ભારત-પાકિસ્તાન મેચ પહેલા બનાવ્યો ગોલ્ડ વર્લ્ડ કપ,આ ખેલાડીને ભેટ કરવાની ઈચ્છા

ગુજરાતના અમદાવાદમાં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ (2023)ની સૌથી રોમાંચક મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની ટક્કર નિહાળવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચાહકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે, લોકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ઉત્સાહ બતાવવા માટે અમદાવાદના એક ઝવેરીએ 0.9 ગ્રામ વજનની ગોલ્ડ વર્લ્ડ કપની ટ્રોફી બનાવી છે. તેને બનાવનાર જ્વેલરનું નામ રઉફ શેખ છે. શેખે આ ટ્રોફી વિશે કહ્યું, '2014માં મેં 1.200 ગ્રામ વજનની વર્લ્ડ કપ ટ્રોફી બનાવી હતી અને 2019માં મેં 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવીને મારો જ રેકોર્ડ તોડ્યો હતો.'

તેણે કહ્યું, 'હવે 2023માં મેં 0.900 ગ્રામ વજનની ટ્રોફી બનાવી છે. જો મને આગામી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તક મળશે તો હું આ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને આપીશ.'

અહીં તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં યોજાનારી આ હાઈવોલ્ટેજ મેચ માટે ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેચ માટે સમગ્ર અમદાવાદ શહેરમાં તમામ સુરક્ષા એજન્સીઓનો 11 હજારથી વધુ સ્ટાફ તૈનાત રહેશે. તેમાં કાઉન્ટર ટેરર ફોર્સ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસનો પણ સમાવેશ થાય છે.

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો હાજર રહેવાની શક્યતા છે. સ્ટેડિયમની ક્ષમતા લગભગ 1.30 લાખ દર્શકોની છે અને મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આવી સ્થિતિમાં સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જશે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન 7 હજારથી વધુ પોલીસકર્મીઓ અને લગભગ 4 હજાર હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં થોડા દિવસો પહેલા અમદાવાદ પોલીસને E-Mail દ્વારા ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. E-Mail મોકલનાર વ્યક્તિએ રૂપિયા 500 કરોડ ઉપરાંત જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુક્તિની પણ માંગ કરી હતી. આ કારણોસર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. NSG સહિત અન્ય સુરક્ષા એજન્સીઓની મદદ લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Related Posts

Top News

સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

સુરત જે રીતે નેચરલ ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં દુનિયામાં  નંબર વન છે તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડમાં પણ લીડર છે. ...
Business 
સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે ઉત્તર કેમ્પસ સ્થિત DUSUની અધ્યક્ષ ઓફિસમાં ...
National 
શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં, ચાલતા વાહનો અચાનક બંધ થવા લાગ્યા. કોઈની ગાડી રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ અને કોઈની...
National 
પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે શુક્રવારે (23 મેના રોજ) લખનૌમાં મેચ રમાઈ હતી. સનરાઇઝર્સ...
Sports 
‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.