LICએ અદાણી ગ્રુપના વધુ શેરો ખરીદ્યા, કોંગ્રેસ નેતાએ કહ્યું- અદાણીના શેર...

હિંડનબર્ગના અદાણી સામે ના રિપોર્ટ પછી લાંબા સમયથી JPC તપાસની માંગ કરી રહેલી કોંગ્રેસ ફરી ગુસ્સામાં આવી ગઇ છે તેનું કારણ એવું છે કે LICએ અદાણી ગ્રુપના વધુ શેરોની ખરીદી કરી છે.કોંગ્રેસે કહ્યું, અમે JPCની માંગ કરી રહ્યા છે તે યોગ્ય જ છે, કારણકે અદાણીના શેરો ખરીદવા માટે LICને ફરજ પાડવામાં આવી રહી છે.

અદાણી ગ્રુપના શેરો ઘટવા તરફી રહેલા છતા દેશની સૌથી મોટી વીમા કંપની  LIC દ્રારા હિસ્સેદારી વધારવાને કારણે કોંગ્રેસ ફરી આગબબૂલા થઇ છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક નિવેદનમાં આરોપ લગાવ્યો કે અદાણીના શેરો ખરીરવા માટે LICને ફરજ પાડવામાં આવે છે. આ સાથે જ કોંગ્રેસ નેતા જયરામે ફરી એકવાર અદાણી પર લાગેલા આરોપો માટે JPC તપાસની માંગ કરી છે.

જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું કે, અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવમાં ઝડપથી ઘટાડો થયો હોવા છતાં, LICએ તેના લાખો શેર ખરીદ્યા છે. આ ઘટસ્ફોટ વડા પ્રધાન સંબંધિત અદાણી કૌભાંડમાં JPC ની માંગને વધુ મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે તે ખૂબ જ સ્પષ્ટ છે કે વડાપ્રધાનના પ્રિય બિઝનેસ ગ્રૂપને ડૂબતા બચાવવા માટે LICને તેના પોલિસીધારકોના પૈસાનો ઉપયોગ કરવા મજબુર કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ મહાસચિવે લખ્યુ કે 24 જાન્યુઆરી 2023ના દિવસે અદાણી ગ્રુપને લઇને હિંડનબર્ગના રિપોર્ટમાં ઉઠાવવામાં આવેલા સવાલો પછી દરરોજ નવા નવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. જયરામ રમેશે કહ્યું કે, જૂન 2021માં અદાણી એન્ટ્રપ્રાઇઝીસમાં LICની હિસ્સેદારી માત્ર 1.32 ટક હતા અને 18 મહિનામાં ડિસેમ્બર 2022 આવતા સુધીમા આ હિસ્સેદારી 4.32 ટકા થઇ ગઇ હતી. LICએ જાન્યુઆરીથી માર્ચ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રુપના 3.75 લાખ શેરો ખરીદ્યાછે.

LICએ પ્રથમ ત્રિમાસિક ગાળાં અદાણી ગ્રુપની 3 કંપનીઓમાં હિસ્સાદારી વધારી છે, જેમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ સામેલ છે. જો કે આ ત્રિમાસિક ગાળામાં LIC અદાણી ગ્રુપની કંપનીઓ જેવી કે ACC અને અંબુજા સીમેન્ટમાં હિસ્સેદારી ઘટાડી પણ છે.

LICનું લેટેસ્ટ શેરહોલ્ડિંગ જોઇએ તો અદાણી ટ્રાન્મિશનમાં હિસ્સેદારી 3.65 ટકાથી વધારીને 3.68 ટકા, અદાણી ગ્રીનમાં 1.28 ટકાથી વદારીને 1.35 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકાથી વધારીને 6.02 ટકા કરવામાં આવી છે. તો એની સામે અદાણી પોર્ટસમાં LICની હિસ્સેદારી 9.14 ટકાથી ઘટીને 9.12 ટકા, અંબુજી સીમેન્ટમાં 6.33 ટકાથી ઘટીને 6.29 ટકા અને ACCમાં 6.41 ટકાથી ઘટીને 5.13 ટકા થઇ ગઇ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.