ફિલ્મફેરમાં 7 નોમિનેશન મળ્યા છતા વિવેક અગ્નિહોત્રીએ કર્યો બૉયકોટ, જુઓ શું કહ્યું

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પોતાની નિવેદનબાજીને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. હવે તેમણે ફિલ્મફેર એવોર્ડ્સની જાહેરાતના થોડા કલાકો અગાઉ શૉનો બહિષ્કાર કરી દીધો છે. 27 એપ્રિલની રાત્રે એટલે કે આજે રાત્રે ફિલ્મફેર એવોર્ડ્સની જાહેરાત થવાની છે, તેના થોડા કલાકો અગાઉ ફિલ્મફેરને લઈને એક લાંબી-લચાક ટ્વીટ કરી છે. જેને લઈને ડિરેક્ટર ફરી એક વખત લાઇમલાઇટમાં આવી ગયા છે. ફિલ્મફેર 2023માં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને 7 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

આ વાત જેવી જ વિવેક અગ્નિહોત્રીને ખબર પડી, તેમણે પૂરી વિનમ્રતા સાથે આ એવોર્ડનો હિસ્સો બનવાની ના પાડી દીધી અને તેની પાછળના ઘણા કારણો બતાવતા એક લાંબી નોટ લખી. જેમાં તેમણે એવોર્ડ શૉના ધજાગરા ઉડાવી દીધા. વિવેક અગ્નિહોત્રીએ લખ્યું કે, ‘મીડિયાથી મને ખબર પડી કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને 68માં ફિલ્મફેર એવોર્ડ્સ માટે 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે, પરંતુ હું શાંતિ સાથે આ અનૈતિક અને સિનેમા વિરોધી એવોર્ડ શૉઝનો હિસ્સો બનવાની ના પાડુ છું. અહી બતાવું છું આખરે કેમ.

ફિલ્મફેર મુજબ, સ્ટાર્સ સિવાય કોઈનો કોઈ ચહેરો નથી. કોઈના હોવા કે ન હોવાથી કોઈ ફરક પડતો નથી તેમને. એટલે ફિલ્મફેરની ચાપલૂસી અને અનએથિકલ દુનિયામાં સંજય લીલા ભણસાલી કે સૂરજ બડજાત્યા જેવા માસ્ટર ડિરેક્ટર્સનો કોઈ ચહેરો જ નથી. તેમને સંજય લીલા ભણસાલી આલિયા ભટ્ટની જેમ, સૂરજ મિસ્ટર બચ્ચનની જેમ અને અનિશ બજ્મી કાર્તિક આર્યનની જેમ દેખાય છે. એવું નથી કે, એક ફિલ્મ નિર્માતાની ગરિમા ફિલ્મફેર એવોર્ડ્સથી આવે છે, પરંતુ અપમાનજનક વ્યવસ્થાનો અંત હોવો જોઈએ. એટલે બોલિવુડના એક ભ્રષ્ટ, અનૈતિક અને ચાપલૂસ પ્રતિષ્ઠાન વિરુદ્ધ આ મારો વિરોધ છે જેથી હું એવા એવોર્ડ્સને અસ્વીકાર કરીને જાહેર કરું છું.

તેમણે આગળ લખ્યું કે, હું કોઈ પણ દમનકારી અને કરપ્ટ સિસ્ટમ કે એવોર્ડ શૉનો હિસ્સો બનવાની ના પાડુ છું, જે લેખકો, ડિરેક્ટરો અને ફિલ્મના અન્ય HOD અને ક્રૂ મેમ્બર્સને નીચે કે નોકરની જેમ સમજે છે. જીતનારા લોકોને મારી શુભેચ્છા અને જે જીતી શકતા નથી તેમને પણ ઘણું બધુ.’ દુષ્યંત કુમારની કેટલીક લાઈનો લખતા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, સારી વાત એ છે કે હું એકલો નથી. ધીરે ધીરે જ, પરંતુ એક પેરેલલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભરી રહી છે. ત્યાં સુધી માટે.

સિર્ફ હંગામાં ખડા કરના મેરા મકસદ નહીં,

મેરી કોશિશ હૈ કી સુરત બદલની ચાહીએ.

મેરે સિને મેં નહીં તો તેરે સીનેમે સહી

હો કહી ભી આગ, લેકિન આગ લગની ચાહીએ.

-દુષ્યંત કુમાર

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.