રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી આવી રહી છે,જાણો ક્યાં અને ક્યારે ટેલિકાસ્ટ થશે?

એક એવી કહેવત છે કે એકનું નુકશાન,એ બીજાનો લાભ હોય શકે છે.આદિપુરુષ જેવી રૂ. 600 કરોડની ફિલ્મની આકરી ટીકા થઈ તો લોકોએ રામાનંદ સાગરની સિરિયલ રામાયણને પ્રેમથી યાદ કરી. આ સિરિયલ ટીવી પર પાછી ફરી રહી છે. જાણો તમે તેને ક્યારે અને ક્યાં જોઈ શકો છો...

પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન અભીનિત ‘આદિપુરુષ’ 16 જૂને સિનેમાઘરોમાં રજૂ થઇ હતી. આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી મોટી  ફિલ્મ માનવામાં આવી હતી, પરંતુ નિમ્ન સ્તરના સંવાદો, ખરાબ VFX અને સ્કીન પર હિંદુ દેવી-દેવતાઓના વિવાદીત રંગરૂપને કારણે ફિલ્મ વિવાદોમાં સપડાઇ ગઇ હતી.

વિવેચકો અને દર્શકોએ તરત જ ફિલ્મને નકારી કાઢી. વર્ષો પહેલા દૂરદર્શન પર રીલીઝ થયેલી રામાનંદ સાગરની સીરીયલ રામાયણ સામે આદિપુરુષ કંઈ નથી એ વાત પહેલા જ દિવસથી જ ખબર પડી ગઈ હતી કે એ જ સિરિયલ ફરી જોવી સારું. ઘણા લોકો માંગ કરવા લાગ્યા કે રામાયણનું ટીવી પર ફરીથી પ્રસારણ શરૂ કરવું જોઈએ.

હવે સમાચાર સામે આવ્યા છે કે રામાનંદ સાગરની આ સીરિયલ, રામાયણ ફરી એકવાર ટીવી પર આવી રહી છે. 1987-88માં દુરદર્શન પર પ્રસારિત થયેલી આ ધારાવાહિક રામાયણને પ્રજાની માંગને કારણે કોરોના મહામારીના સમયમાં પણ દુરદર્શન પરથી સત્તાવાર પ્રસારિત કરવામાં આવી હતી.

આદિપુરુષના વિવાદ વચ્ચે નિર્માતા ફરી રામાયણને ટીવી પર લાવી રહ્યા છે. જો કે આ વખતે આ સીરિયલ દુરદર્શન પર નહીં, પરંતુ શેમારું ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. રામાયણ 3 જુલાઇથી સોમવારથી શનિવાર દરરોજ સાંજે 7-30 વાગ્યે પ્રસારિત થશે.

રામાનંદ સાગરની આ રામાયણમાં અરૂણ ગોવિલે ભગવાન રામ અને દીપિકા ચિખલિયાએ સીતાની ભૂમિકા નિભાવી હતી. જ્યારે રાવણ તરીકે અરવિંદ ત્રિવેદી અને હનુમાનનું પાત્ર દારાસિંહે નિભાવ્યું હતું.

શેમારું ટીવી એ ફ્રી ટુ એર ચેનલ છે, એના માટે દર્શકોએ કોઇ ચાર્જ ચુકવવાનો નથી. એરટેલ અને ટાટા જેવા પ્રોવાઇડર્સ પણ તેને બતાવે છે. એરટેલ શેમારુ 133 અને ટાટા સ્કાય 181 નંબર પર  જોઇ શકાશે. ડિશ ટીવી પર 172 નંબર પર ઉપલબ્ધ છે. વીડિયોકોન પર 123, ડેન પર 116 અને DD ફ્રિ ડીસ પર 28 નંબર પર જોઇ શકશો.

રામાયણ સીરિયલના પાત્રોએ લોકોના દિલોદિમાગ પર ઘેરી અસર ઉભી કરી હતી. અરૂણ ગોવિલ અને દીપિકા ચીખલીયાને લોકો ખરેખર રામ અને સીતા માનીને પૂજતા હતા.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.