાન ત્રણ પાસાઓ જાગૃતિ, પહોંચ અને કાર્યવાહી પર કામ કરવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે, દાવા વિનાની ધનરાશી બેંકો, RBI અથવા રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળ (IEPF) પાસે પડી છે. આપણે આ ફંડ્સના અસલી માલિકો અને દાવેદારોને શોધીને તેમને સોંપાવી પડશે.

flex-fuel-Car3
carwale.com

નાણામંત્રીએ કહ્યું કે, ‘હું તમને ખાતરી આપી શકું છું કે તે પૂરી રીતે સુરક્ષિત છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે યોગ્ય દસ્તાવેજો સાથે આવી શકો છો. પૈસા તમને આપવામાં આવશે. સરકાર તેની રક્ષક છે. જો કોઈ કારણોસર કોઈ સંપત્તિ લાંબા સમય સુધી દાવો કરવામાં આવતો નથી, તો તે એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જમા રકમના મામલે તે બેંકોમાંથી RBI પાસે જાય છે અને શેર અથવા આ પ્રકારની સંપત્તિના કિસ્સામાં તે SEBIમાંથી કોઈ અન્ય કેન્દ્ર અથવા IEPF’માં જાય છે.

સીતારમણે કહ્યું કે, ‘RBIએ અનક્લેમ્ડ ડિપોઝિટ ગેટવે ટુ એક્સેસ ઇન્ફર્મેશન (UDGAM) પોર્ટલ બનાવ્યું છે. એટલે તે એક દાવા વિનાના ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જઈ રહ્યું છે. જેવો જ તમે દાવો કરશો કે તરત જ તમને મળી જશે. એટલે મને ખરેખર લાગે છે કે આપણે બધાએ આ અંગે બધાને જણાવવાનો સમય આવી ગયો છે. મંત્રીએ સરકાર અને બેંક અધિકારીઓને આગ્રહ કર્યો કે તેઓ લોકોમાં જાગૃતિ લાવે જેથી તેઓ આગળ આવે અને તેમની યોગ્ય સંપત્તિ, જેમ કે વીમા પોલિસી જે પરિપક્વ થઈ ગઈ છે અને દાવા વિના પડી છે, તેનો દાવો કરે.

તેમણે અધિકારીઓને કહ્યું કે, ‘જાગૃતિ ફેલાવો. તેમને કહો કે તમારા પૈસા ત્યાં પડ્યા છે, આ દસ્તાવેજ સાથે આવો અને તેને લઈ જાવ. તમે દૂત બની શકો છો અને લોકોને કહી શકો છો કે જો તેમણે અત્યાર સુધી અને તેમની યોગ્ય સંપત્તિનો દાવો કર્યો નથી. બસ તેમને દસ્તાવેજો શોધવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા કહો. તમારી પાસે (અધિકારીઓ)  જે કંઈ પણ છે, જેમ કે કાગળના નાના-નાના ટુકડા, તેના પર કાર્યવાહી કરો.

sitharaman1
ndtv.com

તેમણે વધુમાં કહ્યું કે, એક સંકલિત પ્રયાસ જ આ અભિયાનને સફળ બનાવી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ તેમને અને મંત્રાલયને કહ્યું કે, વિવિધ સ્થળોએ જઈને લોકોને ફોન કરીને તેમના લેણાં લેવા કહો. સીતારમણે ગુજરાત ગ્રામીણ બેંકની પણ પ્રશંસા કરી, જેણે તેમને આશ્વાસન આપ્યું કે તેના અધિકારીઓ રાજ્યના દરેક ગામની મુલાકાત લઈને બેંકમાં પડેલી દાવા વિનાની પડેલી ધનરાશિ અસલી માલિકોને શોધશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.