શું મન કી બાતના એક એપિસોડ પાછળ 8 કરોડ ખર્ચ થાય છે? ઇસુદાન ગઢવી સામે FIR દાખલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો 30 એપ્રિલે 100મો એપિસોડ હતો અને ભાજપના નેતાઓએને કારર્યકરોએ દેશભરમાં ઉજવણી કરી હતી. PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના મનની વાત કહેવામાં આમ આમદી પાર્ટી, ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવી ભેરવાઇ ગયા છે. તેમણે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં 830 કરોડ રૂપિયા ખચાર્યા હોવાની વાત કરી હતી. આની સામે અમદાવાદ સાયબર ક્રાઇમે ઇસુદાન ગઢવી સામે ફરિયાદ દાખલ કરી છે. ભારે હોબાળો થવાને કારણે ઇસુદાને ટ્વીટ ડિલીટ કરી નાંખી હતી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)તેના  FACT CHECKમાં કહ્યું છે કે આ દાવો ભ્રામક છે અને ગેરમાર્ગે દોરનારો છે. 8.3 કરોડ રૂપિયાએ મન કી બાત માટે અત્યાર સુધીની જાહેરાતોનો કુલ આંકડો છે. માત્ર સિંગલ એપિસોડ માટે નહી. ટ્વીટમાં એવી ધારણા બતાવવામાં આવી છે કે દરેક એપિસોડ જાહેરાત દ્રારા સમર્થિત છે, જે ખોટું છે.

પોલીસે કહ્યું હતું કે ઇસુદાનના ટ્વીટમાં પ્રધાનમંત્રી વિશે જે વાત કહેવામાં આવી છે તે પાયાવિહોણી અ પુરાવા વગરની છે. અમદાવાદ સાયબર ક્રાઇમે ઇસુદાન ગઢવી સામે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

એક તરફ ગુજરાતમાં માંડ માંડ પગ પેસારો કરી રહેલી આમ આદમી પાર્ટીના સુરતના 27 કોર્પોરેટરમાંથી 12 કોર્પોરેટર ભાજપમાં ચાલ્યા ગયા છે અને એક કોર્પોરેટરને સસ્પેન્ડ કરવાની નોબત ઉભી થઇ છે એવા સમયે ઇસુદાનનું આ ટ્વીટ પડતા પર પાટું સમાન છે.

ઇસુદાને ટ્વીટ કર્યા પછી દેશભરમાં હોબાળો મચી ગયો હતો અને એ પછી તેમણે ટ્વીટ ડિલીટ કરી નાંખ્યું હતું. ઇસુદાન ગઢવી જેવા જવાબદાર નેતા અને તેઓ પત્રકાર પણ રહી ચૂક્યા છે ત્યારે પુરાવા વગર પ્રઘાનમંત્રી જેવી વ્યકિત સામે આક્ષેપ કરવા તેમના માટે શોભાસ્પદ નથી. ઇસુદાનના આ ટ્વીટને કારણે આમ આદમી પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.

ઇસુદાન ગઢવીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દ્રારકાથી ચૂંટણીની ટિકીટ આપી હતી અને તેમને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પણ જાહેરાત  કરવામાં આવી હતી, પરંતુ આ ચૂંટણી તેઓ જીતા શક્યા નહોતા. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના  ‘મન કી બાત’ કાર્યક્રમના 100માં એપિસોડને ભાજપના ગુજરાતના નેતાઓએ પણ મોટા પાયે ઉજવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.