કંકોત્રી અને દુલ્હનનો ડ્રેસ પણ તૈયાર હતો, છતા 7 ફેરા ન લઈ શકી 'અંગુરી ભાભી'..

'ભાભી જી ઘર પર હૈં' સીરિયલની 'અંગૂરી ભાભી'એ ઘર-ઘરમાં નામ બનાવ્યું છે. 'અંગૂરી ભાભી'નું પ્રથમ પાત્ર ભજવનાર શિલ્પા શિંદે પોતાના અભિનયને કારણે જેટલી લોકપ્રિયતા મેળવી રહી છે તેટલી જ તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. શિલ્પા શિંદે ત્યારે વધારે હેડલાઇન્સમાં હતી જ્યારે તે કો-એક્ટર રોમિત રાજ સાથે લગ્ન કરવાની હતી પરંતુ છેલ્લી ક્ષણે તેના લગ્ન તૂટી ગયા.

શિલ્પા શિંદેના લગ્નના કાર્ડ છપાઈ ગયા હતા, સાત ફેરાની સંપૂર્ણ તૈયારીઓ અને રીતરિવાજો પણ શરૂ થઈ ગયા હતા. પરંતુ છેલ્લી ક્ષણે અભિનેત્રીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. શિલ્પા શિંદેની માતાએ લગ્ન તોડવાનું કારણ જણાવ્યું હતું કે જ્યારે તેમની પુત્રીને રોમિત રાજે પ્રપોઝ કરી હતી ત્યારે શિલ્પાએ સંબંધ માટે હા પાડી હતી પરંતુ બાદમાં તેમને ખબર પડી કે તેઓ બંનેના મંતવ્યો ખૂબ જ અલગ છે. બંનેના પરિવારો પણ ખૂબ જ અલગ છે.

શિલ્પા શિંદેની માતાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે લાંબા સમયગાળાના સંબંધોમાં તમેવસ્તુઓ સાથે સમાધાન કરી શકતા નથી. તેથી જ મારી પુત્રીએ લગ્ન તોડી નાખ્યા. પછી છૂટાછેડા લેવા કરતાં વહેલા સંબંધ તોડી નાખવો વધુ સારું છે. શિલ્પાની માતાએ પણ કહ્યું હતું કે તેમની પુત્રી લગ્ન તોડ્યા બાદ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Shilpa Shinde (@shilpa_shinde_official)

તમને જણાવી દઈએ કે, શિલ્પા શિંદે અને રોમિત રાજ એક સાથે 2007માં ટીવી સીરિયલ 'માયકા'માં સાથે જોવા મળ્યા હતા. આ સીરિયલ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. રોમિત રાજના પ્રપોઝ કર્યા બાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ પછી તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.