નાણાકીય છેતરપિંડીના દરેક કેસમાં CBIની જરૂર નથીઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલા મામલાની તપાસ કરવા માટે વિશેષ એજન્સીની જરૂરિયાત હોવા પર ભાર મુક્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ફાઇનાન્સિયલ ફ્રોડના તમામ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)ની જરૂર હોતી નથી. સુપ્રીમ કોર્ટે આ વાત એક જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન કહી છે, જેમાં કેન્દ્ર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર આકરી કાર્યવાહી નહીં કરવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં એક એનજીઓ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીયકૃત બેંકોથી લીધેલી લોન નહીં ચૂકવનાર મોટા કોર્પોરેટ જૂથો અને ઉદ્યોગપતિઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી. સાથે જ તેમની વિરુદ્ધ CBI તપાસની માગં કરાઈ હતી. આના પર જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ બીવી નાગરત્ને કહ્યું કે નાણાકીય છેતરપિંડીના તમામ મામલામાં CBIને તપાસ સોંપવાની સલાહ આપવામાં આવતી નથી. અરજી કરનાર તરફથી કોર્ટમાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ અને પ્રણવ સચદેવે CBI તપાસની માંગ પર ભાર મૂક્યો હતો.

પ્રશાંત ભૂષણે એ વાતને આધાર બનાવી હતી કે સરકાર રચિત સમિતિએ ખુદે જ 50 કરોડ રૂપિયાથી વધુના ડિફોલ્ટ મામલામાં CBIને લાવવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું કે ભલામણના આધાર પર ડિફોલ્ટરનો પાસપોર્ટ જપ્ત થવો જાઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જાઈએ. સુનાવણી દરમિયાન રિઝર્વ બેંકે તર્ક આપ્યો કે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને પાસપોર્ટનો મામલો સરકારના ક્ષેત્રમાં આવે છે અને તેમના તરફથી કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. આના પર સુપ્રીમ કોર્ટની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જવાબ દાખલ કરવા કહ્યું છે.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.