કોરોનાથી તડપતું ચીન, નવી લહેરમાં લાખો લોકોના મોતની આશંકા, જિનપિંગે પણ માન્યું

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ન્યુ યર પર શનિવારે કોરોનાની માર ઝેલી રહેલા પોતાના દેશના નાગરિકોને સંબોધિત કર્યા હતા. તેણે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે ચીનમાં કોવિડની લહેર નવા ચરણમાં પ્રવેશ કરી ગઈ છે અને તેનો મુકાબલો કરવો કઠિન ચેલેન્જ બનેલી છે. તેમણે કહ્યું હતું કે- અસાધારણ પ્રયાસોની સાથે આપણે અભૂતપુર્વ કઠિનાઈઓ અને ચેલેન્જ પર વિજય હાંસલ કર્યો છે. આ કોઈના માટે પણ સરળ યાત્રા ન હતી. છેલ્લા કેટલાંક દિવસોમાં આ બીજી વખત છે કે શીએ દેશમાં કોવિડની હાલની સ્થિતિ પર લોકોને સંબોધન કર્યું છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી વારંવાર અપીલ કરવામાં આવ્યા પછી ચીને શુક્રવારે પોતાના અધિકારીઓને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના એક્સપર્ટ્સ સાથે વાત કરવાની પરવાનગી આપી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓફિસર, જનતા, ડૉક્ટર, સામાજિક કાર્યકર્તા દરેક કોરોનાથી મુકાબલો કરવા માટે મજબૂતીથી ડટેલા છે.

તેમણે કહ્યું હતું કે અમારી સામે આશાની કિરણ દેખાઈ રહી છે. તેને પાર કરવા માટે આપણે વધુ એક કોશિશ કરીએ કારણ કે દ્રઢતા અને એક્તાનો મુકાબલો જ જીત અપાવે છે. તેમણે કહ્યું કે કોરોનાના આવ્યા પછી અમે લોકોની જીવનની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. વિજ્ઞાન-આધારિત અને લક્ષિત દ્રષ્ટિકોણનું પાલન કરતા અમે લોકોના જીવન અને સ્વાસ્થ્યની મહત્તમ સંભવ સીમા સુધી રક્ષા કરવા માટે કોવિડ વિરુદ્ધ કડક અને જરૂરી પગલા ઉઠાવ્યા છે.

જિનપિંગે સંબોધનમાં કહ્યું કે ચીનમાં કોરોનાના કારણે લાઈફ પ્રત્યે સુરક્ષાને નવો આયામ મળ્યો છે. નવા સમયમાં પ્રવેશ કરવાની સાથે જ અમેં પોતાની સુરક્ષાને લઈને વધારે સચેત થવાની જરૂર છે. તેમણે ચીનની કોવિડ નીતિ અંગે જણાવ્યું કે દેશે મોટા પાયા પર નીરિક્ષણ કર્યું છે. અમે ઝીરો કોવિડ પોલિસીને પણ ખતમ કરી દીધી છે. ચીનમાં ઝોરી કોવિડ પોલિસી ત્રણ વર્ષ સુધી રહી છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે 2022માં અમે ભૂકંપ, પૂર અને જંગલની આગ સહિત ઘણી પ્રાકૃતિક આપદાઓને ઝેલી છે. આપણે કામ કરનારી જગ્યાઓ પર દુર્ઘટનાઓનો સામનો કર્યો છે. આ વચ્ચે મુસીબતોનો સામનો કરવા માટે આપણે એકસાથે રહ્યા. સંકટમાં બીજાને મદદ કરવા માટે જીવનનું બલિદાન પણ આપી દીધું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક્સપર્ટ્સ અને ચીની અધિકારીઓ વચ્ચે કોરોનાના કેસો, વેક્સીન, ટ્રીટમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલમાં જ થયેલી બેઠરમાં કહેવામાં આવ્યું છે કે ચીન કોઈ પણ આંકડો વગર છૂપાવ્યા વગર દુનિયાની સાથે શેર કરે. આ સમયે ચીનમાં વધી રહેલા કેસો ચિંતા વધારી રહ્યા છે, સાથે તેના ડેટા છૂપાવવા અને વધારે પરેશાન કરી દીધા છે. આ કારણે ત્યાંની અસલ સ્થિતિ અંગે જાણવું ઘણું ચેલેન્જીંગ છે. જેના પછી હવે ચીનના વૈજ્ઞાનિકો ડબલ્યુએચઓના એક્સપર્ટ્સ સાથે 3 જાન્યુઆરીના એક મિટીંગ કરશે. જેમાં ચીની અધિકારી જીનોમ સિક્વન્સીંગનો ડેટા શેર કરવાની છે.

જ્યારથી કોરોના મહામારી આવી છે, ત્યારથી ચીન તરફથી ઓફિશિયલ મોતનો આંકડો 5247 છે. જેની સરખામણી સંયુક્ત રાજ્ય અમેરિકામાં 10 લાખથી વધારે મોત સાથે કરવામાં આવે છે. જ્યારે ચીની શાસિત હોંગકોંગે 11 હજારથી વધારે મોતની સૂચના આપી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ચીનમાં મરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે અને આગામી એક વર્ષમાં 10 લાખથી વધારે લોકો મરી શકે છે.  

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.