સિંહોની વસ્તી ગણતરી ચોમાસું અને તે પછી પણ આ કારણે ચાલુ વર્ષે નહીં થઇ શકે

ગુજરાતના સિંહોની પાંચ વર્ષિય ગણતરી અચોક્કસ મુદ્દત સુધી મુલતવી રહી છે. આ ગણતરી મે મહિનામાં શરૂ થવાની હતી. સિંહોની આ 15મી ગણતરી હતી. રાજ્યના ગીર અભ્યારણ્ય અને અન્ય વિસ્તારો કે જ્યાં સિંહોની વસતી છે ત્યાં ગણતરીકારો પહોંચીને કામગીરી શરૂ કરવાના હતા.

જો કે સિંહોની સંખ્યા, નિરીક્ષણ અને ગણતરી કરવાની માસિક કવાયત ચાલુ રહેશે. રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે આ ગણતરી મોકુફ રાખવામાં આવી છે. આ ગણતરી હવે ક્યારે થશે તેવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે અત્યારે કોરોના સંક્રમણના સમયમાં કોઇ ચોક્કસ તારીખ આપી શકાય નહીં. જો કે ચોમાસુ શરૂ થતું હોઇ આ ગણતરી આ વર્ષે થાય તેવી સંભાવના ઘણી ઓછી જોવા મળી રહી છે.

ગુજરાતમાં જૂનના મધ્યથી ચોમાસુ શરૂ થાય છે ત્યારે સિંહોની ગણતરી થાય તેમ નથી. ચોમાસા દરમ્યાન અને તે પછી સિંહોનો મેટીંગ પિરીયડ હોય છે ત્યારે પણ ગણતરી શક્ય નથી તેથી હવે 2021માં ગણતરી થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં દર પાંચ વર્ષે સિંહોની ગણતરી થતી હોય છે.

કોરોના સંક્રમણના સમયે સિંહોની ગણતરી એટલા માટે પણ શક્ય નથી, કે અમેરિકાના ન્યૂયોર્કમાં એક માનવીના ચેપના કારણે વાઘણને કોરોના પોઝિટીવ આવ્યો હતો. ગુજરાતમાં જો કોઇ વ્યક્તિ કે કર્મચારી ગણતરી કરવા જાય અને સિંહને ચેપ લાગે તો મુસિબત ઉભી થાય તેમ છે તેથી પણ સિંહોની ગણતરી હાલ શક્ય નથી. કોરોના મહામારી જ્યાં સુધી સંપૂર્ણ કાબૂમાં ન આવે ત્યાં સુધી ગણતરી થવાની નથી.

ગુજરાતમાં એશિયાટીક સિંહોના વિવિધ કારણોસર મૃત્યુ થાય છે પરંતુ તેની સાથે બમણાં સિંહોનો જન્મ પણ થાય છે. છેલ્લે 2015માં સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે 523 નોંધાયા હતા. 2020માં જો ગણતરી થઇ હોય તો અનુમાન પ્રમાણે સિંહોની સંખ્યા 1000 જેટલી થવાની હતી.

 
 
 

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.